SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કરવલી ( ૧ શ્રી આચારાંગસૂત્ર-પરિચય) કર્યું છે. પછી જણાવ્યું કે શસ્ત્રપરિજ્ઞાધ્યયનમાંથી આ ચાર અગ્રોને ઉદ્ધાર કર્યો છે. પછી વિસ્તારથી સંયમનું સ્વરૂપ અને મહાવ્રત પાંચ કહેવાનું કારણ તથા દરેક મહાવ્રતની રક્ષણપયોગી પાંચ પાંચ ભાવના જણાવી કહ્યું કે તેને શસ્ત્રપરિણાધ્યયનની અંતર્ગત ગણવી. પછી ચૂડાનું પરિમાણ અને અશનાદિન ને ઔષધિને તથા ગ્રાહ્ય- અગ્રાહ્ય આહારનો વિધિ અને ગૃહસ્થના ઘેર જવાનો વિધિ કહી ફરમાવ્યું છે કે અન્યતીર્થકને અનાદિ ન દેવાય, ને અનેષણય (ન ખપે તેવા) આહારાદિ ન લેવા. પછી અવિશુદ્ધિકેટીનું બીજી રીતે સ્વરૂપ અને વિશાધિકેટીનું સ્વરૂપ જણાવી કહ્યું કે નિત્યપિંડ અને અગ્રપિંડ ન લેવા વગેરે બીના જણાવી છે. આ રીતે પહેલા ઉદ્દેશાન ટૂંક પરિચય પૂરે થયે. પહેલા અધ્યયનના બીજા ઉગાને ટૂંક પરિચય અહીં મુનિને ન લેવા લાયક આહારાદિની બીના જણાવી, ભિક્ષા લેવા જવા ચોગ્ય કુલેની બીના કહી છે. પછી ફરમાવ્યું કે સમવાય વગેરેના અશનાદિ ન લેવાય. બીજા ગામની સંખડી (જમણવાર)ના આહારાદ ન લેવા તથા સ્વભાવે ક્રમસર વિહાર કરતા વચમાં આવેલા ગામમાં “આજે અહીં સંખડી છે એમ જાણતાં મુનિએ બીજી દિશામાં જવું, પણ ત્યાં જવું નહિ વગેરે બીના સ્પષ્ટ સમજાવી છે. પહેલા અધ્યયનના ત્રીજા ઉદ્દેશાને ટૂંક પરિચય અહીં સંખડીને આહાર કરનાર મુનિને લાગતા દો, અને સંખડીમાં જનારને અહીં અને પરભવમાં થતું અહિત જણાવવાના પ્રસંગે જિનકલ્પિકને અધિકાર વણવી કહ્યું કે મુનિ સર્વ ઉપકરણ સહિત ગૃહસ્થને ઘેર ગોચરી ન જાય, તેનું કારણ સમજાવી ફરમાવ્યું કે ઉત્તમ કુલ ૫ણ દૂષિત જણાય તો ત્યાં ગોચરીએ ન જવું, વગેરે બીના સ્પષ્ટ વર્ણવી છે. પહેલા અધ્યયનના ચોથા ઉદ્દેશાને ટૂંક પરિચય મુનિને માંસાદિની સંખડીમાં જવાનો નિષેધ કરી ગાયને દેહતા હોય, ત્યારે વહરવા ન જવાય એમ સૂચવીને બીજે ગામથી આવેલા પાણા જેવા સાધુને આહારવિધિ વગેરે હકીક્ત વિસ્તારથી કહી છે. પહેલા અધ્યયનના પાંચમા ઉદ્દેશાને રંક પરિચય અહીં કહ્યું છે કે મુનિને અગ્રપિંડાદિ ન ખપે. પછી ભિક્ષા માટે ફરવાનો વિધિ જણાવી ફરમાવ્યું કે ભિક્ષા માટે નીકળેલ સાધુએ માગમાં ઉપયોગ રાખવો જોઈયે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy