SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાલી (૨. શ્રીસૂત્રકૃતાંગસૂવને પરિચય) કહી જણાવ્યું કે અનિદ્રા એ દ્રવ્યસંબોધ કહેવાય, ને દશનાદિને લાભ એ ભાવસંબોધ કહેવાય. તથા માતાપિતા કર્મકૃત વેદનાથી બચાવી શકતા નથી. વળી સુગતિ દુર્લભ છે અને દરેક જીવ સ્વકૃત કર્મ ભગવે છે, તેમજ કર્મ છે ત્યાં સુધી મોક્ષ ન મળે. દેવાકિનાં સ્થાનમાં દેવોને વાસ અનિત્ય છે, ને ભેગતૃષ્ણા ઘણા પુત્ર છતાં પણ છૂટતી નથી. તથા તમે પિતાના અને પરના ઉદ્ધારને ઉપાય જાણે. વળી નગ્ન એવા માપવાસી છે પણ માયા કરતાં ગર્ભનાં દુ:ખ સહે છે. તમારે જ્યાં સુધી મરણાંત કષ્ટ ન આવે, ત્યાં સુધી જીવવાનું છે. અસંવૃત જીવને મોહ હોય છે. જે મુનિ જયણા પાલે, યોગ (સંયમયોગ) ને સાધે, શાસ્ત્રાનુસારે હિંસાદિને તથા ક્રોધાદિને તજે, તે સાધુ કહેવાય, બધાનાં દુ:ખને ને શરીરની દુર્બલતાને વિચાર કરે, હિંસા કરવી નહીં, ને તપને કરનાર છવો કર્મ ખપાવે છે. તથા સાચા વૈરાગ્યથી દીક્ષિત થયેલા મુનિને પિતા વગેરે સગાંઓ રેઈને બાંધીને ઘેર લઈ જાય, તો પણ તેઓ તેને ચલિત (ભ્રષ્ટ) કરી શકે નહિ. અને “આ તારે પોષવા લાયક છે તેથી તેનું પોષણ કર એમ કહે તો પણ તે સાધુ મૂંઝાય નહિ, વગેરે બીના સ્પષ્ટ જણાવી છે, બીજા વેતાલીયઅધ્યયનના બીજા ઉદેશાનો ટૂંક પરિચય અહીં કહ્યું કે, કમને હણવાની ઇચ્છાવાળા જીવે મદ અને નિંદાને ઠંડી બીજાને તિરસ્કાર ન કરે. તપ-સંયમ-નિર્જરાને મદ પણ ન કરવો. તથા ચકવરી આદિમાં અને નોકર આદિમાં જાવજીવ સુધી સમભાવ રાખે. જે પંડિત અને મોક્ષનો અથી તથા ભવને શત્રુ હોય, તથા કેઈ ક્રોધ કરે કે હણે તો પણ સમતાભાવી હોય, ને ઉત્તર દેવામાં સમર્થ હોય; તથા વિરાધનારહિત, ક્રોધારિરહિત ને હદની જે સ્વચ્છ મન વાળ હેય, ધર્મને કહેનારે હોય, ઘણા માણસે નમે તો પણ સંવરભાવી હોય, ને સર્વ પદાર્થોમાં નીરાગી હોય; તથા “સર્વે દુઃખને ચાહતા નથી, દરેકના પ્રાણ અલગઅલગ છે, તેને સુખગમે છે એવું જાણનાર હોય તથા વિરત અને પંડિત હોય; તથા ધર્મને પારગામી હોય, તેવા મુનિ સ્વજનોને વશ થતા નથી. વળી ઘરવાસમાં તો આ લોકનાં દુઃખ વગેરે હોય છે, તેમજ જે વંદન પૂજનાદિ તે રાગનું કારણ છે. સૂક્ષ્મ પણ શલ્ય દુઃખે ઉતરી શકાય છે. સ્થાન, આસન, સમાધિના પ્રસંગે ને યોગદ્વિહનાદિ ઉપધાન કરવામાં વીર્ય ફેરવનાર હેય. અધ્યાત્મ અને સંસ્કૃત મુનિ બારણું બંધ ન કરે, ને ન ઉઘાડે, તેમજ ચાલતાં બોલે નહિ, ઘાસને છેદે નહિ. ભૈરવાદિ કષ્ટને સહે, જીવવાની કે પૂજાવાની ઇચ્છા ન કરવી ને નિર્ભય થવું. તથા સામાયિકભાવે રહેવું. તેમજ અચિત્તજલ વાપરવું. વળી રાજાને સંગ અસમાધિનું કારણ છે; મુનિએ અધિકરણ (કલેશાદિ) તજવા જોઈએ, સચિત્ત જલ તથા ગૃહસ્થનું ભોજન ન વાપરવું. વળી આયુષ્ય ક્ષણિક છતાં લેક તે નિર્લજજ, અભિમાની, અજ્ઞાની તથા સ્વછંદી અને કપટી છે. તથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy