SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ શ્રીવિજયસૂરીશ્વરકૃત એ સાત નક્ષત્ર ત્રણ ત્રણ તારાવાળાં કહ્યાં છે. કેટલાક દે, નારકી છે, મનુષ્યો ને તિર્ય“ચેની સ્થિતિ ત્રણ પાપમની હોય છે ને કેટલાક દે ને નારકીઓની સ્થિતિ ત્રણ સાગરોપમની હોય છે, તે કહેલ છે. જે દેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ સાગરોપની છે, તે દે ત્રણ પખવાડીએ ધાસ લે છે અને ત્રણ હજાર વર્ષે આહાર ઇરછે છે. કેટલાક ભવ્ય છ ત્રણ ભવડે સિદ્ધ થવાના હોય છે. આ પ્રમાણે દરેક સમવાયમાં સમજવું. (૪) ચોથા સમવાયમાં–ચાર કષાય, ચાર ધ્યાન, ચાર વિકથા, ચાર સંજ્ઞા, અને ચાર પ્રકારે બંધ કહ્યા છે. એક એજનના ચાર ગાઉ કહ્યા છે, અનુરાધા, પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા એ ત્રણ નક્ષત્રો ચાર ચાર તારાવાળાં કહ્યાં છે. કેટલાક દેવો ને નારકી છે ચાર ૫ પમ ને ચાર સાગરોપમની સ્થિતિવાળા હોય છે, તે કહેલ છે. જે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ચાર સાગરોપમની કહી છે, તે દેવ ચાર પખવાડીએ શ્વાસ લે છે. અને ચાર હજાર વર્ષે આહાર ઇચ્છે છે. કેટલાક ભવ્ય જીવો ચાર ભવ વડે સિદ્ધ થવાના હોય છે. (૫) પાંચમા સમવાયમાં—પાંચ ક્રિયા, પાંચ મહાવ્રત, પાંચ કામગુણ, પાંચ આશ્રદ્વાર, પાંચ સંવરદ્વાર, પાંચ નિજ રાસ્થાન, પાંચ સમિતિ અને પાંચ અસ્તિકાય કહ્યા છે. રોહિણી, પુનર્વસુ, હસ્ત, વિશાખા અને ધનિષ્ઠા એ પાંચ નક્ષત્રો પાંચ પાંચ તારાવાળાં કહ્યાં છે. કેટલાક નારકીઓ ને દેવો પાંચ પલ્યોપમની ને પાંચ સાગરેપમની સ્થિતિવાળા હોય છે, તે કહેલ છે. જે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ પાંચ સાગરોપમની છે, તે દેવો પાંચ પખવાડીએ શ્વાસ લે છે અને પાંચ હજાર વર્ષે આહાર ઇરછે છે. કેટલાક ભવ્ય જીવો પાંચ ભવવડે સિદ્ધ થવાના હોય છે. (૬) છઠ્ઠા સમવાયમાં-છ લેશ્યા, છ જવનિકાય, છ પ્રકારને બાહ્ય તપ, છે પ્રકારનો આત્યંતર તપ, છ છાઘસ્થિક સમુદ્દઘાત અને છ પ્રકારને અર્થાવગ્રહ કહ્યો છે. કેટલાક દે ને નારકી છ છ પોપમ ને છ સાગરોપમની સ્થિતિવાળા હોય છે, તે કહેલ છે. જે દેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ છ સાગરોપમની કહી છે, તે દે છે પખવાડીએ શ્વાસ લે છે અને છ હજાર વર્ષે આહાર ઇચ્છે છે. કેટલાક ભવ્ય જીવો ૬ ભવવડે સિદ્ધ થવાના હોય છે. (૭) સાતમા સમવાયમાં-સાત ભયસ્થાને, સાત સમુદ્રઘાત, મહાવીર સ્વામી સાત હાથ ઊંચા હતા, આ જંબુદ્વીપમાં સાત વર્ષધર પર્વતો છે અને સાત ક્ષેત્રો છે, ક્ષીણમહીં ભગવાન મોહનીય સિવાયની સાત કર્મપ્રકૃતિને વેદે છે, મઘા નક્ષત્રના સાત તારાઓ છે, કૃત્તિકા (પાઠાંતરે અભિજીત) વગેરે સાત નક્ષત્રો પૂર્વ દિશાના દ્વારવાળાં છે, અને મઘા વિગેરે સાત નક્ષત્રો દક્ષિણ દ્વારવાળાં, તથા અનુરાધા વિગેરે સાત નક્ષત્રો પશ્ચિમ દ્વારવાળાં અને ધનિષ્ઠા વિગેરે સાત નક્ષત્રો ઉત્તર દ્વારવાળાં કહ્યાં છે. કેટલાક દેવો ને નારકીઓ સાત પલ્યોપમ અને સાત સાગરોપમની સ્થિતિવાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy