SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ શ્રીવિજયપત્રસૂરીશ્વરકૃત મુનિએ પહેલા પ્રાકાલ (પર્યુષણાની પહેલાના કાલ) માં વિહાર ન કરે અને પર્યુષણ વીત્યા બાદ જે જ્ઞાનાદિનું ખાસ કારણ ન હોય તે વિહાર ન કરાય, પછી હસ્તકર્મ વગેરે પાંચ મોટાં કર્મ અને રાજાના અંઉરમાં દાખલ થવાનાં કારણે તથા પુરૂષને સંસર્ગ થયા વિના પણ ગભધારણનાં અને પુરૂષને સંસર્ગ થાય તો પણ ગર્ભધારણ ન થવાનાં પાંચ પાંચ કારણે અને પાંચ કારણે સાધુ-સાધી મર્યાદા જાળવી એક સ્થલે રહેતાં આરાધક ગણાય એમ કહી આશ્રવાદિના પાંચ મેદો અને આરંભિકી વગેરે ને કાયિકી વગેરે પાંચ ક્રિયાઓ તથા ઉપધિ વગેરેની પરિજ્ઞાના પાંચ ભેદો જણાવ્યા છે. પછી આગમવ્યવહારાદિ વ્યવહારના પાંચ ભેદો અને ૫ચમાસિક દત્તિઓ તથા ઉદ્દગમ વગેરે ઉપઘાતની વિશુદ્ધિ અને દુલભાધિપણાનાં ને ચાલભાધિપણાનાં પાંચ પાંચ કારણે કહ્યાં છે. પછી સંલીનતાદિના ને સંવરાદિના તથા સંયમ અને વનસ્પતિના ભેદ (ચારિત્રનું સ્વરૂપ) જણાવી જ્ઞાનાચારાદિના ને આરેપણના ભેદો કહ્યા છે. પછી જંબુદ્વીપ, ધાતકીખંડ, પુષ્કરવીપાઈ, સીતા, સારા વક્ષસ્કાર, દેવકર, ઉત્તરકુર, હદ, સમયક્ષેત્ર તથા ભરત વગેરેનો અધિકાર જણાવીને શ્રીષભદેવ, ભરતચક્રી, બાહુબલી, બ્રાહ્મી તથા સુંદરીના શરીરનું પ્રમાણ કહ્યું છે. પછી સુવિધનાં કારણે, નિગનથીગ્રહણનાં કારણે તથા આચાર્ય ઉપાધ્યાયના અતિશય કહી આચાર્ય, ઉપાધ્યાય ને ગણપક્રમણનાં કારણે કહ્યાં છે. પછી અતિ વગેરે ઋદ્ધિવાળા મહાપુરૂષોની બીના વગેરેનું સ્પષ્ટ વર્ણન કર્યું છે. શ્રીસ્થાનાંગસૂત્રના પાંચમા અધ્યયનના ત્રીજા ઉદ્દેશાને રંક પરિચય અહીં પાંચ અસ્તિકાય અને ગતિ પાંચ તથા બાદર તેહ-વાયુની બીના (ઇંદ્ધિનું સ્વરૂ૫) કહી પાંચ નિગ્રંથ અને વાપરવા લાયક વસ્ત્ર તથા રદરણ તેમજ (ધર્મમાં) નિશ્રાસ્થાન જણાવી પુત્રાદિ નિધિ અને શૌચનું વર્ણન કરી મહાનિરય, વિમાન, હીમત્તાદિ પુરૂષ, અતિથિ વગેરે વનપકે કહ્યા છે. પછી એ ચેલકના પ્રશસ્તપણાનાં કારણે અને પાંચ સમિતિ તથા સંસારી જીવના ભેદો, તેમજ એ કેન્દ્રિયાદિની ગતિઆગતિ કહી સર્વ જીવોના ભેદ અને તલ વગેરેને પનિકાલ કહે છે. પછી સવંત્સરના પાંચ ભેદો અને જ્ઞાનનું તથા જ્ઞાનના આવરણનું સ્વરૂપ કહી, સ્વાધ્યાયની અને પચ્ચખાણની શુદ્ધિ ૫ જણાવી સૂત્રવાચનનાં તથા શિક્ષણનાં કારણે કહ્યાં છે. પછી આશ્રવાદિનું પ્રતિક્રમણ અને સૌધર્મ-ઈશાન દેવલોકનાં વિમાનના વણ તથા ઊંચાઈ તેમજ બ્રહ્મ દેવલોક તથા લાંતક દેવલોકના દેવોનાં શરીરની ઊંચાઈ જણાવી પાંચ વર્ણો વગેરે બીના જણાવી છે. પછી પુદગલબંધો અને ગંગા વગેરે નદીઓ તથા કમાર તીર્થકરોનાં નામ તેમજ ચમરચંચા રાજધાની, સભા અને ઈદ્રસ્થાન તથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy