________________
સત્તરમી સદી પર વિચારણા
૬૩
અઢારમાની શરૂઆતનેા ભાગ અથવા ઇસ્વીસનના સત્તરમા શતકનેા જૈનેતર અને જૈન ઇતિહાસ તપાસી જઇએ, જેથી તેની છાયા પદોમાં કેટલી આવી છે તે વારવાર પદોમાં વિચારવાની આવશ્યકતા ન રહે.
દેશસ્થિતિ
ખ્રીસ્તી પ્રજાના સત્તરમા સૈકાની આખરમાં અથવા વિશેષ સ્પષ્ટ રીતે મેલીએ તે તેના ઉત્તરાર્ધમાં કુટુંબકલડુ કરી ઔરગઝેબ ગાદી પર આવેલ હતા. તેણે ધર્માધપણે રાજ્યશાસન ચલાવી અનેક લડાઇએ લડી હિંદુઓને પરાંગમુખ કરવા સાથે મુગલાઇને હચમચાવી દીધી અને તેના વખતમાં જે સડા દાખલ થયા તેના પરિણામે મુગલાઇ સત્તાને થાડા વખતમાં નાશ થયા. નામની સત્તાઘેાડાં વરસેા સુધી ચાલી, પણુ રાજતેજ ચાલ્યું ગયું અને તેનાં ધર્માંધપણુના પિરણામે રામદાસ સ્વામીના ઉપદેશથી છત્રપતિ શિવાજીએ હિંદુઓને ઝડા ઊંચકી દક્ષિણમાં ઔરંગઝેબ સામે અનેક રીતે લડાઈઓ જારી રાખી, નિઝામુલમુલ્ક જેવા સરદ્વારા સ્વતંત્ર થઈ ગયા અને આખા દેશમાં અનેક લડાઇએ જાગી, સર્વત્ર દાવાનળ ઉઠ્યો અને જાનમાલની અને આબરુની અસ્થિરતા ઊઘાડી રીતે જણાઇ આવી. આવી રીતે દેશમાં અનેક સ્થિતિ ચાલતી હતી, અવારનવાર રજપૂતા લાગ મળે મુગલાઈ દ્વાર સામે માથું ઉંચકતા હતા અને કાઇ વાર શરણે જઈ પુત્રીના લગ્ન પણ મુસલમાન સાથે કરી આપતા હતા. મરાઠા રાજ્ય સાથે પેશ્વાઇને પગપૈસારે પણ આ જ સમયમાં શરૂ થઇ ગયા અને આંગ્લ પ્રજા પેાતાના ભવિષ્યના રાજ્ય માટે પાદપ્રવેશ કરવાની શરૂઆત આ જ સમયમાં કરી ચૂકી. ઇતિહાસના અનેક પ્રસંગાથી ભરપૂર આ સમયના સંબંધમાં હજારા પૃષ્ઠથી ભરેલાં મેટાં પુસ્તક બહાર પડી ચૂકયાં છે એટલે એ સંબંધમાં વિશેષ લખવાની આવશ્યકતા લાગતી નથી, પરંતુ રામદાસ સ્વામીને પ્રસંગ અને જાનમાલની અસ્થિરતા આ મે બાબત ઘણી ઉપયાગી છે, તે સંબંધમાં અહીં ખાસ લક્ષ્ય ખેંચવામાં આવે છે.
જનસ્થિતિ
આ સમય હિંદુસ્તાન માટે બહુ અગત્યને હતેા અને બહુ ખારિક હતા. અકબર બાદશાહે જૂદી જૂદી કામેાને એકત્ર કરવાનાં બી વાવ્યાં હતાં, રજપૂતાની સાથે સંબંધ વધાર્યા હતે, તેઓને રાજ્યના મોટા હાાએ આપી જવાબદાર અનાવ્યા હતા અને હિંદુઓના હિતને પોતાના હિત સાથે એકત્ર કરી બતાવ્યુ હતુ. તેની આ રાજ્યનીતિને પરિણામે દેશની સમૃદ્ધિમાં વધારો થયા અને જહાંગીર અને શાહજહાનના સમયમાં દેશ બાહ્ય દૃષ્ટિએ બહુ સમૃદ્ધિમાં આળ્યે તેમજ આત્મ-ઉન્નતિનાં પ્રબળ સાધના પણ વિસ્તૃત રીતે તે સમયે દેશમાં વધતાં ગયાં. ત્યારપછી કુટુબકલડુ કરી ઝનૂની ઔરંગઝેબ રાજ્યાસન પર આવ્યે તે વખતે જાનમાલની અસ્થિરતા છતાં દેશની આબાદી એકદરે સારી હતી હિંદુ અને મુસલમાન કામ વચ્ચે વૈમનસ્ય ઉત્પન્ન કરાવનાર કર ( જઝીઆવેરા ) નાખી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org