SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ આન'ઘનજીની ચાવીશી ૫૯ શુદ્ધિ કરી તેને અભય, અદ્વેષ અને અખૈઢવાળી કરવાની જરૂર છે. ચેાગની પ્રથમ સેવામાં ચેતનજીને યાગમાં પ્રગતિ કરાવવા માટે આવી જ રીતે તૈયારી કરવાની જરૂર છે એ વિચાર ઉપાધ્યાયજી શ્રીમદ્યશેાવિજયજીએ ખારમો બત્રીશીમાં ખતાન્યા છે અને તે પર મેં “ જૈન દૃષ્ટિએ યેગ ના વિષયમાં સ્પષ્ટીકરણ કર્યું છે. તે ચેગભૂમિકા પરશુદ્ધ દૃષ્ટિએ વિચાર કરી ચેાગપ્રક્રિયા કરવા પહેલાં ચેગભૂમિકાનાં સ્થાન ચેતનજીમાંથી કચરા કાઢી નાખી તેને વિશુદ્ધ બનાવવાની આવશ્યકતા ખતાવી છે. આગળ ચતુર્થ સ્તવનમાં પ્રભુના દર્શનની તૃષા થઈ હાય-અતિ ઉત્કટ ઈચ્છા થઈ હોય એ ભાવ ચેાગષ્ટિએ બતાવેલ છે. પછી પંચમ સ્તવનમાં પરમાત્મભાવમાં આત્મઅપા કરવાની ઈચ્છા ખતાવી અસરકારક શબ્દોમાં બાહ્ય આત્મભાવ, અંતરાત્મભાવ અને પરમાત્મભાવ બતાવી આત્માપણુ કેમ થાય અને તેથી મતિના દોષો કેમ મટે તે બતાવી ‘ સમર્પણુ 'ના વૈષ્ણુવીય સિદ્ધાન્તમાં અને આ પરમાત્મદશાની વિચારણામાં રહેલા આંતિરક તફાવત આડકતરી રીતે બતાવી આપ્યા છે. આવી રીતે પરમાત્મદશાનું સ્વરૂપ બતાવ્યા પછી પરમાત્મભાવ અને પેાતાના વર્તમાન સ્વરૂપ વચ્ચે રહેલા માટે આંતરા સ્પષ્ટ જોવામાં આવે છે ત્યારે એ અંતર કેવી રીતે ભાંગી જાય, પરમાત્મદશા સાથે કેવી રીતે સમીપવતિત્વ પ્રાપ્ત થાય તે પર તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ વિચાર કરે છે અને તેમાં એ અંતર ભાંગતી વખતે અને ભાંગ્યા પછી કેવા આનંદ્ન થશે તે બતાવી પ્રભુ સન્મુખ-પરમાત્મભાવ સન્મુખ થવા આગળ વધે છે. સાતમા સ્તવનમાં પ્રભુનાં-પરમાત્મભાવનાં અનેક નામેા બતાવી, એને ગમે તે પ્રકારે ભજી, સ્વરૂપસાધન સ્વીકારવા અને પેાતાના તે સ્વરૂપને પ્રગટ કરવા વિચારણા બતાવી છે અને એવુ શુદ્ધ સ્વરૂપ પોતાને જોવા મળે એવી ઇચ્છા બતાવવામાં આવી છે; તેમ જ એ પરમાત્મભાવ પેતાને અત્યાર સુધી દર્શનરૂપે પ્રાપ્ત થયે। નથી એમ બતાવતાં અનેક ગતિમાં ચેતનજીની પ્રગતિ અને ગતિઆગતિ કેમ થાય છે તેનું રહસ્ય બતાવી આપ્યું છે. હવે આટલા પ્રયાસ પછી ખાદ્ય ષ્ટિએ પરમાત્મભાવનું દર્શન થાય છે ત્યારે નવમા સ્તવનમાં ખાદ્ય અને અંતરંગ પૂજા કરી પરમાત્મભાવ વિચારવા, તેની સન્મુખ જવા, તેને આદરવા અને પરંપરાએ તેથી થતી સાધ્યપ્રાપ્તિ તરફ લક્ષ્ય રાખવાની સૂચના કરી પછી પ્રભુ સન્મુખ થયેલ ચેતનજી દશમા સ્તવનમાં કેટલીક ત્રિભંગીઓ વિચારે છે. અહીં તાત્ત્વિક દૃષ્ટિ કરતાં ધાર્મિક દૃષ્ટિએ વિચારણા થાય છે તે ખાસ લક્ષ્યમાં લેવા ચેાગ્ય છે. અહીં સુધી બાહ્ય વિચારણા કરી, હવે અંતરાત્મદશાએ વસ્તુગત સ્વરૂપે, અધ્યાત્મમતની દૃષ્ટિએ પરમાત્મભાવની વિચારણા કરે છે ત્યારે તેમને ખારમા સ્તવનમાં પરમાત્મદશાનાં ઘણાં નામેા પ્રાપ્ત થાય છે, તેમાંથી કેટલાંક પર વિચાર કરી આત્મજ્ઞાનનુ અને દ્રવ્યલિંગનું લક્ષણ બાંધી પ્રભુની ભેટ કરે છે. મતલબ પરમાત્મભાવનું સ્વરૂપ અહીં કાંઈક સાક્ષાત્કાર રૂપે થાય છે. તેના જવાખમાં તેરમા સ્તવનમાં આનંદમાં આવી હવે પેાતાનાં સ્થૂળ દુઃખા દૂર ગયાં એમ ખતાવી આઠમા સ્તવનમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy