SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આનંદઘનજી અને તેનો સમય ૪ વૈરાગ્ય ઉપદેશક પદે. ૫ જનપ્રકૃતિદર્શન પદે. ૬ સુમતિ શ્રદ્ધાની પરસ્પર ઉક્તિનાં પદો. ૭ સુમતિના વિરહાલાપનાં પદે. ૮ સુમતિની અનુભવ પ્રતિ ઉક્તિ. ૯ સુમતિની શુદ્ધ ચેતન પ્રતિ ઉક્તિ. ૧૦ સ્વાનુભવદર્શક પદે. ૧૧ પરમસહિષ્ણુતા વિચારદર્શક પદે. આવી રીતે વિષય અને ઉક્તિને અંગે પદોના ભેદ પાડવા હોય તે પડી શકે તેમ છે, પરંતુ અનુક્રમે પદે આવ્યાં કરે તે પણ તેમાં વિષય ફરતા રહેવાથી વાંચવામાં આનંદ આવે છે. મુખ્ય ત્રણ વિભાગ પદના પાડવા ગ્ય છેઃ આધ્યાત્મિક, ગવિષયક અને વૈરાગ્યને લગતા આવા વિભાગો પાડી જુદા જુદા વિષયના રસિક અથવા ખપી જીને ઉપયોગી થાય તેમ પદેનું પૃથક્કરણ કરવાની જરૂર છે તે હવે પછી બનશે. અહીં તો કમ એક સરખે છાપેલી બુક પ્રમાણે રાખે છે જેથી અરસ્પરસ સરખામણું, અર્થવિચારણું અને વિવેચન માટે ઉપયોગી થઈ પડે. પદનો ક્રમ અરસ્પર સંબંધવાળે છે અને જ્યારે લખાયાં હશે, સંગ્રહિત થયાં હશે અથવા ગોઠવાયાં હશે ત્યારે તેમાં કાંઈ ધરણુ હોવાનો સંભવ રહે છે. આ સંબંધ બતાવવા પદેના વિવેચન પ્રસંગે પ્રયાસ કર્યો છે અને તે પ્રયાસ ખાસ કરવા લાગ્યા છે એમ બતાવવાની જરૂર રહેતી નથી. પદે એકી વખતે લખાયાં હેય એમ તો ધારી શકાય તેમ છે જ નહિ, પરંતુ જ્યારે લખાયાં હશે અથવા સંગ્રહિત થયાં હશે ત્યારે મુદ્દાસર વિષય પર વિચાર થયે હવે જોઈએ અને તે તત્વ શોધી કાઢવા પ્રયાસ કરે બહુ રીતે ઉપયોગી ગણાય એમાં નવાઈ નથી. ૨. ચોવીશીઃ આનંદઘનજીની બીજી કૃતિ સ્તવનોની છે. એમણે “ષભ જિનેશ્વર પ્રીતમ માહા” ત્યાંથી શરૂ કરી બાવીશમા નેમનાથ સુધી પ્રત્યેક તીર્થકરનાં સ્તવને બનાવી તે દ્વારા તત્ત્વજ્ઞાન, વૈરાગ્ય અને યોગના વિષયને સારી રીતે પિષણ આપી છે. એમના સ્તવનોની ગોઠવણ તપાસવામાં આવશે તો ત્યાં પણ જણાશે કે પ્રથમ પરમાત્મસ્વરૂપ પતિને પિતાના તરીકે આદરવા વિચાર કરે છે અને તે માટે બીજા સ્તવનમાં તેને પંથડો નીહાળે છે-માર્ગ નિરીક્ષણ કરે છે અને સત્ય પ્રભુદશા–ઉન્નત પરમાત્મભાવ શેધવા અને તપાસવા વિચાર કરે છે. ત્યાર પછી ત્રીજા સ્તવનમાં જ્યારે પરમાત્મદશાનો નિર્ણય થાય છે ત્યારે વિચાર બતાવે છે કે પ્રભુની સેવા કરવા માટે પ્રથમ તે ભૂમિકાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy