SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૧ શ્રી આચારાંગસૂત્ર-પરિચય) પ૭ છે. સંયમારાધનમાં સાવધાન છતાં પણ છેવટે કેટલાએક જીવ દીન બની જાય છે ને વશાત્ત બને છે એટલે વિષય કષાયને સેવે છે વગેરે બીના સ્પષ્ટ સમજાવી છે. છઠ્ઠા અધ્યયનના પાંચમા ઉદ્દેશાને રંક પરિચય અહીં જે વીર હોય તે પરીષહાને સહે છે. પછી ધર્મને કહેવાની પદ્ધતિ જણાવી છે. લડાઈના મોખરે ઊભા રહેવા જેવું મરણ છે, વગેરે બીના સ્પષ્ટ સમજાવી છે. આ રીતે ઘૂતાધ્યયનનો સંક્ષિપ્ત પરિચય પૂરો થયો. સાતમું મહાપરિજ્ઞા અધ્યયન વિચ્છેદ પામ્યું છે. આઠમા વિમોક્ષ અધ્યયનનો ટૂંક પારચય અહીં પ્રથમ આના આઠ ઉદ્દેશાને ટૂંક સાર જણાવ્યું છે. પછી પાસસ્થાને તથા અકયને ત્યાગ કરવો ને અક૯યને ન લેવાથી દાયક કેધ કરે, તો સાચી બીના કહેવી. પછી વૈહાન સાદિ મરણના ભેદનું વર્ણન કરી ભક્તપરિણા, ઇંગિની મરણ, પ્રતિમા અને પાદપપગમન અનશનનું સ્વરૂપ કહ્યું છે. વિમોક્ષ પદના નિક્ષેપા, બંધ મેક્ષનું સ્વરૂપ, તથા અનશનના ત્રણ ભેદ અને ભાવવિમોક્ષ, પરાક્રમ મરણ અને નિષ્પરાક્રમ મરણનું સ્વરૂપ, તેમજ સમાધિમરણ પ્રસંગનાં કાર્યો જણાવ્યાં છે. ત્યાર પછી આર્ય વજસ્વામીના પાદપપગમનની બીના કહી છે. સમુદ્રાચાર્યનું અપરાક્રમ પાદપપગમન, અને તોસલિ આચાર્યનું વ્યાઘાતિમ મરણ, અને અવ્યાઘાતિમ અનશનનું સ્વરૂપ કહ્યું છે. ભાવસંખનાની જરૂરિયાત, તથા સંલેખના-પાદપોપગમન સ્વીકારવાનો વિધિ અને આહાર ઓછા કરવાની રીત જણાવી છે. મુનિએ પાસસ્થા તથા અન્યતીથિકને દાન દેવું નહિ, ને તેમની પાસેથી લેવું નહિ, તથા અન્ય દર્શનીયોનું ધ્રુવવાદિપણું વગેરે કહ્યું છે. પ્રભુએ કષાદિથી શુદ્ધ ધર્મ કહ્યો છે તે જણાવી પ્રસંગે બીજી પણ બીના સ્પષ્ટ સમજાવી છે. આઠમા વિમોક્ષ અધ્યયનના બીજ ઉદ્દેશાનો ટૂંક પરિચય અહીં કહ્યું છે કે, આધાકમાં અનાદિ ન લેવા, અને મુનિએ ઘાત વગેરે સહન કરવા. પછી ધર્મનું આખ્યાન જણાવી કહ્યું કે, અમનેશને દાન દેવું નહિ. સમાને (સંયમીને) દાન દેવાનો ઉપદેશ, વગેરે બીના સ્પષ્ટ જણાવી છે. આઠમા વિમોક્ષ અધ્યયનના ત્રીજા ઉદ્દેશાને ટૂંક પરિચય અહીં જુવાન મુનિને ત્યાગધમ જણાવી કહ્યું કે, તેમાંના કેટલાએક જુવાન Jaih Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy