SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત મુનિ, પરીષહથી કંટાળી ભગ્નપરિણામી થાય છે, પછી સાધુનું પરીષહ પ્રસંગે કવ્ય જણાવી બીજાએ સળગાવેલ અગ્નિને મુનિ સેવે નહિ, વગેરે બીના સ્પષ્ટ જણાવી છે. આઠમા વિક્ષ અધ્યયનના ચોથા ઉદ્દેશાને ટૂંક પરિચય અહીં ત્રણ વચને રાખનાર મુનિને આચાર જણવ્યો છે, પછી ઠંડીને ટાઈમ વીત્યા બાદ વજને ત્યાગ કરે, ને એકેક વસને તજતાં તપનો લાભ મળે છે. એમ કહી ભગવંતે કહેલ શાન-ક્રિયાનું સ્વરૂપ જણાવી શીતાદિ સહન કરતાં મરણ પામેલ મુનિને પણ મેક્ષ થાય, વગેરે બીના સ્પષ્ટ જણાવી છે. આઠમા વિમેશ અધ્યયનના પાંચમા ઉદ્દેશાન ક પરિચય અહીં દ્વિવસ્ત્રધારી (બે વસ્ત્રને રાખનાર) મુનિને આચાર કહી જણાવ્યું કે, તેને સામા લાવેલ અન્નાદિ ન ખપે, ને વૈયાવચ્ચ કરતાં શાશ્વતાનંદમય મોક્ષ થાય, વગેરે બીના સ્પષ્ટ જણાવી છે. આઠમા વિમોક્ષ અધ્યયનના છઠ્ઠા ઉદેશાને ટૂંક પરિચય અહીં એકવસધારી મુનિને આચાર અને એકાકિપણાની ભાવના તથા સંલેખના અને અનશનની બુદ્ધિ (વિચારણા) તેમજ અનશનની વિધિ વગેરે બીના સ્પષ્ટ જણાવી છે, આઠમા વિમોક્ષ અધ્યયનના સાતમા ઉદ્દેશાને રંક પરિચય અહીં અચેલક મુનિની સામાચારી જણાવી છે. પછી અચેલક મુનિ શીતાદિ સહન કરે, તે જણાવી આહાર-ગ્રહણાદિમાં ચાર ભાંગા અને અચેલક મુનિનું ઉઘત મરણ વગેરે બીના સ્પષ્ટ ફરમાવી છે. આઠમા વિમોક્ષ અધ્યયનના આઠમા ઉદ્દેશાને ટૂંક પરિચય અહીં કહ્યું છે કે મરણાવસરે ધીર મુનિને સમાધિ રહે છે, ને તેના આઠ કર્મનાં બંધને તૂટે છે, તથા અનશનના પ્રસંગે કથાય તથા આહાર ને ઘટાડવા ને છેવટે ગ્લાનિ ધારણ કરવી નહિ. અને જીવિત-મરણમાં અનાસક્તિ રાખવી ને સમાધિ સાચવીને આત્મસ્વરૂપ ચિંતવવું જોઈએ. અનશન કર્યા પહેલાં અધી સંલેખના જેટલે કાલ વીતાવો જોઈએ. તથા ગ્રામ વગેરેમાં સંચાર કરે, અનાહાર સ્થિતિમાં પણ ઉપસર્ગો સહેવા, કીડી વગેરેને ઉપસર્ગ થતાં અનશની મુનિને હિંસાદેષ ન લાગે, મુનિ તેને નિવારે (ઉપદ્રવ કરતાં અટકાવે) નહિ, દેહનું કષ્ટ સહીને પણ વિષયાદિની બાધા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy