SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદઘનની ભાષા-વિચારણા ૫૧ રાયા છે. રવિ શિશ રૂપ વિલેખ ’ (૪–૨ ) ત્યાં લિમ્ ધાતુને ગુણુ કરી સાથે વિ ઉપસર્ગ લગાડી સ્પષ્ટ દન એ અમાં એ શબ્દ ત્યાં વપરાયા છે, અને · વ્યવહારે લખે દેહિલા ’ (૧૮-૭) તથા · એકપખી લખી પ્રીતની ’ ( ૧૮-૮ ) ત્યાં લખે એટલે શીખે, જાણે એ અંમાં તે ધાતુ વપરાયા છે. આવા અર્થમાં ગુજરાતીમાં કદિ લખ કે લિખ ધાતુ વપરાતા નથી. હવે એ જ આનંદઘનજીએ મારવાડી-હિંદુસ્તાનીમાં લખેલ છે એમ સ્વીકારાયલાં પદોમાં તે ધાતુ કેવી રીતે વાપર્યાં છે તેનાં ત્રણ દૃષ્ટાંતેા જોઇએ. • નિરખ હાય લખે કેાય વિરલા ’ ( ૫-૩) ત્યાં લખે એટલે જાણે સમજે-દેખે એ અંમાં તે જ ધાતુ વાપર્યાં છે, ત્યાર પછી મેરી વૈર ઐસે નિઠુર લિખાવે ’ (૧૦-૧ ) લિખાવે એટલે જાણે એવા જ અર્થ ટબાકાર કરે છે તે શ્રી સંભવનાથના સ્તવનમાં લિખ ધાતુનુ પ્રેરક રૂપ જે અર્થમાં વાપર્યું છે તે જ અર્થાંમાં ત્યાં પણ એ રૂપ વાપરેલ છે. - વિરલા અલખ લખાવે ’ ( ૨૭–૧ ) અહીં લખાવે શબ્દ જાણવાના અર્થમાં ખરાખર વપરાયેલ છે. [ પૃષ્ઠ ૨૩૮-પર છાપવામાં · લગાવે' છપાયુ છે તે પ્રેસની ભૂલ છે જે તે જ પૃષ્ઠ પરની નેટ જોવાથી જણાશે. ત્યાં લખાવે શબ્દના જ અર્થ આપવામાં આવ્યે છે. ] આ લિબ્ ધાતુના શબ્દપ્રયોગ અને તેને જે અર્થાંમાં વાપરવામાં આવ્યે છે તે મારવાડી અને હિંદુસ્તાનીના થયેલા અનેક પ્રયાગોને એકદમ સ્પષ્ટ રીતે ખતાવી આપનાર હાય એમ મને લાગે છે. અત્યાર સુધીના જૈનના રાસેા અને અન્ય કેવળ ગુજરાતી કવિઓએ અનાવેલા પદ્ય ગદ્ય ગ્રંથામાં લિમ્ અથવા ‘ લખ્ ′ ધાતુને આવા ઉપયેાગ થયેલા મારા વાંચવામાં આવ્યેા નથી. C . અગિયારમા સ્તવનની ત્રીજી ગાથામાં ‘સાધે ’ક્રિયાપદ બે વખત વાપરેલ છે; · નિજ સ્વરૂપ જે કિરિયા સાથે' અને ‘ જે કિરિયા કરી ચઉ ગતિ સાધે' અહીં સાધે ક્રિયાપદના અર્થ અને કમ વિચારતાં તેના અને અર્થાં બહુ જ વિચારણીય છે. પ્રથમ ક્રિયાપદનુ ક્રમ કિરિયા છે. જ્યારે બીજી વાર ચઉ ગતિ છે. એ બન્ને જગ્યાએ તેના અર્થ અને પ્રયાગ ઉત્તર હિંદુસ્તાનના ‘સાધ્’ ધાતુના પ્રયોગ બતાવે છે. સાધ્ ધાતુ ગુજરાતીમાં વપરાય છે ત્યાં તેના અર્થ મેળવવું થાય છે, તેનાથી આ તદ્દન જુદો જ અથ છે. આની સાથે વળી ૨૧ મા પ્રભુના સ્તવનમાં તેના અથ વિચારવામાં આવશે તે તે તદ્દન નવીન અર્થ બતાવશે. એ અમાં પણુ ગુજરાતીમાં સાધ્ ધાતુને ઉપયાગ થતા નથી. શ્રી વિમળનાથજીના સ્તવનમાં આતમર્ચા આધાર ( ગાથા ૪ થી ) અને પાંચમી ગાથામાં ‘ રિશણુ દીઠે જનતા રે, ' એમાં રિશણુ શબ્દને નરજાતિમાં પ્રયાગ, વેધ શબ્દના ગુજરાતીમાં ઉપયોગ, દિનકર—સૂર્ય સાથે ‘ કરભર ’ એટલે કિરણસમૂહના પ્રયોગ અને પસરતા શબ્દના ઊગવાના અર્થ એ સવ એક જ વાત બતાવી આપે છે અને ધાર તરવારવાળા ચૌદમા શ્રી અનંતનાથજીના ઉપર ઉપરથી ગુજરાતી દેખાતા સ્તવનની છઠ્ઠી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy