SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૨. શ્રીસૂત્રકૃતાંગસૂત્રના પરિચય) ૩ જેમાં ઘણું પાણી, કાદવ, ધેાળાં કમળા વગેરે પદાર્થો રહ્યા છે, તે વાવડીની વચમાં એક મુખ્ય મોટું કમળ છે, તેની આજુબાજુ ઊગેલાં બીજા ધેાળાં કમળા ખૂબ શાલી રહ્યાં છે. પૂર્વ દિશામાંથી અહી આવેલા એક પુરૂષે ધેાળા કમળને જોઈ ને કહ્યું કે હું કુશળ છું, પંડિત છું, વિવેકી અને પુખ્ત ઉમરવાળા હું તથા માર્ગની મીના જાણું છું. એમ કહી તે ધેાળા કમળને લેવાની ભાવનાથી વાવડીમાં ઊતર્યાં ખરા, પણ ઠેઠ જતાં પહેલાં જ પુરૂષ કાદવમાં ખૂંચી ગયા. જેવી હાલત આ પુરૂષની થઈ, તેવી જ હાલત બાકીની દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશામાંથી આવેલા ત્રણ પુરૂષાની પણ થઈ. આ અવસરે રાગાઢિ ઢાષાથી રર્હુિત એક નિચે મહાપુરૂષ આવી ચઢયા. વાવડી તરફ્ જોતાં તે યાળુ મહાપુરૂષે જાણ્યું કે અહીં ચાર પુરૂષા વાવડીમાં ખૂંચી ગયા છે. પછી તેમણે વાવડીના કાંઠે ઊભા રહીને માઢા સ્વરે કહ્યું કે “હું ધેાળા કમળ તું અહીં આવ” એમ કહેતાંવેંત જ તે કમળ તે મહાપુરૂષની પાસે આવ્યુ. અહીં દૃષ્ટાંત પૂરૂ થાય છે. સાધુ-સાધ્વી વગેરે શ્રોતાએ આ દૃષ્ટાંતનું રહસ્ય ન સમજી શકયાં, તેથી પ્રભુ શ્રીમહાવીરદેવ દૃષ્ટાંતની ઘટના કરતાં જણાવે છે કે વાવડી એ સંસાર છે, એનું પાણી તે કર્યાં; કાદવ જેવા કામભોગ સમજવા; જે ધેાળાં કમળા તે જનસમુદાય જાણવા; ઉત્તમ કમળ તે રાજા; ચાર પુરૂષો જેવા અન્ય ધર્મવાદીઓ જાણવા, શ્રમણ નિગ્રંથ મહાપુરૂષ તે જિનેન્ધદેવભાષિત અહિંસાપ્રધાન ધમ જાણવા. કાંઠાના સ્થાને સંઘ સમજવા. નિગ્રથે ઊંચે સ્વરે કહેલાં વચનાને સ્થાને પ્રભુ શ્રીતીર્થંકરદેવની દેશના સમજવી, કમળ ઊડીને જે મહાપુરૂષની પાસે આવ્યું, તેના સ્થાને મુક્તિના સુખના લાભ સમજવા. આ રીતે એ દૃષ્ટાંત ઘટાવીને પ્રભુએ તેનું રહસ્ય જણાવ્યું કે જિનાપદેશને સાંભળી, મનન કરી, કામલેાગ વગેરે આશ્રવાને તજી, સ્યાદ્વાદ શૈલીને અનુસરીને શ્રીજિનધર્મી (સવિરતિ વગેરે)ની સાધના કરનારા ભ થવા કર્મીને હણી જરૂર મુક્તિનાં અવ્યાબાધ સુખ પામે છે. અહીં તજ્જીવતશ્કરીરવાદ, પંચમહાભૂતવાદ, ઈશ્વરને સર્વ કાર્યના કર્તા માનનારાનેા વાદ અને નિતિવાદનુ સ્વરૂપ સમજાવી કહ્યું કે આ ચારે વાદ્યને માનનારા વાદીએ એકાંત પક્ષને માને છે, તેથી તેમની સાધના અધૂરી હાવાથી મેાક્ષરૂપ સાધ્યને સિદ્ધ કરાવી શકતી નથી. કુટુંબ-શરીરાદિની મમતાના ત્યાગ કરવા. અહીં કહેલી બીનાને સમજનારા ને અહિંસાદિ ધને સાધવાપૂર્વક શુદ્ધ આહારાદિથી મુનિજીવનને દીપાવનારા મહાપુરૂષા સુભિક્ષુ કહેવાય છે. તેમના કહ્યા મુજમ ચાલનારા ભવ્ય છવા જરૂર સિદ્ધિનાં સુખ પામે છે. આ હકીકત વિસ્તારથી અહીં જણાવી છે. ૧. ૨. ક્રિયાસ્થાન અધ્યયનના સાર-અહી ક`મધના કારણભૂત અ`દડ, અનદંડ વગેરે તેર ક્રિયાસ્થાનાની હકીકત વિસ્તારથી સમજાવી કહ્યુ` છે કે કર્યાપથિકીક્રિયાસ્થાન સેવવા લાયક છે. જો કે તેનાથી મહુ જ અલ્પ ક" બધાય છે, અને તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy