SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ શ્રી આનંદઘનજી અને તેને સમય ટંકશાળી વચને બોલવાનું અસાધારણ માન પ્રાપ્ત કરનાર મહાત્માને વિષયપ્રવેશ વિચારતાં અસાધારણ પૂજ્ય બુદ્ધિ ઉત્પન્ન થાય છે. તેમણે ન્યાયખંડન ખાધ અને અષ્ટસહસ્ત્રી તયા શાસ્ત્રવાર્તાસમુચિય વિગેરે ટીકામાં ન્યાયનું અસાધારણ જ્ઞાન બતાવ્યું છે. અને વિષય પરને તેઓને કાબૂ વિચારતાં મનમાં સાનંદાશ્ચર્ય થાય છે. એ ઉપરાંત જૈન તર્ક ભાષા, નયપ્રદીપ, નોપદેશ, નયરહસ્ય વિગેરે અનેક ન્યાયના ગ્રંથે તેઓએ બનાવ્યા છે તે અત્યારે લભ્ય છે. અધ્યાત્મ અને યુગના વિષયનાં પણ અલૌકિક પુસ્તકે તેઓએ લખી તત્કાલીન અને ભવિષ્યત્વ જૈન પ્રજા પર મોટે ઉપકાર કર્યો છે. તેઓના “વૈરાગ્યકલ્પલતા ”, “અધ્યાત્મસાર ? અને સર્વશિરોમણિ “જ્ઞાનબિંદુ * જેવા ગ્રંથે વાચતાં કર્તાની અસાધારણ વિષયગ્રહણ અને રજૂ કરવાની શક્તિ ઉપર ખ્યાલ થવા સાથે વિષય સ્પષ્ટ થઈ જાય છે. એ ઉપરાંત “ બત્રીશ બત્રીશીઓ લખી યોગના વિષયના ઘણા પૂર્વ-રચિત વિષયને એકત્ર કર્યો છે અને તે જ કેગના વિષય પર “ આઠ દૃષ્ટિની સઝાય? ગુજરાતીમાં બનાવી છે. ચાલુ ઉપગમાં “ગુરૂતત્વનિર્ણય ? અને ભાષારહસ્ય બનાવી બહુ લાભ કર્યો છે અને અન્ય પક્ષ સંબંધમાં પ્રતિમાશતક', દેવધર્મપરીક્ષા” અને “અધ્યામમતખંડન જેવાં પુસ્તક લખ્યાં છે જે તેઓની વિવિધતા બતાવે છે. વળી એક “સિદ્ધાન્તત/પરિષ્કાર ' નામને ગ્રંથ લખી તેમાં સિદ્ધાન્ત સંબંધી લેકના મનમાં શંકા આવે તેવા પ્રસંગોને નિર્ણય અસાધારણ રીતે કરી આપ્યો જણાય છે. સમયાન્તર જ્ઞાનદર્શનના ઉપયોગ સંબંધી સિદ્ધાતિક મત અને ન્યાયકુલગૃહ શ્રીસિદ્ધસેન દિવાકરના અભિપ્રાય ઉપર જે અસાધારણ યુક્તિવડે દલીલપુર:સર વિચારો બતાવી નિર્ણય કર્યો છે તે વાંચતાં તેઓશ્રીના અદ્દભુત જ્ઞાનને ખ્યાલ આવે તેમ છે. સંસ્કૃતમાં અનેક ગ્રંથ બનાવવા ઉપરાંત અતિ વિશિષ્ટ શબ્દભંડોળ સાથે ગુજરાતીમાં સમકિતના ૬૭ બેલની સજઝાય, અઢાર પાપસ્થાનકની અઢાર સજઝાય, એકાદશીના ગરણું, જંબુસ્વામીને રાસ, ૪૨, ૧૨૫, ૧૫૦ અને ૩૫૦ ગાથાનાં સ્તવને, વીશીએ વિગેરે અનેક પદ્યરચના કરી છે, “યશવિલાસ'ના નામથી ઓળખાતે પદને સંગ્રહ બનાવ્યો છે અને તે પ્રત્યેકમાં ગુજરાતી ભાષા ઉપર અસાધારણ કાબૂ બતાવ્યું છે. ગુજરાતી કૃતિમાં તેઓએ જ્યાં જ્યાં સંસ્કૃત લેકોનાં ભાષાંતરે મૂક્યાં છે ત્યાં બરાબર શબ્દરચના કરી સમાન ભાવાર્થથી સરળપણે સંસ્કૃતમાંથી ગુજરાતીમાં ઉલ્લેખ કરવાની અસાધારણ અવતરણુશકિત બતાવી છે. આવી સુંદર રીતે સંસ્કૃતને ગુજરાતી પદ્યમાં બતાવી શકનાર મારા વાંચવામાં કે વિદ્વાન–જેન અથવા જેનેતર-આવ્યા નથી. મતલબ તેઓએ ગુજરાતીમાં અવતરણ જ્યાં જ્યાં કર્યું છે ત્યાં ત્યાં મૂળ શ્લેકને ક્ષતિ આણવાને બદલે તેને વધારી સુધારી અતિ આકર્ષણીય ભાષામાં ગુજરાતીમાં મૂકેલ છે. તેઓએ ગુજરાતીમાં દ્રવ્યગુણુપર્યાયને રાસ” બનાવી બહુ ઉપકાર કર્યો છે અને તેમાં આશ્ચર્ય જેવું એ થયું છે કે જ્યારે સાધારણ રીતે સંસ્કૃત ગ્રંથનું ગુજરાતી ભાષાંતર થવાને કમ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy