SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદઘનજીની કૃતિઓ પ૭ વિશેષ વિહાર પણ એ પ્રદેશ તરફ બતાવે છે એમ મારું માનવું છે. અને તે હકીકતના પૂરાવા માટે ઉપર બહુ મુદ્દાઓ પર લક્ષ્ય ખેંચવામાં આવ્યું છે તે ખાસ વિચારણીય છે. આનંદઘનજીની કૃતિઓ ૧. બહેતેરી: આ મહાત્મા ગીની કૃતિઓમાં હાલ આપણને પદસંગ્રહ અને સ્તવનો મળી આવે છે. પદને વધારે સારી રીતે લેકે આનંદઘનજીની બહેતરીના નામથી ઓળખે છે. બહોતેરીમાં મૂળ આશયે તે બહોતેર પદે હોવા જોઈએ, પણ ભર્તુહરિ શતકમાં જેમ દરેક શતકમાં સેને બદલે સવાસેથી પણ વધારે વધારે શ્લેકે જણાય છે તેમ અહીં પણ થયું છે. એમ થવાનાં કારણોમાં એમ જણાવવામાં આવે છે કે કઈ કઈ પદે પછવાડેના કવિઓએ બનાવ્યાં હોય છતાં તેમાં આનંદઘનજીનું નામ દાખલ કર્યું હોય એમ બનવાજોગ છે. આ વાતમાં રહેલું સત્ય શોધવામાં મુશ્કેલી ઘણું છે, પરંતુ એગ અને આત્મજ્ઞાનમાં તેઓશ્રી એટલા આગળ વધી ગયેલા હતા અને તેઓ ખાસ કરીને પદમાં ભાષાને એટલી મજબૂત રીતે પકડી શક્યા છે અને વિચારે એવી પ્રખર ભાષામાં બતાવી શક્યા છે કે બધા એવી રીતે બહારનાં દાખલ થઈ ગયેલાં પદે જુદાં પાડી શકાય તેવું છે. એટલું તો ચેકકસ જણાઈ આવે છે કે પદોની સંખ્યા બહેતરની રહી શકી નથી અને જૂનામાં જૂની પ્રતો તપાસતાં પણ એ સંખ્યા ૯૦ ઉપર તે થવા જાય છે. કયા કયા પદ એમનાં બનાવેલાં ન પણ હોઈ શકે એમ ભાષા ઉપરથી તારવણી કાઢી તથા અન્ય રીતે તેનું પૃથકકરણ કરી એક વિગતવાર લેખ એ સંબંધમાં હવે પછીના વિભાગમાં લખાશે ત્યારે આ બાબત પર પણ પ્રસંગે ચર્ચા થશે, પરંતુ આ પ્રમાણે હકીકત હોવાથી બહોતેરી નામ મેં મુખપૃષ્ઠ પર રાખ્યું નથી તેનો ખુલાસો થઈ જાય છે. આ ઉપરાંત કે કઈ બહારનાં પદને અંતે તેના બનાવનાર કવિનું નામ ફેર પી આનંદઘનજીનું નામ દાખલ કરવામાં આવ્યું છે-આ પ્રમાણે થતો આક્ષેપ પુરવાર થાય એવું મને હજુ કાંઈ માલુમ પડયું નથી. આનંદઘનજીની પિતાની વૃત્તિ જોતાં તેઓ એવું કરે નહિ એ તો સ્પષ્ટ છે અને કર્તા સિવાય અન્ય આ પ્રમાણે કરે એને પૂરા શું? આ અનુમાનને અથવા આક્ષેપને વિચારપથમાંથી દૂર કરવાની જરૂર છે, કારણ કે હજુ સુધી એ અનુમાનને સાબિત કરે એવો એક પણ સીધે પૂરા મને મળ્યા નથી. આ સંબંધમાં તપાસ ચાલે છે અને તેનું પરિણામ આ જ પુસ્તકના હવે પછીના ભાગમાં દાખલ કરવામાં આવશે. જુદે જુદે પ્રસંગે બનેલાં પદેના વિભાગે નીચે પ્રમાણે પડી શકે તેમ છે. ૧ તત્ત્વજ્ઞાનનાં પદે. ૨ યુગ વિષયક પદે. ૩ અધ્યાત્મજ્ઞાનનાં પદે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy