SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન પ્રવચન કિરણાવલી (૪. શ્રીસમવાયાંગસૂત્રને પરિચય) ૧૩૯ સિત્તેર વર્ષ સાધુપર્યાય પાળીને સિદ્ધ થયા, શ્રીવાસુપૂજ્ય સ્વામી સિત્તેર ધનુષ ઊંચા હતા. મોહનીય કર્મની સ્થિતિ સીતેર કડાકડી સાગરોપમની છે, માહેંદ્ર કલ્પના ઇકને સિત્તેર હજાર સામાનિક દે છે. (૭૧) ઈકોતેરમા સમવાયમાં કહ્યું છે કે-ચોથા ચંદ્ર સંવત્સરને હેમંત ઋતુના 'ઇકોતર દિવસ જાય ત્યારે સૂર્ય સર્વ બાહ્ય મંડળથી પાછા ફરે છે. વીર્યપ્રવાદ નામના પૂર્વમાં ઈકોતેર પ્રાભત છે. શ્રી અજીતનાથ પ્રભુ ઈકોતેર લાખ પૂર્વ ગૃહવાસ મળે રહીને પ્રવૃજિત થયા હતા, સગર નામના ચકવતી પણ ઈકોતેર લાખ પૂર્વ રાજ્ય ભેગવીને પ્રજિત થયા હતા. (૭૨) તેરમા સમવાયમાં કહ્યું છે કે-સુવર્ણકુમારનાં બોતેર લાખ ભવનો છે. લવણ સમુદ્રની બહારની વેળાને બોંતેર હજાર નાગકુમાર દેવો ધારણ કરે છે. શ્રીમહાવીરસ્વામી તેર વર્ષનું કુલ આયુષ્ય પાળી સિદ્ધ થયા. અચળભ્રાતા નામના ગણધર બોતેર વર્ષનું કુલ આયુષ્ય પાળીને સિદ્ધ થયા, પુષ્કરાઈ દ્વિપમાં તેર ચંદ્ર અને તેર સૂર્ય પ્રકાશે છે. દરેક ચક્રવતીને બોતેર હજાર પુર હોય છે, પુરુષની બોતેર કલાઓ હોય છે, સંમૂછિમ ખેચર પંચૅકિય તિર્યંચની ઉત્કૃષ્ટ સ્થિતિ બોતેર હજાર વર્ષની છે. (૭૩) તેરમા સમવાયમાં કહ્યું છે કે- હરિવર્ષ અને રમ્યક ક્ષેત્રની જવા સાધિક તેતર હજાર જનની છે, વિજય નામના બીજા બલદેવ તંતેર હજાર વર્ષનું આયુષ્ય પાલીને સિદ્ધ થયા. (૭૪) ચુમોતેરમા સમવાયમાં કહ્યું છે કે-અગ્નિભૂતિ નામના ગણધર ચુમોતેર વર્ષનું આયુષ્ય પાલીને સિદ્ધ થયા. નિષધ નામના વર્ષધર પર્વત ઉપર રહેલા તિગિ૭ નામના મહાપ્રહથકી સીતાદા નામની મહાનદી સાધિક ચુમોતેર સે યોજના ઉત્તરદિશા સન્મુખ વહન કરીને સીતાદાપ્રપાતકુંડમાં પડે છે, તે જ રીતે સીતા નામની મહાનદી દક્ષિણ દિશા તરફ વહેતી સતી સીતાપ્રપાતકુંડમાં પડે છે, જેથી નરકમૃથ્વી સિવાય બાકીની છ નરકપીને વિષે કુલ ચાર લાખ નરાકાવાસા રહેલા છે. (૭૫) પંચોતેરમા સમવાયમાં કહ્યું છે કે-સુવિધિનાથપ્રભુને પંચોતેરસો સામાન્ય કેવલી હતા, શ્રી શીતલનાથપ્રભુ પંચાર હજાર પૂર્વ સુધી ગ્રહવાસમાં રહીને પ્રવૃજિત થયા હતા. શ્રી શાંતિનાથપ્રભુ પંચોતેર હજાર વર્ષ સુધી ગૃહવાસમાં રહીને પ્રજિત થયા હતા, (૭૬) છતેરમા સમવાયમાં કહ્યું છે કે વિદુકુમારના આવાસો છોતેર લાખ છે, એ જ પ્રમાણે દ્વીપકુમાર, દિકકુમાર, ઉદધિકમાર, વિદુકુમાર, સ્વનિતકુમાર અને અગ્નિકુમાર એ છએ યુગલનાં એટલે દક્ષિણ ઉત્તર દિશાનાં મલીને તેર તેર લાખ ભવને છે. (૭૭) સત્તોતેરમા સમવાયમાં કહ્યું છે કે-ભરત ચક્રવતી સત્તોતેર લાખ પૂર્વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy