SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણવલી (, શ્રીસમવાયાંગસૂત્રને પરિચય) ૧૩૭ દિશાના છેડાથી વડવામુખ નામના મહા પાતાલકલશના બરાબર મધ્ય ભાગ સુધીમાં સત્તાવન હજાર જનનું આતરૂં છે. એ પ્રમાણે દક્ષિણના દકભાસ પર્વત અને કેતુક નામના મહાપાતાલકલશનું, પશ્ચિમના શંખ પર્વત અને ચૂપ નામના મહાપાતાલકલશનું તથા ઉત્તરના દકસીમ પર્વત અને ઈશ્વર નામના મહાપાતાલકલશનું આંતરૂં તેટલું જ - જાણવું. મલ્લિનાથ પ્રભુને સત્તાવન સાધુએ મન:પર્યવજ્ઞાનવાલા હતા, મહામહિમવાન અને રૂફમી પર્વતની છવાના ધનુપૃષ્ટની લંબાઈ સાધિક સત્તાવન હજાર જનની છે. (૫૮) અઠ્ઠાવનમા સમવાયમાં કહ્યું છે કે પહેલી, બીજી અને પાંચમી નરક પૃથ્વીના મલીને અઠ્ઠાવન લાખ નરકાવાસા છે, જ્ઞાનાવરણીય (પ), વેદનીય (૨), આયુ (૪), નામ (૪૨) અને અંતરાય (પ) એ પાંચ મૂલકમની મલીને અઠ્ઠાવન ઉત્તરપ્રવૃતિઓ કહી છે. ગસ્તુભ નામના આવાસ પર્વતની પશ્ચિમ દિશાના છેડાથી વડવામુખ નામના મહાપાતાલકલશના મધ્ય ભાગ સુધી અઠ્ઠાવન હજાર યોજન પ્રમાણ આંતરૂં છે, એ જ પ્રમાણે બાકીની ત્રણે દિશામાં જાણવું. (૫૯) ઓગણસાઠમા સમવાયમાં કહ્યું છે કે-ચંદ્ર વર્ષની એક એક ઋતુ ઓગણસાઠ દિવસની છે. શ્રીસંભવનાથપ્રભુએ ઓગણસાઠ લાખ પૂર્વ ગૃહવાસમાં રહીને દીક્ષા ગ્રહણ કરી હતી, શ્રીમલિનાથપ્રભુને ઓગણસાઠ સે અવધિજ્ઞાની હતા. (૬૦) સાઠમા સમવાયમાં કહ્યું છે કે દરેક સૂર્ય સાઠ સાઠ મુહૂ એક એક મંડલ પૂર્ણ કરે છે. લવણસમુદ્રની શિખાના જલને સાઠ હજાર નાગદેવતાઓ ધારણ કરે છે, શ્રી વિમલનાથ પ્રભુ સાઠ ધનુષ ઊંચા હતા, બલિ નામના અસુરકુમારેંદ્રને સાઠ હજાર સામાનિક દેવો હોય છે. બ્રહ્મ નામના દેવેદ્રને સાઠ હજાર સામાનિક દેવે હોય છે; સૌધર્મ (૩ર) અને ઈશાન (૨૮) કલ્પના મલીને સાઠ લાખ વિમાનાવાસ છે. (૧) એકસઠમા સમવાયમાં કહ્યું છે કે-પાંચ વર્ષ પ્રમાણ એક યુગમાં એકસઠ ઋતુ માસ આવે છે. મેરુ પર્વતનો પહેલો કાંડ એકસઠ હજાર (મતાંતરે ૬૩૦૦૦) યોજન ઊંચા , ચંદ્રનું વિમાન એક યોજનના એકસઠીયા છપન ભાગનું છે. એ જ પ્રમાણે સૂર્યનું વિમાન પણ એકસઠીયા અડતાલીશ ભાગનું છે. (૬૨) બાસઠમા સમવાયમાં કહ્યું છે કે–એક યુગને વિષે બાસઠ પૂર્ણિમા અને બાસઠ અમાવાસ્યા આવે છે. શ્રીવાસુપૂજ્યસ્વામીને બાસઠ ગણ અને બાસઠ ગણધરે હતા. શુકલપક્ષમાં ચંદ્ર હમેશાં બાસઠ બાસઠ ભાગ વધે છે અને કૃષ્ણપક્ષમાં બાસઠ બાસઠ ભાગ હાનિ પામે છે (આ ભાગ સમજવા, સૌધર્મ અને ઈશાન કલ્પના પહેલા પાથડામાં પહેલી આવલિકામાં દરેક દિશાએ બાસઠ બાસઠ વિમાનો રહેલા છે. સર્વ વિમાનના મળીને કુલ બાસઠ પાથડા છે. (૬૩) ટેસઠમા સમવાયમાં કહ્યું છે કે-શ્રીકષભદેવ સ્વામી ત્રેસઠ લાખ પૂર્વ સુધી મહારાજ્યમાં રહીને પ્રજિત થયા હતા. હરિવર્ષ અને રમ્યક ક્ષેત્રના યુગલિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy