SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ શ્રી જૈન પ્રવચન કિરણાલી (૪. શ્રી સમવાયાંગસૂત્રનો પરિચય) પીસ્તાળીશ લાખ યોજનાનો છે, એ જ પ્રમાણે પહેલા દેવલોકનું ઉડ નામનું મધ્ય વિમાન તથા ઈષપ્રા ભાર નામની પુથ્વી પણ ૪૫ લાખ યોજન પ્રમાણ જાણવી, ધમનાથ પ્રભુ પીસ્તાળીશ ધનુષ ઊંચા હતા. જંબુદ્વીપની જગતી ને મેરુપર્વતની વચ્ચે ચારે દિશાએ પિસ્તાળીશ પિસ્તાળીશ હજાર યોજનાનું આંતરૂં છે. દોઢ ક્ષેત્રવાળાં સર્વ નક્ષત્રો પિસ્તાળીશ મુહૂર્ત સુધી ચંદ્રની સાથે રહે છે, મહાલિકાવિમાનપ્રવિભક્તિના પાંચમા વર્ગમાં પીસ્તાળીશ ઉદ્દેશનકાળ કહ્યા છે. (૪૬) હેંતાલીસમા સમવાયમાં કહ્યું છે કે દષ્ટિવાદમાં સેંતાળીશ માતૃકાપદો છે. બ્રાહ્મી લિપિના છંતાળીશ માતૃકાક્ષરો છે. પ્રભંજન નામના વાયુકુમારેંદ્રનાં સેંતાળીશ લાખ ભવને છે. (૪૭) સુડતાલીસમા સમવાયમાં કહ્યું છે કે-અત્યંતર મંડળમાં રહેલે સૂર્ય સાધિક સુડતાળીસ હજાર યોજન દૂર હોય ત્યારે અહીંના મનુષ્ય તેને જોઈ શકે છે. સ્થવિર ભગવાન અગ્નિભૂત ગણધર સુડતાળીશ વર્ષ ગ્રહવાસમાં રહી પ્રત્રજિત થયા હતા. (૪૮) અડતાલીસમા સમવાયમાં કહ્યું છે કે દરેક ચક્રવતીને અડતાળીસ હજાર પણ હોય છે, ધર્મનાથ પ્રભુને અડતાળીશ ગણો અડતાળીશ ગણધર હતા. સૂર્ય. મંડળને વિષ્ઠભ એક યોજના એકસઠીયા અડતાળીશ ભાગ પ્રમાણ છે. (૪૯) ઓગણપચાસમા સમવાયમાં કહ્યું છે કે-સાતસમમિકા નામની ભિક્ષુ પ્રતિમાના ઓગણપચાસ દિવસો થાય છે. દેવકુર અને ઉત્તરકુસના મનુષ્યો ઓગણપચાસ દિવસે યૌવનાવસ્થાને પામે છે, ત્રીવિય જીવોની સ્થિતિ ઉત્કૃષ્ટથી ઓગણપચાસ દિવસની છે. * (૫૦) પચાસમા સમવાયમાં કહ્યું છે કે-મુનિસુવ્રતસ્વામીને પચાસ હજાર સાધ્વીઓ હતી. અનંતનાથ અરિહંત પચાસ ધનુષ ઊંચા હતા, પુરુષોત્તમ નામના વાસુદેવ પચાસ ધનુષ ઊંચા હતા (ઉપલક્ષણથી બળદેવ પણ સમજવા), સર્વ દીર્ઘ વૈતાઢય પર્વતોને વિઝંભ પચાસ પચાસ યોજન છે, લાંતક ક૫માં પચાસ હજાર વિમાનો છે, સર્વે તમિત્રા અને ખંડપ્રપાતા નામની ગુહાઓ પચાસ પચાસ યોજન લાંબી છે. સર્વે કાંચન પર્વત શિખર ઉપર પચાસ પચાસ જન વિષ્ક્રભવાળા છે. (૫૧) એકાવનમા સમવાયમાં કહ્યું છે કે-નવ બ્રહ્મચર્ય અધ્યયનના એકાવન ઉદેશનકાળ છે. ચમાર નામના અસુરેંદ્રની સુધર્મા નામની સભામાં એકાવનો સ્તંભે છે. એ જ પ્રમાણે બલીની સભામાં પણ સ્તંભો જાણવા. સુપ્રભ નામના બળદેવ એકાવન લાખ વર્ષનું કુલ આયુષ્ય પાળાને સિદ્ધ થયા, દશનાવરણ (૯) અને નામકર્મની (૪૨) મળીને એકાવન ઉત્તર પ્રવૃતિઓ છે. (૫૨) બાવનમા સમવાયમાં કહ્યું છે કે-મોહનીય કર્મનાં બાવન નામ છે. ગોસ્તૂપ નામના આવાસ પર્વતની પૂર્વ દિશાના અંતથી વડવામુખ નામના મહા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy