SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ પર શ્રીવિજયપધસૂરીશ્વરસ્કૃત ચોથા અધ્યયનના ત્રીજા ઉદ્દેશાને ટૂંક પરિચય અહીં પાખંડીઓને જૈન ધર્મમાર્ગથી બાહ્ય ગણાવ્યા છે. આરંભથી કમ બંધાય છે અને દુઃખ મળે છે. પ્રસંગે કમ પ્રકૃતિના ઉદયસ્થાને તથા શરીર અને કર્મના ધૂનન અને દાહને સમજાવવા છ કાષ્ટને બાળવાનું દષ્ટાંત કહ્યું છે. પછી મુનિ કર્મક્ષય કરે તે વાત પોલા લાકડાંને બાળવાનું દૃષ્ટાંત આપીને સમજાવી છે. આયુષ્ય થાડે છે. ક્રોધથી દુ:ખ જ ભેગવવાનું છે, પાપને તજનાર જીવ નિયાણું કરે જ નહિ, આવી શુભ ભાવના ભાવી મુનિ ક્રોધ ન કરે વગેરે બીના સ્પષ્ટ સમજાવી છે. ચોથા અધ્યયનના ચોથા ઉદ્દેશાને ટૂંક પરિચય જે ત્યાગી હોય, આત્મધર્મને યાદ કરનાર તથા કરાવનાર હોય, ધમમાગે રહેલ હોય તે મુનિ કર્મને ખપાવે છે. પછી પ્રમત્તનું સ્વરૂપ જણાવી કહ્યું કે પશ્યત્તા (આત્મજ્ઞાન ) બુદ્ધને જ હોય, આગમજ્ઞાની મોક્ષ પામે તથા વીરપુરૂષે મોક્ષના રાગી હોય તેમજ આત્મજ્ઞાનીને ઉપાધિ ન હોય વગેરે હકીક્ત સ્પષ્ટ સમજાવી છે. ઇતિ શ્રીચતુર્થ સમ્યકત્વાધ્યયન સંક્ષિપ્ત પરિચય: પાંચમાં લેકસાર નામના અધ્યયનને ટૂંક પરિચય અહીં આ અધ્યયનના છ ઉદ્દેશાનો ટૂંક અધિકાર તથા લોક પદના ને સાર પદના નિક્ષેપા જણાવ્યા છે. પ્રસંગે ચૌદ રાજલોકના ખાંડવાની દૂક બીના કહી છે. દ્રવ્યસાર તે ઈંડા વગેરેનું સત્વ (રસ) કહેવાય ને ભાવસાર તે સિદ્ધિ જાણવી. તે સિદ્ધિનાં જ્ઞાન વગેરે ત્રણ સાધન છે. મેક્ષ પમાડનાર જયણાધર્મ જરૂર સાધવો જોઈએ. કાઠિમાં ધર્મ વગેરે સાર ગણવા. અવિરત જીવો કામવાસનાથી સંસારે ભમે છે. ઘાસના અગ્રભાગે રહેલ જલબિંદુની પરે આયુષ્ય ક્ષણભંગુર છે. વળી કમ કરનારા જીવો મેહનીચોદયે ગર્ભાવાસનાં દુઃખ સહી વારંવાર મરણ પામે છે. સંશયને જાણ્યા બાદ સંસાર સમજાય છે. મૈથુનથી વિરક્ત આત્મા કુશલ કહેવાય છે. જે વૃદ્ધ, આરંભી, પાપમાં આસક્ત હોય, એકલે વિચરે, ક્રોધાદિ બહુ જ કરે અને ધર્મને જાણે નહિ તે જીવ સંસારમાં ભટકે છે. પછી ચાર (વિચરવું, કરવું)નું સ્વરૂપ ને તેના નિક્ષેપા કહ્યા છે. ચતિને ચાર શ્રેષ્ઠ ગણાય વગેરે વાત સ્પષ્ટ કહી છે. અહીં પહેલા ઉદ્દેશાનો ટૂંક પરિચય પૂર્ણ થયો. પાંચમા લોકસાર અધ્યયનના બીજા ઉદ્દેશાને ટૂંક પરિચય અહીં જે સંધિદશી, સ્વધર્મપરાયણ, આત્માને કર્મથી જુદા કરવાનો ઉપાય જાણનાર તથા વિરતિગુણને ધારણ કરે, તે મુનિ કહ્યા છે. તથા પહેલાં અથવા પછી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy