SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ શ્રીવિજયપધસૂરીશ્વરસ્કૃત કેટલાક અસુરકુમાર દેવોની પંદર પાપમની સ્થિતિ છે. સૌધર્મ અને ઈશાન કલ્પને વિષે કેટલાક દેવોની પંદર પોપમની સ્થિતિ છે. મહાશુક કલ્પમાં કેટલાક દેવની પંદર સાગરોપમની સ્થિતિ છે. નંદ વિગેરે વિમાનોમાં ઉત્પન્ન થયેલા દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ પંદર સાગરોપમની છે; તે દેવો પંદર પખવાડીએ શ્વાસ લે છે અને પંદર હજાર વર્ષે આહાર ઇરછે છે. કેટલાક ભવ્ય જીવો પંદર ભવવડે મોક્ષમાં જનારા હોય છે. (૧૬) સેલમાં સમવાયમાં કહ્યું છે કે-સૂત્રકૃતાંગમાં સોલ અધ્યયનમાં છેલું ગાથા ષોડશક નામનું અધ્યયન છે. સેલ પ્રકારના કષાય છે, મેરુ પર્વતનાં સેલ નામ છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુને સોલ હજાર સાધુઓ હતા. આત્મપ્રવાદ નામના પૂર્વમાં સલ વસ્તુ છે. અમરેંદ્ર અને બલીદ્રના પ્રાસાદ મધેની પીઠિકાનો વિષ્કભ સોલા હજાર યોજન છે. લવણસમુદ્રના મધ્ય ભાગે વેલની વૃદ્ધિ સેલ હજાર જનની છે. રત્નપ્રભા પથ્વીમાં કેટલાક નારકીઓની સેલ પલ્યોપમની સ્થિતિ છે, પાંચમી પવીમાં કેટલાક નારકીઓની સેલ સાગરોપમની સ્થિતિ છે. કેટલાક અસુરકુમાર દેવોની સોલ પલ્યોપમની સ્થિતિ છે. સૌધર્મ અને ઈશાન ક૫માં કેટલાક દેવેની સેલ પોપમની સ્થિતિ છે. મહાશુક કપમાં કેટલાક દેવોની સેલ સાગરોપમની સ્થિતિ છે. આવ7 વિગેરે વિમાનમાં ઉત્પન્ન થયેલા દેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ સેલ સાગરોપમની છે. તે દેવ સેલ પખવાડીએ ધાસ લે છે અને સેલ હજાર વર્ષે આહાર ઇચ્છે છે. કેટલાક ભવ્ય જીવો સેલ ભવે મોક્ષે જવાના હોય છે. (૧૭) સત્તરમા સમવાયમાં કહ્યું છે કે-સત્તર પ્રકારનો અસંયમ છે. સત્તર પ્રકારને સંયમ છે. માનુષેત્તર પર્વત સત્તરસ ને એકવીશ યોજન ઊંચા છે. સર્વ વલંધર અને અનુલંધર નાગરાજના આવાસ પર્વત સત્તરસે ને એકવીશ જન ઊંચા છે. લવણસમુદ્ર મંથના દશ હજાર યોજનમાં તલીયાથી શિખાના ઉપરના ભાગ સુધી સત્તર હજાર યોજન ઊંચે છે. રનપ્રભા પથ્વીના સમભૂભાગથી સાધિક સત્તર હજાર યોજન ઊંચે ગયા પછી જ ઘાચારણ અને વિદ્યાચારણ મુનિ તિરછીગતિ કરે છે. ચમરે તને તિબિંછકૂટ સત્તરસ ને એકવીશ પેજન ઊંચે છે, તે જ પ્રમાણે બલીદ્રને ચકેટ પણ છે. મરણના સત્તર પ્રકાર છે. સૂક્ષ્મપરાય ગુણસ્થાને રહેલા ભગવાન સત્તર કર્મપ્રકૃતિને બાંધે છે. રત્નપ્રભા પૂથ્વીમાં કેટલાક નારકીઓની સત્તર પલ્યોપમની સ્થિતિ છે. પાંચમી પથ્વીમાં ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તર સાગરોપમની છે, છઠ્ઠી પૃથ્વીમાં સત્તર સાગરેપમની જઘન્ય સ્થિતિ છે, કેટલાક અસુરકુમાર દેવેની સત્તર પોપમની સ્થિતિ છે, સૌધર્મ અને ઈશાન કલ્પમાં કેટલાક દેવેની સત્તર પોપમની સ્થિતિ છે, મહાશુક. કલ્પમાં દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તર સાગરોપમની છે, સહસ્ત્રાર કલ્પમાં જઘન્ય સ્થિતિ સત્તર સાગરેપમની છે, સામાન વિગેરે વિમાનોમાં ઉત્પન્ન થયેલા દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ સાર સાગરોપમની છે. તે દેવો સત્તર પખવાડીએ શ્વાસ લે છે અને સત્તર હજાર વર્ષે આહાર ઇરછે છે. કેટલાક ભવ્ય જીવો સત્તરમે ભવે મોક્ષે જશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy