SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત પ્રભુ ચાળીશ ધનુષ ઊંચા હતા, ભૂતાનંદ નામના નાગરાજનાં ચાળીશ લાખ ભવનો છે, ક્ષતિલકાવિમાન પ્રવિભક્તિના ત્રીજા વર્ગમાં ચાળીશ ઉદ્દેશકાળ કહ્યા છે. કાલથુન તથા કાર્તિક માસની પૂર્ણિમાને દિવસે પિરિસીની છાયા ચાળીશ અંગુલ પ્રમાણ થાય છે, મહાશુક્ર નામના સાતમા કપમાં ચાળીશ હજાર વિમાને છે. (૪૧) એકતાલીસમા સમવાયમાં કહ્યું છે કે-નમિનાથ પ્રભુને એકતાલીશ હજાર સાધ્વીઓની સંપદા હતી. રત્નપ્રભા, પંકપ્રભા, તમા અને તમતમાં એ ચાર નરક પૃથ્વીના મળીને એકતાળીસ લાખ નરકાવાસા છે, મહાલવિમાનવિભક્તિના પહેલા વર્ગમાં એકતાળીશ ઉદ્દેશનકાળ કહ્યા છે. (૪૨) બેંતાલીસમા સમવાયમાં કહ્યું છે કે-મહાવીરસ્વામી સાધિક બેંતાળીશ વર્ષ ચારિત્ર પાળી સિદ્ધ થયા. જંબુદ્વિપના પૂર્વ દિશાના છેડાથી ગૌસ્તુભ નામના આવાસ પર્વતની પશ્ચિમ દિશાના છેડા સુધી બેંતાળીશ હજાર યોજનાનું આંતરૂં છે. (અર્થાત જગતીથી ૪૨૦૦૦ એજન દૂર છે) એ જ પ્રમાણે બીજી ત્રણ દિશામાં દકભાસ, શંખ અને દકસીમ પર્વતનું પણ આંતરૂં સમજવું, કાલોદ નામના સમુદ્રમાં બેંતાળીશ ચંદ્ર અને બેંતાળીશ સૂર્ય છે. સંમૂછિ મ ભુજપરિસર્ષની ઉત્કૃષ્ટ સ્થિતિ બેંતાળીશ હજાર વર્ષની છે, નામકર્મ બેંતાળીશ પ્રકારનું છે, લવણસમુદ્રમાં બેંતાળીશ હજાર નાગદેવતા અત્યંતર વેલાને ધારણ કરે છે. મહવિલયવિમાનવિભક્તિના બીજા વર્ગમાં બેંતાળીશ ઉદ્દેશકાળ કહ્યા છે. દરેક અવસર્પિણીનો પાંચમ અને છઠ્ઠા આરે મળીને તથા દરેક ઉત્સર્પિણીનો પહેલો અને બીજે આરે મળીને બેંતાળીશ હજાર વર્ષનો હેય છે. (૪૩) તેંતાલીસમા સમવાયમાં કહ્યું છે કે-પુણ્ય પાપરૂપ કર્મવિપાકને દર્શાવનારાં સેંતાળીશ અધ્યયને છે. પહેલી, જેથી અને પાંચમી પથ્વીના મળીને તેંતાળીશ લાખ નરકાવાસા છે. આ જંબુદ્વીપના પૂર્વ દિશાના છેડાથી ગોસ્તૃભ નામના પર્વતની પૂર્વ દિશાના છેડા સુધીમાં (જગતીથી ૪ર૦૦૦ એજન દૂર અને ૧૦રર જનનો ઉપર વિકૅભ હોવાથી) કાંઈક અધિક તેંતાળીસ હજાર યોજનાનું આંતરૂં છે, એ જ પ્રમાણે બીજી ત્રણ દિશામાં દકભાસ, શંખ અને દકસીમ પર્વતનું પણ આંતરૂં છે. મહાલિકાવિમાન પ્રવિભક્તિના ત્રીજા વર્ગના તેંતાળીશ ઉદ્દેશન કાળ કહ્યા છે. (૪૪) ચુમ્માલીસમા સમવાયમાં કહ્યું છે કે-ગાષિભાષિતનાં ચુંમાળીશ અધ્યયન છે. વિમળનાથ પ્રભુના ચુંમાળીશ પુરુષયુગ અનુક્રમે સિદ્ધ થયા છે. ધરણેનાગરાજનાં ચુંમાલીશ લાખ ભવને છે, મહાલિકાવિમાનવિભક્તિના ચોથા વર્ગમાં ચુંમાળીશ ઉદેશનકાળ છે, (૪૫) પીસ્તાલીસમા સમવાયમાં કહ્યું છે કે-અઢી દ્વીપનો આયામ તથા વિધ્વંભ પીસ્તાલીશ લાખ જન છે. સીમંતક નામના નરકાવાસનો આયામ વિઝંભ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy