SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ શ્રી આન ધનજી અને તેના સમય ૩૫૦ ગાથાનાં સ્તવનના ટમામાં પ્રશસ્તિ પર વિવેચન કરતાં શ્રી પદ્મવિજય સંવત્ ૧૭૩૦ માં આ વાતને મજબૂત કરે છે. ( જુએ સત્તરમી ઢાલની દશમી ગાથાને ખાલાવાધ. ) ત્યાં જણાવે છે કે સંવેગ મા તેમણે વિજયસિંહસૂરિની હિતશિક્ષાનુસાર આદર્યાં એને ભાવાર્થ એમ થાય છે કે શ્રી યશેાવિજયજી ઉપાધ્યાયે પણ તેઓની આજ્ઞા પામીને ક્રિયાઉદ્ધાર કર્યાં.' આ સ શબ્દો ઉક્ત પદ્મવિજયજીના છે. આવી રીતે ક્રિયાઉદ્ધાર કરી વિશુદ્ધ માગ પર ષ્ટિ રખાવવા માટે બાહ્ય વેશના રંગમાં પણ ફેરફાર કરવા પડ્યો. એ ઉપરાંત પદવીઓના ક્રમમાં પણ ફેરફાર થયા અને તેવી લગભગ ૪૮૦ આખતે ક્રિયાને લગતી ફેરવવી પડી છે એમ સાંભળ્યું છે. એ ખાખતેનુ લીસ્ટ મને મળી શકયું નથી, તેને માટે હાલ તપાસ ચાલે છે. જૈન ધર્મમાં અને ખાસ કરીને તેના સ્યાદ્વાદ શૈલીએ ચાલતા શાસનમાં એ એક ખાસ તત્ત્વ રહેલું છે કે એના વિચારશીલ આગેવાના જમાનાને અનુસરતા ચેાગ્ય ફેરફાર વખતેવખત કરી શકે છે અને આવા ફેરફારા ક્રિયામાગને અંગે વારવાર થાય છે. દર્શનઘાતના કાળઃ સાધુઓને અંગે આ ક્રિયાઉદ્ધાર જેમ ખાસ ધ્યાન આપવા ચેાગ્ય બનાવ આ કાળમાં બન્યા છે તેમ મીજી હકીકતા જોતાં જો કે દેશની આર્થિક સ્થિતિ સારી હતી તેથી દનના ઉદ્યોત પ્રસંગા વારંવાર બનતા પણ તે એટલી હદ સુધી વધી ગયા હશે કે બે મોટા પ્રસંગે યશેાવિજયજીને તે સંબંધમાં ફરિયાદ કરવી પડી છે. એક તા ઉપર ટાંકેલાં વચન ગૃહસ્થો વિષયરસમાં રાચી રહ્યા છે ત્યાં ‘ ધુમધામે ધમાધમ ચલી ’ એમ કહ્યું છે અને ત્યાર પછી એ જ સ્તવનમાં એકાંત ક્રિયાના રસિકને કેવી હાનિ થાય છે તે પર મેટા ઉલ્લેખ કર્યાં છે. આવી રીતે જ્ઞાનમાગ દૂર રહ્યો છે અને ગૃહસ્થા પણ પૌલિક મેાહનાં સાધનામાં રાચી રહ્યા છે એ પર વારંવાર ભાર મૂકીને કહેવાનું કારણુ એ જાય છે કે જ્ઞાનના ઉપદેશ તે વખતે બહુ ચાલતા નહિ હોય, સંધ ચતુર્વિધ દેશ વિદેશી, મલિયા તિહાં સકેતે જી, વિવિધ મહોત્સવ કરતાં દેખી, નિજ સૂરિપદને હેતે જી; પ્રાય શિથિલપણું બહુ દેખી, ચિત્ત વૈરાગે' વાસી”, સૂરિવર આગે વિનય વિાગે', મનની વાત પ્રકાશીજી. Jain Education International *સૂરિ પદવી નવી લેવી સ્વામી, કરશુ કિરિયા ઉદ્ધારજી,’ કહે સૂરિ આ ગાદી છે તુમ સિ,તુમ વશ સહુ અણગાર૭;' એમ કહી સ્વર્ગ સીધાવ્યા સૂરિવર, સઘને વાત સુણાવીજી, સત્યવિજય પંન્યાસની આણા, મુનિગણુમાં વરતાવીજી. સઘની સાથે તેણે નિજ હાથે, વિજયપ્રભસૂરિ થાપીજી, ગચ્છ નિષ્ઠાએ વિહારી, સર્વંગતા ગુણુ વ્યાપીજી; રગિત ચેલ લહી જગ વરૃ, ચૈત્ય ધ લક્ષીજી, સૂરિ પાઠક રહે સન્મુખ ઊભા, વાચક જસ તસ પક્ષીજી. For Private & Personal Use Only ' ર . www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy