SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કરાવલી (૧ શ્રી આંચારાંગસૂત્ર-પરિચય ) ૫૫ જેના નાશ જ થવાના છે તેવી શરીરની પરિસ્થિતિ ખ્યાલમાં રાખીને જરૂર પાપના ત્યાગ કરવા ઊંચત છે. શરીરની અસારતા બરાબર સમજનારા વે સસારની રખડપટ્ટી જરૂર ટાળે છે. વળી જ્યાં અવિરત હોય ત્યાં જરૂર પરિગ્રહ હોય છે. તેમજ શ્રુતાદિથી અધ્યાત્મસ્વરૂપને પામેલા વા શ્રેષ્ઠ ચક્ષુવાળા ને પરાક્રમી કહેવાય છે. પ્રમાદી જીવ અઘ્યાત્મી ન કહેવાય, વગેરે બીના સ્પષ્ટ સમજાવી છે. પાંચમા અધ્યયનના ત્રીજા ઉદ્દેશાના ટ્રૅક પરિચય અહી કહ્યુ` છે કે આત્મિક સદુપયાગ તે જ કહેવાય કે જેથી આત્માના અને કર્મીના સબંધ દૂર થાય. પછી પૂર્વોત્થાયી અને પધ્ધાન્નિપાતીના ભાંગાનું સ્વરૂપ જણાવ્યું છે, કામ અને ઝગડાને તજનાર મુનિ માહ્ય શત્રુ વગેરેની સાથે યુદ્ધ ન કરે, પણ અંતરંગ ક્રોધાદિ છ શત્રુને જીતવાનાં દુર્લભ સાધના પામી તે છને જીતવા તત્પર થાય. પછી સમ્યક્ત્વની ને મૌનની વ્યાપ્તિ જણાવીને અપ્રમત્તને જ સમ્યક્રૃત્વ અને મૌન હાય વગેરે બીના સ્પષ્ટ સમજાવી છે. પાંચમા અધ્યયનના ચોથા ઉદ્દેશાને ટ્રંક પરિચય અહીં કહ્યુ છે કે અવ્યક્ત (અગીતા) ભિક્ષુ નિર્દોષ રીતે વિહાર કરી શકે નહિ. અજ્ઞાની જીવાને ક્રોધ-માહાદિની પીડા હોય છે, તથા અપ્રમત્ત મુનિ નિષ્કારણ પ્રવૃત્તિ કરે નહિ. જે ભણી શકે નહિ તેણે ઊણાદરિકાદિ તપ કરવા જોઈએ વગેરે બીના સ્પષ્ટ સમજાવી છે. પાંચમા અધ્યયનના પાંચમા ઉદ્દેશાના ફ્ પરિચય અહીં” કહ્યું છે કે, આચાર્ય મહારાજા હદની જેમ જ્ઞાનાદિથી પૂર્ણ હોય છે. શાંત પડી છે માહાદ્વિ રજ જેમની એવા હોય છે, આ પ્રસગે આઠ ગણિસ'પદ્મા ગણાવી છે. વિકિત્સા કરનાર મુનિ સમાધિ સાચવી શકતા નથી. તેને જ્ઞાન મેળવવા તરફ દુર્લક્ષ્ય હાય છે. તેના ભવ્યપણામાં શંકા હોય છે. શ્રીજિનેશ્વરે કહેલ વચને સત્ય અને નિ:શંક હેાય છે. પહેલાં અને પછી સભ્યત્વ હોવાની બાબતમાં ૬ ભાંગા ગણાવ્યા છે. હન્તવ્ય ( હણવા લાયકની ) ને ઘાતક ( હણનાર)ની એકતા તથા આત્માના અને જ્ઞાનના અભેદભાવ વગેરે બીના સ્પષ્ટ સમજાવી છે. પાંચમા અધ્યયનના છઠ્ઠા ઉદ્દેશાના ટ્રંક પરિચય અહીં' આજ્ઞામાં ઉદ્યમી અને અનાજ્ઞામાં નિરૂદ્ધમી થવું, આત્મદૃષ્ટિવાળા થવુ, એમ કહી જણાવ્યું છે કે જેનું મન આત્મદૃષ્ટિથી બહાર ન જાય તે માટા કહેવાય. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy