SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આનંદઘનજી અને તેનો સમય બાદશાહે રજપૂત રાજાઓની સાથે સંબંધ વધારી, તેઓને રાજ્યમાં મેટા મેટા હોદ્દાઓ આપી તેઓ દ્વારા ભારતભૂમિ પર સામ્રાજ્ય વધારવાની જે નવીન રાજ્યનીતિ ગ્રહણ કરી હતી અને જે નીતિસૂત્ર જહાંગીર અને શાહજહાંને અમલમાં મૂકવા યત્ન કર્યો હતે તેને પરિણામે મુગલ શહેનશાહત ઘણી મજબૂત થઈ હતી અને તેથી દેશમાં આબાદી પણ ઘણી થઈ હતી. એવા શાંતિના વખતમાં દેશમાં ઉત્તમ પુરુષોને જન્મ થાય અને તેઓ પોતાના સંદેશા જગતને શાંત પણ સ્પષ્ટ રીતે કહે તે સ્વાભાવિક હતું. કુટુંબકલહ કરી ઔરંગજેબે મુગલાઈને હચમચાવી દીધી, જઝીઆરે નાખી હિંદુઓનાં મન દુઃખાવ્યાં અને વિશ્વાસના હોદ્દા પરથી હિંદુઓને દૂર કર્યા તેથી જે પરિણામ આવ્યું તેની અસર તેની પછીની સદીમાં ઘણી થઈ, પરંતુ એના પિતાના સમયમાં જાહેરજલાલી સારી હતી. આવા સમયમાં આપણું મહાન યોગીશ્રી આનંદઘનજી જમ્યા હતા, તેમની આજુબાજુનું વાતાવરણ તેમના વિચારોને પુષ્ટિ આપે તેવું હતું, લગભગ દરેક વિભાગમાં અવિચળ કીર્તિ સ્થાપન કરી ગયેલા વિદ્વાનોના વૈરાગ્યના વિષયને ગ્રહણ કરવા એ કાંઈક અંશે તૈયાર હતા એમ જણાય છે. અકબરના વખતમાં કબીરે જે નવીન માર્ગ ચલાવી હિંદુ મુસલમાનનું ઐકય કરવાનાં સાધને બતાવ્યાં અને તેને અમલમાં મૂકી શકે એવી સારી સંખ્યાની એક ટેળી ઉત્પન્ન કરી અને અકબરે સર્વધર્મસમ્મત “ તેહીદ-ઈલા માર્ગ ચલાવવા યત્ન કર્યો છે તેની હૈયાતી બાદ ચાલી શક્યો નહિ તે બને, જે સદીના ઐતિહાસિક બનાવે આપણે વિચારીએ છીએ તેની આગલી સદીમાં બન્યા, તેની મજબૂત અસર આ સદીમાં થયા વગર રહી નહિ. તત્સમયના ઇતિહાસનું વધારે બારિકીથી આવલોકન કરતાં એટલું તો જણાય છે કે સામાન્ય લોકોની વૃત્તિ એશઆરામ તરફ વધારે વળેલી હતી અને તેઓ ધાર્મિક બાબતમાં બહુધા બાહ્યાડંબર તરફ વળેલા હતા. એવાં જ કારણથી એ સમયનાં વર્ણને માં બાહ્ય ધમાધમ સંબંધી હકીકતો વધારે આવે છે અને આગેવાન શિક્ષાપ્રચારકે તેની સામે પોતાનો મજબૂત પિકાર ઉઠાવતા વાંચવામાં આવે છે. આનંદઘનજીનું શિક્ષણ આનંદઘનજીના લગભગ દરેક પદમાં નૂતન શિક્ષા આપવામાં આવી છે, તે પ્રત્યેક પર આપણે દરેક ૫દમાં વિચાર કરશું અને આ ઉપઘાતના છેવટના ભાગમાં તેના મુખ્ય તો પર વિચાર ચલાવશે; પરંતુ આપણે અહીં તેમનાં પદોમાં જે ખાસ કેંદ્રસ્થ વિચાર હોય તે શોધી કાઢવાની જરૂર છે. એક મુદ્દા ઉપર લક્ષ્ય રાખી તેઓએ પિતાના વિચારો લખ્યા હોય એમ સ્પષ્ટ જણાઈ આવે છે અને તે મુદ્દો બરાબર પૃથકકરણ કરી શોધી કાઢવાથી તેઓનાં પદોની વિચારણા માટે ચાવી પ્રાપ્ત થઈ જાય એમ છે. તેમને એ વિચાર બહુ સંક્ષેપમાં કહીએ તો એ છે કે સ્વપરને વિવેક કરી ને આદ, પરભાવનો ત્યાગ કરો અને આમપરિણુતિની નિર્મળતા કરો. આ વિચારને-આ શિક્ષણને વિકસ્વર કરવા માટે તેઓએ સુમતિ, શુદ્ધ ચેતના વિગેરે પાત્રને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy