SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આનંદવન અને તેને સમય આનંદઘનજી મહારાજના સંદેશા ડાં પદમાં અને બહુ થોડા સ્તવનોમાં આનંદઘનજીએ મુદ્દાનું શિક્ષણ આપ્યું છે તે આપણે સંક્ષેપમાં વિચારી જઈએ. કેટલાક મહત્ત્વના વિચારે તેમણે બતાવ્યા તે પૈકી પાંચ સાત અગત્યના વિચારો પર જ આપણે અત્ર વિવેચન કરી શકીશું; બાકી તેના અભ્યાસ માટે તે પદોની વિચારણા કરવાની અને સ્તવનેનું મનન કરવાની જરૂર છે. પરંપરા માટે માન આનંદઘનજીના વ્યવહાર અને નિશ્ચયને અંગે વિચારે કેવા સ્પષ્ટ હતા તે તેઓના સંબંધમાં કઈ કઈ જગ્યાએ થતી ગેરસમજુતી દૂર કરવા માટે જરા સારી રીતે વિચારવાની આવશ્યકતા છે. આની ચાવી માટે અઢારમા પ્રભુના રતવનની આઠમી ગાથા વિચારવા લાગ્યા છે. સદરહુ ગાથા આ પ્રમાણે છે – ચૂરણિ ભાવ્ય સૂત્ર નિર્યુકિત, વૃત્તિ પરંપરા અનુભવ રે; સમયપુરુષનાં અંગ કહ્યાં છે, જે છે તે દુરભાવ ૨. અહીં ઉત્તમાંગ શ્રી જિનેશ્વર દર્શનનાં અંગ બતાવતાં ચૂર્ણિ આદિ સુપ્રસિદ્ધ પાંચ અંગની સાથે પરંપરાનો અનુભવ એટલે ગુરુસંપ્રદાયથી ચાલ્યું આવતું જ્ઞાન મૂકવામાં આવેલ છે. પરંપરાને છેદ કરે, તેની દરકાર ન કરવી અને પિતાના છંદ પ્રમાણે ચાલવું એ ઘાતક બે વ્યવહાર ન સમજનારને હોય છે. આવી વાત તેઓના શિક્ષણ ઉપરથી જણાઈ આવે છે. આથી પણ વધારે સ્પષ્ટ રીતે તેઓ શ્રી અનંતનાથજીના સ્તવનમાં કહે છે કે, વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠે કહ્યો, વચન સાપેક્ષ વ્યવહાર સાચે; વચન નિરપેક્ષ વ્યવહાર સંસારફળ, સાંભળી આદરી કાંઈ રાચે. અહીં તેઓએ અપેક્ષા વગરના વ્યવહારને અનુસરવાનું સંસારફળ થાય છે એમ બતાવી તેની વિરુદ્ધ વિચારો બતાવ્યા છે, પણ સાપેક્ષ વ્યવહારને માટે સ્પષ્ટ રીતે તેને “સાચે” કહી તેના લાભમાં વિચારો બતાવ્યા છે. અહીં તેઓએ જે યોગ્ય રીતે પૃથકકરણ કરી સાપેક્ષ અને નિરપેક્ષ દૃષ્ટિબિંદુને તફાવત બતાવ્યો છે તે ખાસ મનન કરીને સમજવા ચોગ્ય છે. તેઓ પોતે સારી રીતે સમજે છે કે જે એકલી પરંપરા ઉપર ચાલવાનું થશે તે જૈન શાસનમાં જે મહત્તા છે તે દૂર થશે, કારણ કે તેથી કાળસ્થિતિ પ્રમાણે વ્યવહારસ્થાપિત ઘટના કરવાની જૈન ગ્રન્થમાં સુઘટ્ટ ઘટના છે તેને અંત આવશે. આથી તેઓ શ્રી અજિતનાથજીના દ્વિતીય સ્તવનમાં કહે છે કે – પુરુષ પરંપરા અનુભવ જેવતાં રે, અધે અંધ પુલાય; વસ્તુ વિચારે છે જે ગમે કરી રે, ચરણુધરશું નહિ ઠાય. પથંડો નિહાળું રે બીજા જિન તણે રે. ( ૨-૩) અહીં તેઓએ નિરપેક્ષ પરંપરાથી ગાડરીઆ પ્રવાહપણે ચાલ્યા જવાથી થતાં પરિણમે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy