SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કરણાવલી (૩. શ્રીસ્થાનાંગસૂત્રને પરિચય) ૧૧૧ સભાઓ જણાવી ધનિષ્ઠા વગેરેના તારાઓ અને પાંચપ્રદેશી ખંધ વગેરે પદાર્થો કહ્યા છે. સ્થાનાંગના પાંચમા અધ્યયનને ટૂંક પરિચય પૂર્ણ થયે, સ્થાનાંગના છડું અધ્યયનને ટૂંક પરિચય અહીં ગણને ધારણ કરતાં થતાં ૬ ગુણ અને કાલગત સાધર્મિકના આચાર તથા સંસારીના ભેદ, ગતિ, આગતિ તેમજ અબીજ વગેરે જણાવી જીવોના છ ભેદ અને ૬ દુર્લભ પદાર્થો તથા સંવરના-અસંવરના ને શાતા-અશાતાના તથા પ્રાયશ્ચિત્તના છે. ભેદો કહ્યા છે. પછી સંમૂર્ણિમ વગેરે મનુષ્યોની બીના અને ઋદ્ધિવાળા વગેરેના ભેદો તથા હૈમવત વગેરેની બીના અને છ આરા તથા સુષમસુષમા કાલના દેવકરૂ-ઉત્તરકારના મનુષ્યના શરીરની ઊંચાઈ તેમજ આયુષ્ય કહી ૬ સંઘયણ અને ૬ સંસ્થાન કહી અહિતનાં ને હિતનાં કારણે તથા પર્યાય વગેરેની બીના કહી છે. પછી આર્યના ભેદો અને લોકની સ્થિતિ તથા છ દિશાએ છવાદિની ગતિ-આગતિ વગેરે તેમજ આહાર લેવાનાં ને નહિ લેવાનાં કારણે કહ્યાં છે. પછી ઉમાદનાં છ કારણે અને પ્રમાદના ૬ ભેદ તથા પ્રતિલેખનાના ભેદે કહી શક વગેરેની અમહિષીઓ અને ઈશાનેન્દ્રની મધ્યમ પર્ષદાના દેવોની સ્થિતિ તથા દિશિકુમાર અને વિઘુકુમાર નિકાયની મહત્તરિકા દેવીએ તેમજ ધરણ, ભૂતાનન્દ વગેરેની અગ્રહિષીઓ અને સામાનિક દેવોનું (પડિલેહણાનું સ્વરૂપ) વર્ણન કર્યું છે. પછી અવગ્રહ, ઈહા, અપાય અને ધારણાના બહુ વગેરે ભેદો તથા બાહ્ય-અત્યંતર ત૫ના છ છ ભેદો અને વિવાદની બીના કહી શુદ્ધ પ્રાણે, ગોચરી અને નારકી તથા બ્રહ્મદેવેલેકના પાથડા અને નક્ષત્રો કહી અભિચંદ્ર (કુલકર)ની ઊંચાઈ અને ભરતનું ચક્રવતિ પણે પાર્શ્વનાથના વાદીની જણાવી વાસુપૂજ્ય સ્વામીની દીક્ષાના પરિવાર કહ્યો છે. પછી શ્રીચંદ્રપ્રભસ્વામીના છદ્મસ્થપણાના મહિના અને ત્રીન્દ્રિયના અનારંભ વગેરેની બીના કહી જે બૂદ્વીપનાં અને અકર્મભૂમિનાં ક્ષેત્રો કહ્યાં છે. પછી વર્ષધર અને મેરૂની દક્ષિણના ને ઉત્તરના કુટ તથા મહાહદ તેમજ તેની દેવીઓ અને નદીઓ તથા પૂર્વ પશ્ચિમ વિભાગની આંતર નદીઓ કહી છે. એ પ્રમાણે ધાતકીખંડની પણ બીના જણાવી છે. પછી તુ અને ક્ષયતિથિ તથા વૃદ્ધિતિથિઓ છ છ કહી અર્થાવગ્રહના ને અવધિજ્ઞાનના તથા અવચનના ૬ ભેદ કહી વૈમાનિક કપના પાથડા અને સંયમના ૬ પરિમંથુ (વિન) જણાવ્યા છે. પછી કલ્પસ્થિતિ જણાવી શ્રીવીરપ્રભુને દીક્ષા સમયને ને મેક્ષસમયને તપ તથા સનમાર અને મહેન્દ્ર દેવલોકના દેના શરીરની ઊંચાઈ જણાવી ભેજનાદિના પરિણામ કહ્યા છે, પછી સંશયાદિ પ્રશ્નો અને ચમચંચા રાજધાનીની બીના કહી માઘવતી નામની સાતમી નરકને અને સિદ્ધિનો વિરહકાલ કર્યો છે પછી નિધત્તાયુષ્ય વગેરે ૬ ની અને ઔદચિક વગેરે ભાવની બીના કહી (સંક્ષેયાયુબંધ અને અસંમેયાયુબંધ) છ ભાવના ભેદો અને ઉચ્ચારાદિ પ્રતિક્રમણ વગેરેની બાના તથા કૃત્તિકા અશ્લેષાના તારાઓ તેમજ છ પ્રદેશવાળા સ્કંધ વગેરે પદાર્થોનું સ્પષ્ટ વર્ણન કર્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy