________________
પટ્ટ
શ્રી આન ધનજી અને તેમના સમય મસ્ત થઈ, સંસારથી ઉદ્વિગ્ન દશામાં ફરતા તેઓ અવારનવાર ઉગારરૂપે પદો બનાવતા હાવા જોઇએ અને તે પદ તે વખતે પણ ખડુ લાકપ્રિય હાવાં જોઇએ એમ સહજ અનુમાન થાય છે. આગળ વધતાં તેઓ શત્રુજય યાત્રાનિમિત્ત એકાદ વખત ગુજરાતમાં આવ્યા હાય એમ વાત ચાલે છે. પાલણપુરમાં બે અથવા તેથી વધારે ચાતુર્માસ કરવાની વાતા ત્યાં પણ ચાલે છે. આવે પ્રસંગે જીવનના છેવટના ભાગમાં ચાવીશ પૈકીનાં બાવીશ સ્તવને બનાવ્યાં હાય એમ જણાય છે. એકવીશ સ્તવન તેનાં બનાવેલાં જણાય છે. ખાવીશમાની ભાષા અને તેનુ વિષયનિરૂપણુ અને તેના વાક્યપ્રયોગો જોતાં તે આનંદઘનજીનું બનાવેલ હાય એમ મને લાગતું નથી. ) શરૂઆતમાં સ્તવના બનાવ્યાં હાય એમ ધારવું એ તે તદ્દન બેહુદું છે, કારણ કે સ્તવનેમાં વિચારની દ્રૌઢતા અતિ વિકસ્વર થયેલી સ્પષ્ટ જણાઈ આવે છે અને બાવીશ સ્તવને બનાવી ખાકીનાં એ સ્તવને બનાવવાં રહેવા દે એ વાત બનવાજોગ નથી. ગમે તે કારણથી છેવટનાં એ સ્તવના બનાવવાં રહી ગયાં અને ત્યારપછી એ કવિઓએ તે સ્તવના પૂરાં કરવા તેમની વતી પ્રયાસ કર્યાં, પણ જે આધ્યાત્મિક અથવા યૌગિક વિચારાની ધારા તે બાવીશ સ્તવનેામાં લાવી શકયા છે તેની ગંધ પણુ પછવાડેનાં એ સ્તવનેામાં આવી શકી નથી. પ્રબળ આત્મજ્ઞાનથી પૃથ્વીતલને પાવન કરનાર અને હૃદયગાનથી અન્યના મસ્તકને જ નહિ પણ હૃદયને અસર કરનાર અધ્યાત્મરસિક મહાત્માની ફતેહ ખાકી રહેલા વિષયને અપૂર્ણ સ્થિતિમાં રહેવા દેવા પડ્યો છે એ જ હકીકત પૂરતી રીતે બતાવી આપે છે. તેઓશ્રી કાઠિયાવાડમાં અથવા ગુજરાતમાં જન્મ્યા હાય એમ બતાવવાને એક પણ બાહ્ય કે આંતરિક પૂરાવા ખત્રી લાયક મળ્યા નથી. માત્ર આપણી અમુક લાગણીને તૃપ્ત કરે એવા એ અનુમાન પર દોરવાઈ જવા જેવું નથી. તેઓના પ્રદેશ ઉત્તર હિંદમાં હાવાના બીજા બહારનાં ઘણાં કારણેા છે. જૈન કામમાં તે વખતે સાધુઅવસ્થાની જે સ્થિતિ થઈ રહી હતી, જેને માટે મુનિસુંદરસૂરિ મહારાજ ખસે। વરસ પહેલાં આગાહી કરી ગયા હતા અને જેને માટે સત્યવિજય પંન્યાસને ક્રિયાઉદ્ધાર કરવા પડ્યો અને શ્રીમતૢ યશોવિજયજીને સીમંધરસ્વામીની વિજ્ઞપ્તિરૂપ સ્તવના કરવી પડી—એવા સડામાંથી નીકળી જવા માટે, અથવા તે સર્વ હૃદય પર અસર ન કરે અને સાધુજીવનના તેના લાકમાન્યતાવાળા નહિ પણ આત્મહિતકારક માર્ગે ઉપયોગ થઇ શકે તે માટે બહારની ખુલ્લી હવાની જરૂર હતી અને તેને લાભ ગુજરાતની બહાર મળે તેવું હતુ. એ વખતની શાસનની સ્થિતિ પર આગળ વિચાર કરવામાં આવશે, પરંતુ જે હૃદયવિશાળતા તેઓમાં હતી તે ઉત્તર હિંદના જન્મ, વસવાટ અને વિહારને લઇને હતી એવા સહજ અનુમાન પર ઘણે ભાગે આવી જવાય છે. આ ઉપરાંત આબુ તરફ્ના આનંદઘનજીને વિહાર, ત્યાં અમુક જગ્યાને આનંદઘનજીની ગુઢ્ઢા તરીકે બતાવવામાં લેવાતી હૈાંશ અને તેના અને યશેાવિજયજીના કહેવાતા આખુ પર મેળાપ એ સવ એકંદર રીતે આનંદઘનજીના જન્મ ઉત્તર હિંદ તરફ્ અને તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org