SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૪. શ્રીસમવાયાંગસૂત્રનો પરિચય) ૧૨૭ (૧૮) અઢારમા સમવાયમાં કહ્યું છે-કે અઢાર પ્રકારનું બ્રહ્મચર્ય છે. અરિષ્ટ નેમિને અઢાર હજાર સાધુઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. મહારસ્વામીએ સાધ્વાચારનાં અઢાર સ્થાને કહ્યાં છે, આચારાંગસૂત્રના અઢાર હજાર પદો છે, બ્રાહ્મી લિપિ અઢાર પ્રકારની છે, અસ્તિનાસ્તિપ્રવાદ પૂર્વમાં અઢાર વસ્તુ છે, પાંચમી પથ્વીને વિસ્તાર (પિંડ) -એક લાખને અઢાર હજાર યોજન છે, અષાઢ માસમાં એક વખત અઢાર મુહુર્તનો દિવસ અને પોષ માસમાં એક વખત અઢાર મુહૂર્તની રાત્રિ થાય છે. રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકીઓની અઢાર પોપમની સ્થિતિ છે, છઠ્ઠી પૃથ્વીમાં કેટલાક નારકીઓની અઢાર સાગરોપમની સ્થિતિ છે, કેટલાક અસુરકુમાર દેવોની અઢાર પલ્યોપમની સ્થિતિ છે, સૌધર્મ અને ઈશાન ક૫માં કેટલાક દેવની અઢાર પોપમની સ્થિતિ છે. સહસ્ત્રાર કલ્પને વિષે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ અઢાર સાગરોપમની છે. પ્રાણુતક૫માં જઘન્ય સ્થિતિ અઢાર સાગરોપમની છે. કાલ વિગેરે વિમાનમાં ઉત્પન્ન થયેલા દેવેની ઉત્કૃષ્ટ સ્થિતિ અઢાર સાગરોપમની છે, તે તે અઢાર પખવાડીએ ધાસ લે છે અને અઢાર હજાર વર્ષે આહાર ઇ છે છે, કેટલાક ભવ્ય છે અઢાર ભવે મોક્ષ પામશે. (૧૯) ઓગણીસમા સમવાયમાં કહ્યું છે કે-ગાતાસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધમાં ઓગણસ અધ્યયને છે. જે બૂદ્વીપના બને સૂર્યો નીચે અને ઊંચે મલીને ઓગણીશ સે યોજન તાપ (પ્રકાશ) આપે છે (આ પ્રમાણ કુબડી વિજયને અંગે છે). શુક નામનો ગ્રહ ઓગણીશ નક્ષત્રો સાથે ચાલે છે. જમ્બુદ્વીપના ગણિતમાં યોજનના ઓગણીશમા ભાગને કલા કહી છે. ઓગણીશ તીર્થકરેએ રાજ્ય ભેગાવ્યા પછી દીક્ષા લીધી હતી. રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકીની ઓગણીશ પલ્યોપમની સ્થિતિ છે, છઠ્ઠી પૃથ્વીમાં કેટલાક નારકોની ઓગણીશ સાગરોપની સ્થિતિ છે, સૌધર્મ અને ઈશાન કપમાં કેટલાક દેવોની ઓગણીશ પોપમની સ્થિતિ છે. આનત ક૯૫માં ઉત્કૃષ્ટ સ્થિતિ ઓગણીશ સાગરોપમની છે, પ્રાણત ક૯પમાં જઘન્ય સ્થિતિ ગણીશ સાગરેપમની છે, આનત વિમાનમાં ઉત્પન્ન થયેલા દેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ એગણીશ સાગરોપમની છે, તે દેવો ઓગણીશ પખવાડીએ ધાસ લે છે અને ઓગણીશ હજાર વર્ષે આહાર ઈરછે છે. કેટલાક ભવ્યો ઓગણીશ ભવે મોક્ષે જશે. (ર૦) વીસમા સમવાયમાં કહ્યું છે કે–અસમાધિનાં વીશ સ્થાનો છે, મુનિસુવ્રત પ્રભુ વીશ ધનુષ ઊંચા હતા, સાત નરક નીચેના સર્વે ઘનોદધિઓ વીશ હજાર યોજના જાડા છે, પ્રાણત કલ્પના દેવેન્દ્રને વીશ હજાર સામાનિક દેવો છે. નપુંસકવેદરૂપ મેહનીય કર્મની બંધસ્થિતિ વીશ સાગરોપમ કટાકોટિની છે. પ્રત્યાખ્યાન નામના પૂર્વમાં વીશ વસ્તુ છે; અવસર્પિણી અને ઉત્સર્પિણીનું પ્રમાણુ બંનેનું મલીને વીશ કટાકેટિ સાગરેપમનું છે, તે એક કાલચક્ર કહેવાય છે. રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકીઓની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy