SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ સમકાલીન જૈનેતર વિદ્વાના <3 6 સુધીની મારી જાણ પ્રમાણે સંવત ૧૭૧૩ થી ૧૭૫૯ સુધીના છે. એમણે અનેક અનુભવનાં કવના ગાઈ બતાવ્યાં છે અને તેને પરિણામે તુલસીદાસની ‘ ચાપાઇ ’ ખાસ વખણાય છે. એક પ્રસિદ્ધ ઉકિતમાં કહેવામાં આવે છે કે · ચન્દ છંદ, પદ સૂરકે, કવિત કેશવદાસ; ચાપાઇ તુલસીદાસકી, દુહા બિહારીદાસ, ’ આવી રીતે ચન્દ્રકવિના છંદ, સુરદાસનાં પદે, બિહારીદાસના દુહા સાથે તુલસીદાસની ચાપાઇએ વખણાય છે. એમાં સ શાસ્ત્રસમ્મત વૈરાગ્યભાવનાનું સારી રીતે પાષણુ થયેલુ છે. આ તુલસીદાસ રામના ભક્ત હતા અને તેમની ખાસ વિખ્યાતિ તેમના બનાવેલા રામાયણુ થી છે. આ મિશ્ર હિંદી ભાષાના ગ્રંથ અત્યારે પણુ સત્ર બહુ રસથી વંચાય છે. એ રામની ભક્તિમાં બહુ ઊતરી ગયા હતા એમ તેએના સંબંધમાં ચાલતી હકીકત પરથી જણાય છે. આનંદઘનજીના સમયથી જરા દૂર છે એટલે લગભગ પછવાડેના વખતમાં થયા છે, પરંતુ આ સમયની તેમના લેખા ઉપર પણ સારી રીતે અસર થઈ છે એ તેઓના ગ્રંથો વાંચવાથી જણાઈ આવે છે. આનંદઘનની અને તુલસીદાસની ભાષા સરખાવવા ચગ્ય છે. ગુરુ ગાવિંદસિંહ તે શિખ પંથના આ દશમા મહાન ગુરુના નામથી કાઈ પણુ ઇતિહાસના વાંચનાર અજાણ્યા નહિ હાય. એમનેા સમય સંવત્ ૧૭૩૨ થી ૧૭૬૪ સુધીના હાવાથી એ આનંદઘનજીના સમયથી જરા દૂર જાય છે, પણ એના પિતા તેજબહાદુર જે શિખના નાનક ગુરુની નવમી પાટ પર હતા અને જેમણે મુસલમાન ધર્મ સ્વીકારવાને બદલે ઓરંગજેબના હાથથી મરણુ સ્વીકાર્યું હતું તેનું શૌય આ ગોવિંદસમાં પણ હતું. એના વખતમાં શિખ લેકે જે અત્યાર સુધી ધાર્મિક બાબતેામાં ભાગ લેતા હતા તે હવે લશ્કરી બાબતમાં ભાગ લઇ રાજ્યદ્વારી વિષયમાં ભાગ લેતા થયા અને તેવી રીતે જમાનાની અસર તેમના પર તદ્દન જૂદા પ્રકારની થઈ. તેનું કારણ ઔરંગજેબ બાદશાહની ધર્માંધતા સિવાય બીજું કાંઈ નહાતુ. આવી રીતે આ સત્તરમી સદી, ઉત્તરમાં તુલસીદાસ અને તેજબહાદુર, દક્ષિણમાં તુકારામ અને રામદાસ, ઉત્તર હિંદમાં બનારસીદાસ અને આનંદઘનજી, ગુજરાતમાં યશવિજય અને વિનયવિજયજી અને જૈનેતરમાં પ્રેમાનંદ અને શામળ ભટ્ટ ખાસ વિદ્વાના, ચેાગીઓ, રાજ્યદ્વારીએ અને સેનાનીઓ ઉત્પન્ન કરી અનેક પ્રકારે પેાતાની અસર પછવાડે મૂકી ગયેલ છે. આવા અનેક પ્રકારના રસથી ભરપૂર સમયમાં આપણા ચરિત્રનાયક થયા છે. એમની અન્ય કવિએ ઉપર જબરી અસર થઈ છે અને એમના વખતમાં અને ત્યાર પછી તેએ પાતાના વિચારો વિકસ્વર થાય તેવા આકારમાં મૂકી ગયા છે. એની અસર કેવા પ્રકારની હતી અને તેમનું ખાસ શિક્ષણ શું હતું તે હવે આપણે વિચારીએ. આનધન આવી રીતે શાહજહાંન પાદશાહને સમય એકદરે તદ્ન શાંત હતા. અક્બર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy