SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ વિજયપદ્રસૂરીશ્વરકૃત મુનિએ અલ્પ. નીરસ (રસકસ વિનાને) આહાર કરવો. આત્મધ્યાનનો અભ્યાસ, વિહાર, સદ્ભાવનાથી આત્માને સન્માર્ગની આરાધનામાં ટકાવવો, શીલવંતની ને શીલની વિચારણા, આત્મસ્વરૂપની ચિંતવના, નિજગુણરમણતામાં દઢ સાવધાનતા, વિષયકષાયની નીચતાના વિચારો વગેરે સાધનોથી ભાગતૃષ્ણાના વિચારો દૂર કરી નિજગુણરમણતા કરવામાં લીન બની શકાય છે. શ્રીજિનેશ્વરદેવે કહેલ પદાર્થતત્વ તે જ સત્ય છે. એમ શ્રદ્ધા રાખી સંયમની આરાધના કરનારા મુનિઓ લોકમાં અંતિમ સારરૂપ મુક્તિને જરૂર પામે છે, વગેરે બીના અહીં વિસ્તારથી સમજાવી છે. - છઠા ધૂત અધ્યયનને ટૂંક સારે મોહ અને અજ્ઞાનને વશ થઈને બાંધેલાં કર્મોનો નાશ કરવા માટે પ્રયત્નવંત મુનિનું સ્વરૂપ અહીં જણાવ્યું છે. પછી કહ્યું છે કે આસક્તિ ( ભેગષ્ણા) એ ભયંકર રોગોની આકરી પીડા દેનારી છે, આત્મધ્યાનથી મુનિને ચૂકવે છે અને ભાવશત્રુઓને પોષનારી છે. “વિષયકષાયનો ત્યાગ કરી શીલ પાળવામાં મજબૂત રહેવું, ને ચારિત્રાદિની નિર્મલ આરાધના કરવી; અનુકૂલ-પ્રતિકૂલ ઉપસર્ગોને સમતાભાવે સહન કરવા, એ આત્મિક શાંતિનાં પરમ સાધન છે. આ રીતે વર્તતા મુનિવરે અસંદીન (નહિ બાવનારા) દ્વીપના જેવું કામ કરે છે. એટલે જેમ સમુદ્રમાં મુસાફરી કરનારા છ દ્વિપન આશરે લઈ શાંતિને પામે ને સ્વીકાર્યો સાથે, તેમ ભવ્ય છે પૂર્વે કહેલા ગુણેને ધારણ કરનાર મુનિવરોને આશરે લઈને આધિ-વ્યાધિ-ઉપાધિને દૂર કરી શાંતિથી મોક્ષમાર્ગને આરાધી કૃતાર્થ બને છે એટલે મુક્તિને પામે છે. તે શીલાદિનું સ્વરૂપ સમજાવનારા પણ તેઓ જ હોય છે, વગેરે બીના સ્પષ્ટ સમજાવી છે. સાતમું મહાપરિજ્ઞાધ્યયન વિચ્છેદ પામેલું છે. ટીકાકારના વચનથી સમજાય છે કે, પરમપુણ્યોદયે દુર્લભ એવા સંયમાદિની સાધન-સામગ્રીને પામેલા મુનિવરો પરીષહાદિને શુભભાવના ભાવી સહન કરે, ને પોતાના આત્મિક સાધ્યને સાધવામાં તત્પર રહે વગેરે તેમાં જણાવવામાં આવ્યું હતું, આઠમા વિમહાધ્યયનને ટૂંક સાર આના બે નામ છે, ૧. વિમેહાધ્યયન, ૨. વિમોક્ષાધ્યયન. અહીં મોહને નાશ કરવાના સચોટ ઉપાયે કહ્યા છે તેથી વિમહાધ્યયન કહેવાય, તથા સર્વથા સર્વ કર્ણોરૂપ લાકડાંને બાળી મોક્ષને પામવાના ઉપાયે કહેલા હોવાથી વિમોક્ષાધ્યયન કહેવાય. લોકનું સ્વરૂપ શું છે? તથા પુણ્ય-પાપ વગેરે પદાર્થોનું સ્વરૂપ શું છે? આને અંગે જૂદી જૂદી માન્યતા ધરાવનારા અન્ય દાર્શનિકની સાથે મુનિએ વાદવિવાદ કરે નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy