SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી યશવિજય ઉપાધ્યાય ૭૩ 6 ત્યારે દ્રવ્યાનુયાગતા ' નામક ગ્રંથથી ભેજસાગર મુનિરાજ આ ગુજરાતી ગ્રંથનુ દ્વારા સંસ્કૃતમાં અવતરણ થયુ છે. એક અસાધારણુ ન્યાયના ગ્રંથા લખનાર મહાત્મા પુરુષ જગજીવન જગવાલહા અથવા પુસ્ખલવઈ વિજયે જયારે ' એવાં સુશિક્ષિત અને પ્રાકૃત મનુષ્યને આનંદ ઉપજાવે તેવાં સરળ પણ ઊંડા ભાવાવાળાં અલ’કારિક ભાષાયુક્ત સ્તવને પણ લખે તે તેઓનુ ચિત્રવિચિત્ર બુદ્ધિસામર્થ્ય બતાવી આપે છે. અનેક સંસ્કૃત ગ્રંથા પર વિસ્તૃત ટીકા લખનાર, કમ્મપયડી-શાસ્ત્રવાર્તાસમુચ્ચય જેવા ગ્રંથાનુ રહસ્ય સમજાવનાર, અસાધારણ તર્ક અને અન્ય દ્રવ્યાનુયાગના અભ્યાસ બતાવનાર તે જ વખતે વળી ચરણકરણાનુયોગના અનેક ગ્રંથ લખે, વળી પ્રસંગે શ્રીસીમંધરસ્વામીને વર્તમાન સ્થિતિ પર અપીલ કરે અને સાથે તેવા જ વિષયેા પર સંસ્કૃત ગ્રંથ લખે એ અસાધારણ બુદ્ધિવૈભવ બતાવવા માટે પૂરતા છે. આ તા તેમની એક ગ્રંથકર્તા તરીકે કેવી અદ્ભુત શિત હતી તે આપણે જોયુ, પરંતુ તે ઉપરાંત અભ્યાસ કરવા માટે બનારસમાં અને આગ્રામાં પસાર કરેલ સમય, ત્યાર પછીની જિંદગી, તેમજ તે પહેલાંની જિંદગી પર ઉપલબ્ધ સાધના દ્વારા વિવેચન કરવામાં આવે તે તે વડે મેટું પુસ્તક ભરાય તેમ છે. તેઓએ તત્કાલીન ધર્મપ્રવૃત્તિ પર મોટી અસર કરી છે અને ક્રિયાઉદ્ધાર કરવાની જરૂરયાત અને તેના સંબંધમાં યોગ્ય નિર્ણય કરવામાં તેના માટેો હાથ હાવા જોઇએ એમ જણાય છે. તેઓશ્રીએ આન ધનજીની સ્તુતિરૂપ અષ્ટપદી તેના મેળાપ સમયે બનાવી અધ્યાત્મ ચેાગના ગહન વિષયમાં પ્રગત થયેલા મહાપુરુષની ભૂઝ કરી બતાવી છે અને તે એક જ હકીકત તેઓમાં વ્યવહાર નિશ્ચયનું દૃઢ એકત્રીકરણુ ખતાવવા માટે પૂરતી છે. સમકાલીન વિદ્વાન માટે તેઓના નામનિર્દેશથી વધારે વિવેચન અત્ર અપ્રાસંગિક ગણાય તેથી વિશેષ હકીકત અત્ર લખી શકાતી નથી, પરંતુ આ સમયના અનેક પુરુષોમાં તેએ બહુ આગળ પડતી પદવી ભાગવે છે એમ નિ:સંશય કહી શકાય તેમ છે. તેઓના ચેાગવિષયના જ્ઞાનની પૂર્ણ માહિતી તેની બત્રીશ બત્રીશી ગ્રંથ આપી શકે તેમ છે. તે ગ્રંથમાં તેઓએ ચેાગના વિષયને લગભગ પપિરપૂ દશાએ મતાન્યા છે અને આ ગ્રંથના એક ભાગ તરીકે ચેાજાયેલ ‘ જૈન દૃષ્ટિએ યોગ ના મારે લઘુ લેખ તેના વિચારને પરિણામરૂપે થયેલ છે એમ ઘણે અંશે કહી શકાય તેમ છે. શ્રીપાળના રાસ શ્રીવિનયવિજયાપાધ્યાયના દેહાંત થવાના કારણથી અપૂર્ણ રહેલા તે તેઓએ પૂર્ણ કર્યાં છે. તે વિભાગ વાંચતા તેઓએ સિદ્ધચક્રની સ્થાપનાના યાગને કેવી ઉત્કૃષ્ટ રીતે બતાવ્યેા છે તેનું સહજ ભાન થાય તેમ છે. આવા પૂર્ણ પ્રતિભાશાળી, ન્યાયષ્ટિમાન્, નયનું રહસ્ય સમજાવનાર મહાત્મા સત્તરમી સદીમાં થયા તે સમય કેવા ભાગ્યશાળી હશે તે થાડા વખત ડભાઇમાં તેઓશ્રીના પાદુકાસ્થાન-સ્તૂપ પાસે અવકાશે બેસીને મનન કરવા ચેાગ્ય છે. ઉપાધ્યાયજીના મુખ્ય વિચારામાં વ્યવહારને મુખ્ય સ્થાન આપવાનું અને સાથે નિશ્ચયને આદરવાનુ જણાઈ આવે છે અને અન્ને નયમાં તથા દરેક ખીજા સ્થળેાએ પણ વિરોધ ટાળવાના પ્રસંગે ૧૦ : Jain Education International * For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy