SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૨. શ્રીસૂત્રકૃતાંગસૂત્રને પરિચય) વેદના હોય, અને બાકીની નરકમાં ક્ષેત્રાદિના અનુભાવથી વેદના હોય છે. પછી પરમાધામીનાં નામ અને કાર્યો, તથા નરકમાં વેદના જણાવી કહ્યું કે, રૌદ્રપાપી જીવ નરકે જાય છે. પછી નરકના જીવોને ગભરાટ, દાહ, વૈતરણી નદીમાં તરવું, ને શૂલાદિથી વીંધાવું તથા પાણીમાં ડૂબવું, પાચન, (ભઠ્ઠીમાં પાળવું) ઉકળાટ, તાપનું સહન, હસ્તાદિ-છેદ વગેરે જણાવી કહ્યું કે લેહીની ઉલ્ટી થાય, તે પણ નારકી મરે નહિ. તથા પરમાધામીઓ નારકને પહેલાં કરેલ પાપ યાદ કરાવી અશુટ્યાદિ પદાર્થો ખવરાવે છે. ને તેની કેદી જેવી હાલત અને ક્ષારક્ષેપ જણાવી કહ્યું કે પરમાધામી નારકીને સીસું વગેરે પીવરાવે છે. થોડા સુખને માટે આત્મવંચક છે પાપ કરી નરકે જાય છે, વગેરે બીના સ્પષ્ટ જણાવી છે. પહેલા ઉ૦ હૂં ૫૦ પૂ૦ થ. પાંચમા અધ્યયનના બીજા ઉદેશાને ટૂંક પરિચય અહીં નારકીના બંધન, પાટન, રથાદિ જિન, ઉત્પતન, ખાદન, ચિતાગ્નિમાં ક્ષેપ, હાથ પગનું બાંધવું, વિવિધ ઘાત તથા ગાલભક્ષણાદિ દુઃખે વર્ણવ્યાં છે. પછી કહ્યું કે, તે જીવો શરણ વિનાની સ્થિતિમાં દુ:ખ ભેગવે છે, ને એકાંત દુ:ખથી ભરેલું નરક સ્થાન છે; એમ સમજીને મુનિએ અહિંસક, અપરિગ્રહી, લેકને અવશે, ધુવાચારી થવું. બી. ઉoને ટૂંક પરિચય પૂર્ણ થયો. પાંચમા અધ્યયનને ટૂંક પરિચય પૂર્ણ થયો. વીરસ્તુતિ નામના છઠ્ઠા અધ્યયનને રંક પરિચય અહીં કહ્યું છે કે પ્રભુ શ્રી મહાવીરદેવ એકાંત-હિતકારી ધર્મના કહેનાર છે. પછી તેમનું સ્વરૂપ જાણવાને પૂછેલા પ્રશ્ન ને તેને ઉત્તર જણાવી, વીરના અને સ્તુતિના નિક્ષેપા, અને પ્રધાનપદના નિક્ષેપ તથા અર્થ, વળી પ્રભુના સર્વદર્શિતાદિ ગુણે કહી સૂર્યાદિની ઉપમાએ પ્રભુના વખાણ કર્યા છે. વળી પ્રભુ કમલ વગેરેની જેમ ઋષિઓમાં શ્રેષ્ઠ છે, તથા દાનાદિમાં અભયદાનાદિની જેમ પ્રભુ વીર લકત્તમ છે. લવ સમાદિની જેમ પ્રભુ વીર પરમજ્ઞાની છે. અહીં અભયદાને ચારની કથા કહી પૃથ્વીની ઉપમા વગેરે જણાવી કહ્યું કે, કિયાવાદાદિના જાણકાર પ્રભુ હતા, અને તે શ્રી મહાવીર સીસંગને તજીને આધ્યાત્મિક દશામાં વિચરતા હતા. વગેરે બીના સ્પષ્ટ જણાવી છે. છઠ્ઠા અધ્યયનને ટૂંક પરિચય પૂર્ણ થશે. સાતમા કુશીલ પરિભાષિત અધ્યયનને ટ્રેક પરિચય અહીં શીલપદના નિક્ષેપ અને સ્વરૂપ જણાવી અવિરતના અધિકારમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy