SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન પ્રવચન કિરણાવલી (૧ શ્રી આચારાંગસૂત્ર-પરિચય) જણાવ્યું છે. તેથી હવે તે સિવાયનાં બાકીનાં પાંચ અધ્યયનને સાર ટૂંકામાં આ પ્રમાણે જાણવો. પહેલા શ્રતસ્કંધના ચોથા સમ્યકત્વ અધ્યયનને ટૂંક સાર મોક્ષના અવ્યાબાધ સુખને મેળવવાનું અસાધારણ કારણ સમ્યગ્દર્શન-ગુણની આરાધના છે. મુનિવરેએ તેમાં દઢ રહીને સમ્યફચારિત્રની આરાધના કરવામાં નિરંતર અપ્રમત્ત ભાવે ઉદ્યમ કરવો. આ મુદ્દાને લક્ષ્યમાં રાખીને જણાવ્યું છે કે સર્વ જીવોને પિતાની જેવા ગણુને મુનિવરે છ જવનિકાષમાંના કેઈ પણ જીવને હણે નહિ. પિતાથી હલકા ગણીને તેની ઉપર જુલમ ગુજારે નહિ. પરિતાપના, ઉપદ્વવ, ત્રાસ વગેરે કરે નહિ એમ આર્ય પુરુએ એટલે પહેલાં થઈ ગયેલા અનંતા તીર્થકરોએ કહ્યું છે. હાલ મહાવિદેહમાં વિચરતા વિહરમાન શ્રી સીમંધરસ્વામી વગેરે તીર્થકરે પણ તે જ પ્રમાણે કહે છે, ને ભવિષ્યમાં થનારા શ્રી પદ્મનાભાદિ તીર્થકરે પણ તે જ પ્રમાણે કહેશે. એટલે આ બાબતમાં ત્રણે કાલના તીર્થ કરાદિ મહાપુરુષે સંમત છે. જેઓ હિંસાદિને ઉપદેશ આપે, બીજાને તે રસ્તે રેરે તેઓ અનાર્ય છે એમ સમજવું. તથા જેઓ આરંભાદિને કરવા મનથી પણ ઈ નહિ, અને કર્મ રહિત થવાનું લક્ષ્ય ચૂકે નહિ, તેઓ જ ખરા જ્ઞાની સમજવા. ગાડરિયા પ્રવાહે પ્રવૃત્તિ ન કરવી. શરીરને ક્ષણભંગુર માનનારા મુનિવરએ હાદિમાં મૂંઝાવું નહિ, વગેરે બીના અહીં વિસ્તારથી સમજાવી છે. પાંચમા લોકસાર (આયંતિ) અધ્યયનને ટૂંક સાર પરમકૃપાળુ નિર્યુક્તિકારે આ અધ્યયનની શરૂઆતમાં જ ફરમાવ્યું છે કે, લોકમાં સાર એટલે ઉત્તમ પદાથ એક જિનેશ્વરદેવે કહેલ ત્રિકટીશુદ્ધ ધર્મ છે. તેને સાર જ્ઞાન છે. ને જ્ઞાનને સાર સંયમ-ચારિત્ર છે. તેનો સાર મોક્ષ છે, આથી આનું નામ લોકસાર” જણાવ્યું છે. મૂલસૂત્રની શરૂઆતમાં “સાવંતિ પદ હેવાથી આનું નામ આવંતી અધ્યયન કહેવાય છે. કામદશાની ભયંકરતા કહી જણાવ્યું કે અજ્ઞાનીનું જીવન ઘાસના અગ્રભાગ ઉપર રહેલ પાણીનાં ટીપાં જેવું અસ્થિર છે. સંશય જ્ઞાન મહાવર્તની બીના જણાવી સાચી સાધુતાનું વર્ણન કર્યું છે. પછી સત્ય અને મુનિપણાની વ્યાપ્તિ કહી છે. એટલે જે સત્ય (સંયમાદિ) છે તે જ મુનિતા (મુનિધર્મ) છે. અને જે મુનિતા છે તે જ સત્ય છે. સત્ય જ્ઞાનને ધારણ કરનાર આત્મા પરમ આલંબન છે. તે ધરે (એક જાતના ઘાસ)ની જેમ બૂડતાં જીવોને બચાવે છે. તેઓ જ્ઞાનપૂર્વક જે પ્રવૃત્તિ (સંયમારાધનાદિ) કરે તે બ્રહ્મચર્ય કહેવાય. કામવાસનાને નાબૂદ કરવા માટે મુનિઓએ કે આહાર કરે? તે વાત જણાવતાં ફરમાવ્યું કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy