SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ સમકાલીન જનેતર વિદ્વાને તબ બનારસી મન મહિ આની, કીજે સો પ્રગટે જીનવાની; પંચ પુરુષકી આજ્ઞા લીની, કવિતબંધકી રચના કીની. ૭૨ સાહસે તીરાનવે વીતે, આસુમાસ સિત પક્ષ વિતી; તિથિ તેરસી રવિવાર પ્રવીના, તે દિન ગ્રંથ સમાપત કીના, ૭ દેહરા. સુખ નિધાન સબંધ નર, સાહિબ સહી કિરાન; સહસ સાહિ શિર મુકુટમનિ, શાહજહાં સુલતાન. ૭ જાકે રાજ સુચન, કીનો આગમ સાર; ઈતિ ભીતિ વ્યાપી નહિ, યહ ઉનકે ઉપગાર. ૨૧ : આવા બનારસીદાસ જેવા છે જેમના સંબંધમાં લેકકથા ચાલે છે તે પણ બરાબર આનંદઘનજીના સમયમાં જ થયા છે. તે શાહજહાંન રાજાના સુખશાંતિના અમલનાં વખાણ કરે છે અને તેને સ્પષ્ટ રીતે ઉપકાર માને છે, એ આ સમયની ઉપયોગિતા બરાબર રીતે હસાવે છે. આવા સમયમાં આનંદઘન જેવા ગીઓ પૃથ્વીતળને પાવન કરે એ સ્વાભાવિક જેવું લાગે છે. વળી એ સમયમાં જૈનેતર વિદ્વાને કેવા થયા છે તે જરા વિચારવાથી એ સમયની મહત્તા બહુ સારી રીતે જણાઈ આવશે. એ સમયસાર નાટકનો કઈ પણ વિભાગ વાંચવાથી એ સમયના જ્ઞાનરસિક જીવોના વિલાસસ્થાનની, વૈરાગ્યવાસનાની અને જીવન ઉત્કાતિની વિશિષ્ટ સ્થિતિના વિચારને કાંઈક ખ્યાલ આવશે. અધ્યાત્મપરીક્ષામાં દિગંબર સંબંધી યશોવિજયજીએ ઉલ્લેખ કર્યો છે તે પરથી એમ સહજ અનુમાન થાય છે કે દિગંબર જેટલા વિચારમાં આગળ વધેલા હતા તેટલા ક્રિયામાં વધેલા નહિ હોય, કારણ કે ઉપાધ્યાયજી તેમને દ્રવ્ય અધ્યાત્મી તરીકે જણાવે છે. રામદાસ ‘શિવાજી ન હોત તે સુનત હેત સબકી” એ પ્રસિદ્ધ વાક્યના અધિષ્ઠાયક આ રામદાસ શિવાજીના ગુરુ હતા. તેઓ શિવાજીને ધર્મને બેધ આપનાર, હિંદુ ધર્મનું રહસ્ય સમજાવનાર, જુદી જુદી જાતિઓ અને વિચિત્ર પંથેના ઉપર ઉપરના મતભેદની અંદર રહેલી એકતા સમજાવનાર અને ધર્માભિધાનના અંકુરો શિવાજીમાં વાવનાર, વૃદ્ધિ કરનાર અને એનાં ફળનું સાધ્ય બરાબર લક્ષ્યમાં રાખનાર, દાસબોધ ગ્રન્થના કર્તા, તુકારામને પગલે ચાલનાર અને દક્ષિણના અનેક વિભાગોને નવીન જુસ્સાથી જાગ્રત કરનાર હતા. તેઓએ ‘દાસ’ ગ્રન્થમાં જે નવીન શૈલીને ઉપયોગ કર્યો છે તે એકદમ આકર્ષણીય અને વિચારમાં પાડી નાખે તેવી હોવા સાથે પ્રાણુને પિતાનું ઐશ્વર્ય સૂચવનાર અને ખાસ મનન કરવા ચોગ્ય છે. સંવત ૧૬૬૪ માં એનો જન્મ દક્ષિણના એક જાદવ ગામમાં ગોદાવરી કાંઠે થયો હતો. શિવાજીનો આ મહાપુરુષ સાથે પ્રથમ પ્રસંગ સંવત્ * પ્રકરણ રત્નાકર ભાગ બીજે પૃ૪–૧૭૬ ઉપર આ સમયસાર નાટકની પ્રશસ્તિ પેલી છે ત્યાંથી આ ઉતારો કર્યો છે. ૧૧ For Private & Personal Use Only Jain Education International onal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy