SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૩] આપે છે કે-“હે ભવ્ય છે ! ચારે બાજુથી સળગી ઉઠેલા ઘરની જેવી સ્થિતિ હોય, તેવી જ આ વિવિધ પ્રકારના સંસારની સ્થિતિ છે. અહીં જેમ ઘરમાં અને તેની આજુબાજુ અગ્નિ સળગે છે, તેવી રીતે સંસારમાં પણ આધિ વ્યાધિ અને ઉપાધિ રૂપી અગ્નિ સળગી રહેલો છે. જેના ઘરમાં લાહ્ય લાગી હોય હોય, તે ઘરવાળા જીવોને જેમ લગાર પણ શાંતિ ન હોય, તેમ સંસારી જીવોને પણ શાંત હોતી નથી. કારણ કે સંસારમાં તેઓને માંદગી, કુટુંબનું પિષણ, નેકરી, વિગેરેનાં ઘણાં દુઓ ભેગવવા પડે છે. તેથી સંસારને દુ:ખનું ઘર કહીએ તો પણ ચાલે. એટલે તેમ કહેવામાં લગાર પણ અતિશયોક્તિ (ગેરવ્યાજબી પણું ) છે જ નહિ. આ વાતને બરાબર ધ્યાનમાં રાખીને સમજુ ભવ્ય એ લગાર પણ પ્રમાદ સેવો ન જોઈએ. એટલે પ્રમાદને દૂર કરીને અપૂર્વ આનંદથી શ્રી જનધર્મની નિર્મલ આરાધના કરવી જોઈએ. તેમાં યાદ રાખવું જોઈએ કે (૧) શ્રી અરિહંત, સિદ્ધ, સાધુ અને શ્રી કેવલિ ભગવંતે કહેલા ધર્મને શરણને અંગીકાર કરવું (૨) સુકૃત ( દાનાદિ)ની અનુમોદના કરવી અને (૩) દુષ્કતની ગહ કરવી. એમ સાધનોની સેવા કરવાથી એટલે એ ત્રણે સાધનાની નિરંતર વિચારણું કરવા પૂર્વક આરાધના કરવાથી તથા ભવ્યપણું વિગેરે સાધન મળી શકે છે. અને તેથી પાપ કર્મ નાશ થાય છે, તેથી નિર્મલ ધર્મની આરાધના થાય છે. અને ત્યાર બાદ સંસારને જરૂર નાશ થાય છે. આ મનુષ્યપણું હેજે મળતું નથી, પણ પ્રબલ પુણ્યનો ઉદય થાય, ત્યારે મલે છે. અને પરલોકની એટલે નિર્મલ સંયમારાધન વિગેરે સ્વરૂપ મોક્ષ માર્ગની સાધના કરવાથી તે મનુષ્યપણું સફલ બને છે, હે ભવ્ય છે! તમે વિષય રૂપી ચેરની પલ્લીનો લગાર પણ વિશ્વાસ કરશે નહિ. કારણ કે એના પંજામાં સપડાયેલા છે જે ભયંકર દુર્ગતિના બહુ સાગરોપમ સુધી દુ:ખ ભગવે છે, તેમાં વિષયે જ કારણ છે. હાલ જેને સંયોગ થયો છે, તેનો વિયોગ જરૂર થવાને જ. વળી જીવનદારી કયારે ગુટશે? તેની તમને ખબર નથી, માટે સાવચેત બનીને ધર્મની સાધના કરજે. અને એમ કરવાથી સંસાર રૂપી દાવાનલ જરૂર બૂઝાશે. કારણ કે શ્રી જિનધર્મ એટલે શ્રી જિનધર્મની સાધના મેઘ જેવી છે, તે ધર્મમેઘ શ્રી જેના મને નિરંતર સાંભળતાં જે વાસના (એક જાતનો દઢ સંસ્કાર) હૃદયમાં જામે, તે વાસના રૂપી પાણીની ધારાને ધારણ કરે છે. અને સંસાર રૂપી દાવાનલને ઠારે છે. માટે શ્રી જેનાગામ સ્વરૂપ સિદ્ધાંતની બહુમાન પૂર્વક ભક્તિ કરવી જોઈએ, અને તે સિદ્ધાંતના જાણકાર મહાપુરુષોની પણ ખરા દીલથી સેવના કરવી જોઈએ, કારણ કે તેમની સેવન કરવાથી આત્મષ્ટિ વિકસ્વર બને છે, તથા સંયમ ધર્મ તરફ લક્ષ્ય પણ ટકે છે. આ વાતને ધ્યાનમાં રાખીને હે ભવ્ય છે ! ખરાબ જીવોના વર્તનનું આલંબન લેશે નહિ, અને શ્રી જિનેશ્વર પ્રભુની આજ્ઞા પ્રમાણે વર્તો, અને આત્મ સ્વરૂપની ચિતવના કરજો, તથા ઉત્તમ સાધુ પુરુષોની સેવા કરજો, તેમજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy