SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ શ્રી વિજ્યપદ્ધસૂરીશ્વરકૃત કમળ કે કઠોર વચનને સહન કરનાર મુનિમને સાધી આત્મહિત કરે છે. વળી સાધુઓ વિષયથી વિરકત બની બીજાને ધર્મમાં જોડે છે. શબ્દાદિને ને માયાને તજનાર, સમાધિને જાણનાર, નિર્મમ, વિવેકી, નિ:સ્નેહ, તપસ્વી, ઇન્દ્રિયોને વશ કરનાર તથા ગુરૂની આશાએ વર્તાનાર સાધુ ભવસમુદ્રને તરી જાય વગેરે હકીકત પણ સ્પષ્ટ સમજાવી છે. સૂત્રકૃતાંગના બીજા અધ્યયનના ત્રીજા ઉદ્દેશાને ટૂંક પરિચય અહીં કહ્યું છે કે સંયમથી દુ:ખને ક્ષય થાય છે. સ્ત્રીથી વિરક્ત મુનિ ભવસમુદ્રને તરેલના જે ગણાય છે. તથા કામ એ રોગનું કારણ છે, એમ જાણતા મુનિવર આચાર્ય કહેલાં તેને ધારણ કરે છે. પણ સુખશેલીયા કામમાં આસક્ત હોય છે, તેથી તેઓને સમાધિનું ખરું જ્ઞાન હોતું નથી. તેવા અસાધુઓ લુગતિને પામે છે, એમ સમજીને આત્માને હિતશિક્ષણ દેવું જોઈએ. મુનિયે એક-બેદાદિનો ત્યાગ કરવો. સો વર્ષને વૃદ્ધ પણ જે કામી થાય, તો નરકે જાય. આરંભાદિ પાપનાં નિમિત્તોથી ભરેલે આ લોક છે. તેમાં બાલ છવ (અજ્ઞાની) ક્ષણભંગુર આયુષ્ય છતાં નિર્લજજ બની વર્તમાનને (મળેલા ભેગના સાધનને) જૂવે છે. મોહથી મિથ્યાવ બંધાય, વળી ફરી દુ:ખ મળે, ફરી મેહ બંધાય એ રીતે ઘટમાળ ચાલે છે. જશ-પૂજાને ચાહે નહિ, સર્વ જીવોને પિતાના જેવા ગણવા, જો અદેખાઈ ન કરે તો ગૃહસ્થ છતાં દેવ થાય. ભિક્ષુ ઉછાહાર કરે; ધર્માથી બને તથા તપમાં વિર્ય ફેરવે. પછી વેદનાના બે ભેદ કહી જણાવ્યું કે સંસારમાં જીવ ગત્યાગતિ એકલો જ કરે છે, તે બંને કર્મજન્ય છે. જન્માદિના દુઃખથી છ ગભરાય છે. બેધિ દુર્લભ છે. આ મેળેલો જિનધર્મ ત્રણે કાલના જિનેને સંમત છે, તથા અહિંસક અનિદાન જીવો સિદ્ધ થાય છે ને થશે. એવું પ્રભુનું વચન છે. અહીં બીજા વૈતાલીય અધ્યયનનો ટૂંક પરિચય પૂરે થયે. સૂત્રકૃતાંગના ત્રીજા ઉપસર્ગીધ્યયનને ટૂંક પરિચય આ અધ્યયના પણ ૪ ઉદ્દેશ છે. તેમાં પહેલા ઉદ્દેશામાં દ્રવ્ય ઉપસર્ગ તથા ભાવ ઉપસર્ગાદિનું સ્વરૂપ, અને ઉદ્દેશાને ટૂંક સાર, તથા ઉપસર્ગના અનુલોમ-પ્રતિલામ એમ બે ભેદ, વળી અધ્યાત્મ શુદ્ધિ, અને પરવાદિનું વચન, ખલિતશીલ મુનિને પ્રજ્ઞાપના, ( દેશના) જણાવી કહ્યું કે, જેમ યુદ્ધમાં શિશુપાલ કૃષ્ણને જોઈને ખિન્ન થયા, તેમ શૈક્ષ (નવ સાધુ) રૂક્ષકાલમાં ને હેમંતની શીત પડતાં ખિન્ન થાય છે. અહીં શિશુપાલની કથા પણ જણાવી છે. પછી તડકામાં માછલાની જેમ નવા મુનિ ઉપસર્ગથી ખેદ પામે છે, ને સામાન્ય સાધુને માંગવું એ દુઃખરૂપ લાગે છે. વળી જેમ યુદ્ધમાં તેમ કર્કશ શબ્દ સાંભળતાં મંધમીજીને ખેદ થાય છે, અને સાધુને જોઈને જે એમ કહે કે, આ નાગા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy