________________
પ
શ્રી વિનયવિજ્ય ઉપાધ્યાય
સાધુ સપ્તશત ગાથા વિરચી, પહેતા તે સુરાકેજી;
તેના ગુણ ગાવે છે ગેરી, મલી મેલી થેકે થેલેંજી; પિતાને અને તેમને સંબંધ બતાવવા સારુ યશોવિજયજી કહે છે કે –
તાસ વિશ્વાસભાજન તસ પૂરણ, પ્રેમ પવિત્ર કહાયાજી; શ્રી નવિજય વિબુધપય સેવક, સુજસવિજય ઉવજઝાયા. ભાગ થાક તે પુરણ કીધો, તાસ વચનસંકેજી;
તિણે વળી સમકિતાદિ જે નર, તેહ તણે હિતeતેજી. મતલબ પિતે બાકીનો રાસ પૂર્ણ કર્યો, તેમાં વિનયવિજ્યજી માટે કેટલું માન અને તેમને અરસ્પર કેટલે સંબંધ હતો તે સમજવા ગ્ય છે. પદવીધ એક બીજાને જોઈ દાંત કચકચાવતા નહોતા એ આટલા ઉપરથી સ્પષ્ટ થાય છે અને તે ખાસ વિચારણીય અને અનુકરણીય બાબત છે. આ મહાત્માના છે વારંવાર એવા પ્રસંગે ઉપયોગમાં આવે છે, પર્યુષણમાં તેમની કલ્પસૂત્ર ટીકા અને અંત્યેષ્ઠી સંસ્કારમાં પુણ્યપ્રકાશનું સ્તવન એવા રસથી વંચાય છે કે તેઓનું નામ એક વિદ્વાન અનુભવી તરીકે ઘણું વરસ સુધી વલંત રહેશે. એમના વિશેષ ચરિત્ર માટે શાંતસુધારસ ભાગ બીજો જુઓ.
વિજયદેવસૂરિ તપગછગગનમાં દિનમણિ તુલ્ય અકબર બાદશાહ પાસે ધર્મચર્ચા કરી જેને માટે અનેક પ્રકારના હક મેળવનાર શ્રી હીરવિજયસૂરિ સુધર્માસ્વામીની ૫૮ મી પાટે થયા, તેમની પાટ પર વિજયસેનસૂરિ થયા, તેઓની પાટે આ મહાત્મા ૬૦ મી પાટે થયા. સંવત્ ૧૬૪૩ માં જન્મ, સૂરિપદ ૧૬૫૬. આ મહાત્માને જહાંગીર પાદશાહે મહાતપાનું બિરુદ આપ્યું હતું. તેમણે પિતાની હયાતીમાં વિજયસિંહસૂરિને પટ્ટધર નીમ્યા હતા, પરંતુ તેમને દેહવિલય સંવત્ ૧૭૧૦ માં થવાથી તેમના પછી વિજયપ્રભસૂરિની સ્થાપના કરી પોતે સંવત્ ૧૭૧૨ માં ઉના ગામમાં સ્વર્ગે સીધાવ્યા. એમના વખતમાં જૈન શાસનની જાહોજલાલી એટલી બધી હતી કે તેઓ પાસે પાઠક પદ ધરાવનાર પચીસ શિષ્ય અને ૩૦૫ પંડિતપદ ધરાવનાર શિષ્ય હતા. તેમના વખતમાં શિથિલાચારને દાબવા માટે અનેક પ્રયત્ન થયા. તેઓએ કાઢેલા હુકમે હજુ પણ મળી શકે છે, પરંતુ તે સર્વથી પ્રતિકાર ન થવાથી અંતે ક્રિયાઉદ્ધારની જરૂરિયાત પડી હતી. તેઓએ કાઢેલ હુકમની નકલ મારી પાસે છે જે દરેક સાધુએ ખાસ વિચારવા એગ્ય છે.
વિજયાનંદસૂરિ વિજયદેવસૂરિના આ સમકાલીન ગચ્છાધિપતિ હતા. ગમે તે કારણથી વિજયસેનસૂરિના શિષ્ય વિજયતિલકસૂરિએ શિરડી નગરમાં સંવત્ ૧૬૭૬ માં તેમને સૂરિપદવી આપી અને તે વખતથી તપગચ્છમાં એક સાથે બે ગચ્છાધિપતિ થયા. વિજયદેવસૂરિના સંતાનીય દેવસૂર” ગચ્છના કહેવાયા ત્યારે આ સૂરિના શિષ્ય “આણસૂર” ના નામથી ઓળખાયા. આ વખતે તપગચ્છમાં બે મોટા ફાંટા પડી ગયા તે માત્ર આચાર્યને અંગે હતા, તેમની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org