________________
શ્રી આનઘનજી અને તેને સમય. પ્રભુસ્વરૂપની સ્તુતિ કરે છે, તેમના નામનું રટણ કરે છે, તેમની પ્રતિમાના શાંત ભાવની વિચારણા કરે છે અને તેની સાથે જ ચોમા સ્તવનમાં એ પરમાત્મભાવની સેવનાની મુશ્કેલીએ પેાતાના લક્ષ્યમાં છે એમ બતાવી આપે છે, કારણ કે પંદરમા સ્તવનમાં તુરત જ જણાવે છે કે પ્રભુને ગાઉં છું, પણ હજુ ધર્મનેા-પરમાત્મભાવને મ પામી શકાણા હાય એમ જણાતુ નથી અને તે સ્પષ્ટ કરવા ઘણા વિસ્તારથી શાંતિસ્વરૂપ સાળમા સ્તવનમાં વર્ણવે છે અને ત્યાર પછી સત્તરમા સ્તવનમાં જણાવે છે કે આટલી વાત કરતાં છતાં, આવા ઉચ્ચ આધ્યાત્મિક પ્રદેશમાં ઉડ્ડયન કરવાના વિચાર। છતાં મન હજી સ્થિર રહેતું નથી, તે જ્યાં ત્યાં રખડ્યા કરે છે. મન પર અંકુશ પ્રાપ્ત થવા તે ચેાગમાં અતિ આગળ વધ્યા પછી બનવાજોગ છે એમ જણાવી પરમાત્મભાવના ધર્મ, તેની ફરજો અને જવાબદારીએ અને તેને અંગે પર્યાયષ્ટિ તથા સ્વપરસમયની વિચારણા અનુભવ દ્વારા અઢારમા સ્તવનમાં કરી ખાસ પરમાત્મભાવ સમજાવવા માટે આગણીશમા સ્તવનમાં અઢાર દૂષણ પર વિસ્તારથી ઉલ્લેખ કરી વીશમા સ્તવનમાં આત્મતત્ત્વની વિચારણા અને એકવીશમા સ્તવનમાં ષડ્ઝનાનુ અરસ્પરસ સ્થાન કર્યુ છે અને તેનાં કારણેા કેવાં છે તે બહુ સ્પષ્ટ રીતે બતાવે છે. આવી રીતે એકવીશ સ્તવનમાં આત્માની ઉત્ક્રાંતિ બતાવનાર ચાગિરાજે જો બાકીનાં સ્તવને લખ્યાં હાત તે અતિ વિશુદ્ધ આત્મદશાના ભાવ બતાવનાર અને ખાસ કરીને યાગની અતિ ઉત્કૃષ્ટ દશા સૂચવનાર ભાવને પ્રકાશ તે કરી આપત. આવીશમું સ્તવન તેનું બનાવેલુ કહેવાય છે. તેની વસ્તુરચના, ભાષા અને વિષય એવા જૂદા પડી જાય છે કે તેટલા ઉપરથી જ જો અનુમાન કરી શકાતુ હાય તે મારા વિચાર પ્રમાણે એ સ્તવન આનંદઘનજીનું બનાવેલુ હાય એમ સંભવતું નથી. એકવીશ સ્તવન સુધી જે લય ચાલ્યેા આવે છે તેને ત્યાં એકદમ ભંગ થઈ જાય છે અને તેમાં લીધેલ વિષય સામાન્ય કવિને શાલે તેવા જ છે. ખાકીનાં સ્તવને પૂર્ણ કરવા અન્ય કવિએ પ્રયાસ કર્યાં છે તે આનંદઘનજીનાં સ્તવના પાસે તદ્ન સામાન્ય અને પરખાઇ આવે તેવા જણાય છે. એમાં વસ્તુસ્થાપન અને ભાષાગોરવ એટલાં ફેરફાર પામી જાય છે કે એ સ્તવના જ બાકીના ઉપરોકત સ્તવનની વિશાળતા, મહત્તા અને વિશેષતા બતાવવા માટે બસ થશે. એની વિચારણા તદ્યોગ્ય સ્થાનકે કરવામાં આવશે.
૬૦
કૃતિના ક્રમઃ પદ અને સ્તવને બનાવવામાં ક્રમ શુ' જળવાયા હશે એટલે કે પ્રથમ પદ બનાવ્યાં હશે કે સ્તવને ? એ સ્વાભાવિક રીતે ઉત્પન્ન થાય એવા પ્રશ્ન છે. મારા વિચાર પ્રમાણે પ્રથમ પો અનેલાં હાવાં જોઇએ અને તે સવ એકી વખતે નહિ પણ અવારનવાર બનેલાં હાવાં જોઇએ. તેનાં કારણેા નીચે મુજબ છે
૧. પદની ભાષામાં કેટલીક જગ્યાએ મારવાડીનેા, કેટલીક જગ્યાએ હિંદીના અને કોઈ કાઇમાં ગુજરાતીના રંગ અવારનવાર જણાય છે તે જુદા જુદા વખતની અસર બતાવે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org