SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદઘનજીની કૃતિને ક્રમ ૨. પદોની ગોÁવણ સ્તવન પેઠે એક સરખી નથી, કેમ ખાસ લીધેલે જણાતે નથી તે જુદા જુદા સમય બતાવે છે. ૩. સ્તવનની પેઠે એક વિચારને કમસર વિકસ્વર કર્યો હોય એવો એક નિયમ પદમાંથી મળી આવતું નથી. ૪. વૈરાગ્ય અને યોગનાં પદો અવારનવાર ક્રમ વગર આવ્યા કરે છે તેમ જ વરચે આલાપસંભાવના પદો આવે છે અને આગળ વધતાં હરિયાળી આવે છે તે વિયુક્ત પ્રસંગે સ્પષ્ટ બતાવી આપે છે. ૫. જે વિચારપરિપકવતા સ્તવને માં છે તે તેની ઉત્કૃષ્ટ સ્થિતિએ છે અને સ્તવનમાં ખાસ કરીને પરંપરાને-વ્યવહારને જે સ્થાન આપવામાં આવ્યું છે તે અનુભવનું પરિણામ હેવું જોઈએ એવું સહજ અનુમાન કરાવે છે. સ્તવનને સમય વિચારતાં નીચેની ખાસ બાબત ઉપર ધ્યાન ખેંચાય છે – ૧. એમાં ગુજરાતી ભાષાનું તત્ત્વ પદના પ્રમાણમાં સવિશેષ છે. ૨. એમાં વિષય અતિ ઉદાત્ત હોવા છતાં ભાષા પર જે કાબુ પદમાં છે તે અત્ર નથી, તે બાબત ખાસ વિચારીને સમજવા લાગ્યા છે. ૩. વિષય પ્રતિપાદન કરવાની વિશિષ્ટ શૈલી અહીં સ્પષ્ટ દેખાય છે પણ ત~ાગ્ય ભાષાની ઉત્તમતા સ્તવને કરતાં પદોમાં વિશેષ આવે છે. ૪. ખાસ કરીને ખાસ વાક્યપ્રયોગો અને શબ્દચના ઘરની ભાષા તરીકે પદોમાં જે ભાવ ઉત્પન્ન કરે છે તે સ્તવનમાં આવી શકી નથી. ૫ સ્તવનની મહત્તા તેના વિષયનિરૂપણને અંગે રહેલી છે. જ્યારે પદની ભાષાશૈલી અતિ વિશાળ, આકર્ષક અને ઉન્નત છે તે બારીકીથી જોવાથી જણાઈ આવે તેમ છે. ૬. સ્તવનો અધૂરા રહી ગયાં છે જેને માટે અવકાશ મળ્યો હોત તે આનંદઘનજી જરૂર પૂરાં કરત અને તેથી તે તેમની ઉત્તરાવસ્થામાં-લગભગ જીવનના છેવટના ભાગમાં બનેલાં હોય એમ બતાવે છે. આટલા ઉપરથી પદોની રચના જીવનના પહેલા ભાગમાં થઈ હોય એમ જણાય છે. તેઓનું ચરિત્ર, તેઓને વિહાર અને તેઓનો પ્રસંગ ઘણોખરો ઉત્તર હિન્દુસ્તાન અને મારવાડમાં હોવાથી ઘણાંખરાં પદો તત્રત્ય વિહારમાં બનેલાં હોય અને કઈ કઈ જીવનના પછવાડેના ભાગમાં ગુજરાતના પરિચય વખતે લખાયાં હોય એમ બનવાજોગ લાગે છે. અને પાલણપુર તરફના વિહાર-પ્રસંગે તથા શત્રુંજયઆગમન-પ્રસંગે જીવનના છેવટના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy