SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ શ્રી આનંદઘનજી અને તેને સમય આ જ સમયમાં વિજયસિંહસૂરિના શિષ્ય શ્રીમદ્ સત્યવિજયજીના ક્રિયાઉદ્ધારની વાત આપણે સાંભળીએ છીએ. તેને માટે આપણે હવે પછી વિચાર કરશું. ધાર્મિક સ્થિતિને ઇતિહાસઃ ાિઉદ્ધારની આવશ્યકતા : આ સમયની ધાર્મિક સ્થિતિ તપાસવા માટે ખાસ વિગત પૂરી પાડે તેવી રીતે શ્રીમદ્ યશોવિજયજીએ ભાષામાં ૩૫૦ ગાથાનું શ્રી સીમંધરસ્વામીની વિજ્ઞપ્તિરૂપ અને ૧૨૫ ગાથાનું પણ તેવા જ આકારનું સ્તવન તેમ જ બત્રીશ બત્રીશીની કેટલીક બત્રીશીઓ અને ગુરુતત્વનિર્ણય વિગેરે પ્રૌઢ ગ્રંથ બનાવીને તેમાં અનેક વાતોનો સમાવેશ કર્યો છે. તેમાંની કેટલીક વાતો કદાચ ભવિષ્યની પ્રજાને શુદ્ધ માગે ગમન કરાવવા માટે લખાયેલી હોય એમ લાગે છે તે પણ એટલું તે તે સ્તવને ઉપરથી સ્પષ્ટ જણાય છે કે તત્કાલીન સાધુઓમાં કેટલેક સડો સપ્ત રીતે પસી ગયો હતો અને ક્રિયાશિથિલપણું સાધારણ થઈ પડ્યું હતું. ઉપર જણવેલાં બે સ્તવન વિગેરેની અદ્ભુત રચના અને તેમાં બતાવેલા લગભગ દરેક વિચારોનું શબ્દપ્રમાણુ બહુ ધ્યાન ખેંચનારું છે. એ સ્તવમાં તત્સમયના શિથિલાચાર પર વિચાર બતાવતાં ચાલુ પ્રવાહ કેટલે ભૂલભરેલો છે તે શાસ્ત્રના પ્રબળ આધારથી બતાવી આપ્યું છે. બન્ને સ્તવને શ્રી સીમંધરસ્વામીની વિસિરૂપે ભરતક્ષેત્રની તે કાળની ધાર્મિક સ્થિતિ બતાવવા બનાવેલાં છે અને તેનાં પર બાલાવબેધ સમર્થ વિદ્વાન શ્રી પદ્મવિજયજીએ પૂરીને બહુ ઉપકાર કર્યો છે. ભરતક્ષેત્રની (તત્કાલીન) વર્તમાન સ્થિતિ બતાવતાં કેટલાંક પ્રાણુઓ ખોટાં અવલંબનો આદરી પ્રાણીને કેવી રીતે કુમાર્ગ ઉપર લઈ જાય છે તે બતાવતાં મુખ્ય બે વાત બતાવી છે, તે આપણે તારવી જોઈએ – કામકુંભાદિક અધિનું, ધર્મનું કે નવિ મૂલ રે; દોકડે કુગુરુ તે દાખવે, શું થયું એહ જગ શૂલ રે. (૧. ૫) વિષયરસમાં ગૃહી માચીયા, નાચીયા કુગુરુ મદ પૂર રે, ધૂમધામે ધમાધમ ચલી, જ્ઞાનમારગ રહ્યો દૂર રે. (૧. ૭) અહીં કુગુરુ અમૂલ્ય ધર્મને પૈસાથી વેચતા હતા એમ સવાસો ગાથાના સ્તવનમાં બતાવી કુગુરુ ક્રિયામાં શિથિલ થયા છે, પાંચમા આરામાં ઉત્તમ પ્રકારની ક્રિયા કરવાની જરૂર નથી અને ચાલે છે તેમ ચલાવી લઈએ એવી એવી તેઓ તરફથી કરવામાં આવતી બેટા ઉપદેશની વાત ઊઘાડી પાડી તેના ગર્ભમાં રહેલું અસત્ય અને ક્રિયામાંઘપણું બતાવવા પ્રબળ પ્રયાસ કર્યો છે અને તે માટે જ લગભગ આખા સાડી ત્રણસે તથા સવારે ગાથાનાં સ્તવનમાં વાત કરી છે. એ સર્વ વાતોનું પૃથક્કરણ કરતાં એકલવિહારીપણું, એક સ્થાનસેવન, ગૃહસ્થ ઉપર રાગ અને રાગી શ્રાવકે તરફથી પિતાની થતી પૂજાભક્તિમાં આસક્તિ-આ સર્વ વાત પર ખાસ લક્ષ્ય ખેંચાય છે અને તે ઉપરથી ક્રિયાશિથિલપણાને દોષ ટાળવા માટે તેઓએ પ્રબળ પ્રયાસ કર્યો હોય એમ જણાય છે. આ સર્વ બાબતેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy