SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫ આનંદધનનું શિક્ષણ જન્મ આપે છે, શુદ્ધ વસ્તુસ્થિતિ બતાવવા માટે વીર રસ અને બધા શાંત રસને અને કવચિત્ શિક્ષણીય શૃંગાર રસને ઉપગ કર્યો છે અને તેના વિસ્તાર માટે અનેક પ્રકારની વ્યવહારુ શિક્ષાઓ આપી છે, એગ અધ્યાત્મના માર્ગ બતાવ્યા છે, વૈરાગ્યને ઉચ આશય બતાવ્યું છે અને શિથિલ અંતઃકરણોને પણ ડોલાવે એવા વિચારો ઉચ્ચ ભાષામાં બતાવ્યા છે. પરમસહિષ્ણુતા સંબંધી તેઓએ જે વિચારો પદમાં વારંવાર બતાવ્યા છે તે સામાન્ય શિક્ષણ કરતાં તેઓનું કહેવાનું કેટલું ઉચ્ચતર હતું તે બતાવવા માટે પૂરતા છે. સત્તાવીશમા પદમાં તેઓ સ્પષ્ટ રીતે કહે છે કે – બહિરાત મૂહા જગ જેતા, માયાકે કંદ રહેતા; ધાઠ અંતર ૫રમાતમ ભાવે, દુ૨લભ પ્રાણું લેતા. અને તેથી પણ આગળ વધીને “માયડી મુને નિરખ કિણહી ન મૂકી ” એ લય અડતાલીશ પદમાં ગાઈને તે પરમસહિષ્ણુતા સંબંધમાં હદ કરી દીધી છે. એમાં પરમતસહિષષ્ણુતાનાં તત્વ કરતાં પણ એક વિશિષ્ટ તત્ત્વને ઉપદેશ કર્યો છે અને તે એ છે કે દરેક પ્રાણી સ્વમતાંધ થઇ જઈ એવાં એવાં કામ કરે છે અને એવી એવી વાત કરે છે કે તે કહેતાં પણ શરમ આવે છે. આવા સ્પષ્ટ રીતે વિચાર જણાવનારને યથાસ્વરૂપે સમજવા માટે બહુ વિશાળ અંતઃકરણની જરૂર છે અને તેવા પ્રકારની વૃત્તિ સામાન્ય જનસમૂહની ન હોવાને લીધે શાસ્ત્રના ઉપરેટીઆ બેધવાળા પ્રાણીઓ આ મહાત્માને આશય ન સમજતા હોવાથી તેઓનું શિક્ષણ નિશ્ચયમતાવલંબી છે એમ કહી જાણે વ્યવહાર અને નિશ્ચયને માટે વિરોધ જૈન શાસ્ત્રમાં હોય અને નિશ્ચયના ઉપદેશ કરનાર મોટી ભૂલ કરતા હોય એવું બતાવવાનો પ્રયત્ન કરે છે. જરા વિશાળ દષ્ટિએ શાસ્ત્રનાં દૃષ્ટિબિંદુઓ સમજવાની દરકાર હશે તેઓ સમજી શકશે કે આવા સંકુચિત પ્રવાહવાળા પ્રાણીઓ બહુધા રહસ્યને સમજ્યા વગર અને વાત ખોટી દૃષ્ટિથી જુએ છે; વ્યવહાર નિશ્ચયની સપાટી ઉપર રહેલ ભેદની અંતર્ગત રહેલી એકતા અને તેમાં પણ વસ્તુતત્ત્વનું આદરપણું કેટલું ઉપયોગી છે તેનું અંતર રહસ્ય સમજનાર આવી ખોટી ટીકા કરનારના ઉપલકીઆ જ્ઞાન માટે મનમાં હસે અથવા તેઓ માટે દયા ખાય તે તેમાં નવાઈ નથી. ઘણાખરા પ્રાણીઓના સંબંધમાં અત્યંત દિલગીરી સાથે એમ કહેવાની જરૂર પડે તેવું છે કે તેઓએ કઈ પણ વિરુદ્ધ પુરાવા વગર વ્યવસ્થા વગરની કિંવદન્તીને આધારે જ આનંદઘનજી જેવા મહાત્મા ગીના સંબંધમાં ટીકા કરવા જેવા વિચારે જાહેર કરવાની ઉતાવળ કરી છે અને તેમ કરવાની પિતાની યોગ્યતા કેટલી છે અથવા છે કે નહિ તેને પણ કદી વિચાર કર્યો નથી. જે તે વિચાર કરે તે જણાઈ આવે કે એમના સંબંધમાં અભિપ્રાય બતાવવા પહેલાં હજુ ઘણું સમજવાની-વિચારવાની–પિતાની પરીક્ષા કરવાની જરૂર છે અને એમ થાય ત્યારે જ પિતામાં આવા પ્રકારની ટીકા કરવાની યોગ્યતા આવે તેમ છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy