________________
૫૪
શ્રી આનનજી અને તેમના સમય છપાઈ ગયા છે તે જોવાથી કે વાંચવાથી અથવા કોઇ પણ ઝાલાવાડના રહેવાશી સાથે વાત કરવાથી ‘સગપણુ’ શબ્દના પ્રયેાગ બરાબર સમજાય તેમ છે. આવા બે ચાર શબ્દો અહીંતહીંથી કાઠિયાવાડના બતાવવા તેઓએ પ્રયત્ન કર્યાં છે તે ભૂલભરેલા જણાય છે અને તે પરિણામ વગરના હાઈ આડે રસ્તે દોરવનારા છે. મારે સાલે' એ પ્રયાગ કાઠિયાવાડી નથી એમ કાઠિયાવાડના રહેનારને સમજાય તેવું છે, ત્યાં આવા શબ્દને માટે સસરા’ શબ્દના વિશેષ ઉપયાગ થાય છે અને મનને મારા સાળા’ એમ નરજાતિમાં ખેલાવવામાં આવે અને તેને માટે ઉપર ‘કાલે' એવું વિશેષણ વાપરવામાં આવે છતાં તેને કાઠિયાવાડી અથવા ગુજરાતી પ્રયાગ કહેવા એ ગમે તે વાતને પેાતાના આગ્રહ પ્રમાણે ખેંચી જવાનાં પ્રયત્ન જેવું લાગે છે. કીધી’ ના પ્રયાગમાં તેમને જે ગુંચવણ પડી છે તે જો મારવાડી પ્રયાગ તેમણે વિચારવા તસ્દી લીધી હેાત તે જરા પણ રહેત નહિ. આટલા ઉપરથી ગુજરાતી સ્તવનામાં કાઠ્યાવાડી તત્ત્વ વિશેષ છે એમ બતાવવા તેઓએ પ્રયત્ન કર્યાં છે તે ખરાખર નથી એમ જણાયુ હશે અને એ મૂળ પાયે કાચા પડવાથી આનંદઘનજીના વિહાર કાઠિયાવાડમાં વધારે હશે એમ જે અનુમાન કરવા તે લલચાઈ ગયા છે એ પણ અયેાગ્ય જણાશે. હવે એ સંબંધમાં આપણે વિશેષ ચર્ચા કરવા જેવું રહ્યું જણાતું નથી, ખાસ કારણુ ઉપસ્થિત થશે તે આ પુસ્તકના આગળના ભાગમાં આ વિષયને હુન્નુ પણ વધારે વિસ્તારથી ચર્ચવામાં આવશે. ભાષાપ્રયોગના વિષય પર અભ્યાસ કરી ચર્ચા કરવામાં આવે અને તેમાં પણ પેાતાના કોઈ ગુપ્ત ઉદ્દેશ ન રાખતાં શુદ્ધ ભાષાાધ અને ભાષાસેવા અથવા સાહિત્યસેવાની શુદ્ધ દૃષ્ટિથી એ વિષયને હાથ ધરવામાં આવે તે તેથી સ્વને અને જાહેર પ્રજાને ઘણા લાભ થાય એમ મારું માનવું છે. નિહ તેા થાંશુ પ્રેમ બન્યા છે. રાજ' ( ૧૫-૧ ) એવા એકાદ વાક્યપ્રયાગ બતાવી શ્રી યશેાવિજયજી મારવાડી હતા અથવા પંચકલ્યાણકની પૂજામાં સેાના રૂપાકે સાઠે સૈંયા ખેલત માજી' અથવા ધમ્મિલ રાસના બીજા ખંડની ચાથી ઢાળ વાંચીને તેના લેખક વીરવિજયજી હિંદુસ્તાની હતા અથવા તે બન્નેના વિહાર અનુક્રમે મારવાડ કે ઉત્તર હિંદમાં વિશેષ હતા એમ કહેવાને પણ શુ કાઈ લલચાઈ નહિ જાય ? જે વાત ઐતિહાસિક રીતે સાચી નથી એમ આપણે જાણીએ છીએ, છતાં મરડીને દલીલ કરનાર એવી રીતે ઢોરવવા યત્ન કરી શકે. લેાકેામાં ચાલતી વાતા, ચરિત્રનાયકના રહેલા અવશેષો, સ્તૂપે, આંતિરક પૂરાવા અને ભાષાપ્રયોગા એ સર્વ બરાબર વિચારવા, તેમની તુલના કરવી અને તેનું પૃથક્કરણ નિષ્પક્ષપાતપણે કરવું. આ નિયમ ધ્યાનમાં રાખી આનંદઘનજીનાં સ્તવને ને પઢા પર વિચાર કરવામાં આવશે તે તેઓનું કેદ્ર મધ્ય હિંદુ સિવાય અન્યત્ર આવવુ મુશ્કેલ છે, ઉપરઉપરના વિચાર કરનારને જે સ્પષ્ટ ગુજરાતી લાગે તેવા સ્તવન કે પદમાં ઉત્તર હિંદની ભાષાના પ્રયાગા ભરપૂરપણે બતાવી શકાય તેમ છે. શબ્દોની રચના, શબ્દોને ભાવાર્થ, શબ્દાની વિભક્તિ, શબ્દોની જોડણી, વાક્યમાં સંકર પ્રયાગ, પ્રયાગમાં ખાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org