SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શન ઉષોતને કાળ તેની બુઝ અજ્ઞ અથવા નિરક્ષર લેકે સમજી શક્તા નહિ હોય અને તેથી બાહ્ય આડંબર વધે તે ઉપદેશ થતો હશે અને તેવો ઉપદેશ સાંભળવા મેટી મેદની મળતી નહિ. આ પ્રમાણે થવું એ દર્શનઉદ્યોતકાળમાં તદ્દન બનવાજોગ છે. ગૃહસ્થ અને સાધુવગની આ કાળમાં આવી દશા હતી એમ સામાન્ય રીતે કહી શકાય; વધારે વિસ્તારથી તેને ખ્યાલ કરવા માટે સદરહુ બને સ્તવને વાંચવા ભલામણ છે, એમાં સાધુવેશધારીઓ લોકોને કેવી રીતે છેતરતા હતા, કેવો મૃષા ઉપદેશ આપતા હતા, કેવી રીતે પિતાનાં માન-પૂજા વધારતા હતા, અને તેને લઈને શાસનની કેવી દશા થઈ હતી, તેનું તાદશ ચિત્ર આપવામાં આવ્યું છે. આવી સ્થિતિ જ્યારે સામાન્ય જનસમૂહની હતી ત્યારે સાથે જ અસાધારણ જ્ઞાનબળ ધરાવનાર અનેક મહાત્માની રત્નાવલી હયાત હતી અને વિશિષ્ટ તત્ત્વજ્ઞાન, ન્યાય અને ક્રિયાકાંડના ગ્રંથને નિષ્કર્ષ કાઢી તેનું સ્વરૂપ લક્ષ્યમાં લઈ તે પ્રમાણે જનસમૂહને દેરવી શકે એવી અસાધારણ શક્તિવાળા મહાપુરુષે તે વખતે પૃથ્વીતળને પાવન કરતા હતા. આ કાળમાં ઉત્તમ વૈરાગ્યવાળા પુરુષ જેન અને જેનેતરમાં બહુ મોટી સંખ્યામાં થયા હતા અને તેઓ પ્રબળ શકિતવાળા અને જનસમૂહની પ્રકૃતિ અને પ્રવૃત્તિમાં મેટે ફેરફાર કરાવી શકે તેવા હતા તે હવે પછી જોવામાં આવશે. બાકી સામાન્ય રીતે તે “કલહકારી કદાગ્રહ ભર્યા, થાપતા આપણે બેલ રે; જિનવચન અન્યથા દાખવે, આજ તે વાજતે ઢેલ રે. સ્વામી સીમંધરા વિનતિ.” આવી ગુરુઓની સ્થિતિ થઈ પડી હતી અને તેથી ઉપાધ્યાયજીને એવા શબ્દ કાઢવા પડ્યા હતા કે– જ્ઞાન દર્શન થરણુ ગુણ વિના, જે કરા કુલાચાર રે; લૂંટે તેણે જન દેખતાં, કિહાં કરે છેક પાકાર રે. સવામી સીમ ધરા વિનતિ આ બને સ્તવને સૂક્ષમ દૃષ્ટિએ વાંચતાં સામાન્ય અસર મન પર એવી થાય છે કે એ સમયમાં સાધુઓ શિથિલાચારી થઈ ગયા હતા, ગૃહસ્થ વિષયસેવામાં જ્ઞાનશૂન્ય, આડંબરમાં આસક્ત થયા હતા અને તેમને જ્ઞાનની મહત્તા શી છે તેની સારી રીતે સમજણ પાડવાની જરૂર હતી. બાહ્ય ભાવ ત્યાગ કરી આત્મિક દૃષ્ટિ જાગ્રત કરવાનો ઉપદેશ યશવિજ્યજી મહારાજે તે જમાનાની વસ્તુસ્થિતિ જોઈને અને તેનું તાદશ ચિત્ર આપીને બતાવ્યું કે તેને આનંદઘનજીના ઉપદેશ સાથે બહુ સામ્ય છે અને તે પદને ભાવ હવે પછી વિચારવામાં આવશે ત્યાં બરાબર સ્પષ્ટ રીતે ગ્રાહ્યમાં આવી શકશે. અહીં આપણે આ પ્રસંગે એ સમયને ઈતિહાસ વિચારતાં એક વાત બરાબર ધ્યાન પર લાવી * સવા સે ગાથાનું સ્તવન–પ્રથમ ઢાળ-ગાથા આઠમી. + સદર ગાથા ત્રીજી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy