SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આનંદઘનજી અને તેમને સમય એ લિંગ નપુંસક” વિગેરે. આટલા ઉપરથી મનનું નપુંસકલિંગ– સિદ્ધપણે કર્તાના જાણવામાં છે. છતાં તેને માટે નરજાતિનાં વિશેષણ અને ઉપનામ વપરાય તે સ્પષ્ટ રીતે મારવાડી ભાષાના પ્રયોગ બતાવી આપે છે. આવી રીતે પ્રેમ કલ્પતરુ છેદીએ રે' (૨૨-૫) માં ત” શબ્દને જે નરજાતિમાં વાપરેલ છે તે સંસ્કૃતિને અનુરૂપ છે, પણ ગુજરાતીમાં તે શબ્દ નપુંસકલિંગમાં જ વપરાય છે. મારવાડીમાં તો ઝાડને પણ નરજાતિમાં જ વાપરવામાં આવે છે તેથી આ પ્રયોગ તે ભાષાને અનુરૂપ છે. - સત્તરમા સ્તવનમાં “સાપ ખાય ને મુખડું થયું' એ ઉખાણું આપ્યું છે તે મારવાડ દેશની પ્રચલિત જાણીતી કહેવત છે, જ્યારે ગુજરાતમાં તેવું કઈ ઉખાણું હોય એમ જણાતું નથી. આ ઉપરાંત “ વ્યાલ તણી પરે વાંકું તેને કહેવું, “સકળ મરદને ઠેલે ” એવો વાક્યપ્રયોગ કરે અને “એ કહિ વાત છે મેટી” એમાં “કહિ” શબ્દને ખાસ વાક્યપ્રયોગ કરે એ સર્વ અર્થસૂચક છે. એમાં “કહિ” શબ્દનો અર્થ “કાંઈ” એમ થાય છે. “એ તે કાંઈ બહુ મોટી વાત કરી એવા અર્થમાં “કહિ” શબ્દ ગુજરાતીમાં વપરાતું નથી, પણ બરાબર તે જ અર્થમાં હાલ પણ મારવાડી ભાષામાં તે શબ્દ વપરાય છે. - સુમતિનાથના સ્તવનમાં “તીસર” (પ-૨) એ ત્રીજાના અર્થમાં વપરાયેલ શબ્દ હિંદુસ્તાની જાણનાર ગુજરાતી બોલનારના જેવી જ ભાષા બતાવે છે. ગુજરાતીમાં તે તીસરે ” શબ્દ જ વપરાતું નથી એ કહેવાની જરૂર નથી. આદીશ્વર ભગવાનના સ્તવનમાં “ઓર” શબ્દ બીજાના અર્થમાં વપરાયેલ છે તે શુદ્ધ હિંદુસ્તાની શબ્દપ્રયોગ છે અને તે સામાન્ય ભાષા બોધથી પણ ગ્રાહ્ય થાય તેમ છે. એ ઉપરાંત નીચેના શબ્દપ્રયોગ આનંદઘનજી મહારાજની સ્તવનની ભાષામાં મિશ્ર મારવાડ તથા ઉત્તર હિંદની ભાષાનું તત્ત્વ બતાવે છે તે વિચારવા ગ્ય છે. નીચે ઉલ્લેખ કરેલ છે તે સ્તવનને નંબર અને ગાથાને નંબર છે. સેગ (૩-૪) પીજે (૨૧-૪) બોઘા (૧૯-૬). ઘુર (૩-૧) ગતિનલી (૧૯-૫) મહિર નજર (૧૯-૧૧). ઘુરિ (૫-૨) ભાયા (૧૯–૧૦ ) ફિર (૨૦-૯) પાવે (૧૯-૧૧) ધીઠાઈ (૪-૪) દય (૯-૪) કહિયે (૨૦-૧) પિપાસા ભાંજે (૪-૫) (૨૧-૩) લહિયે ( ર ) દાવ (૫–૫). પણુ (૯-૩) ચાવે (૨૦-૯) સંપજે (૫૬) ભેદ (૧૨-૨) કીજે ( ૨૧-૪) વાધરો (૧-૬) દુવિધા (૧૮-૭) વંચીને (૨૧–૯) દેખણ દે (૮-૧ ) તુરિય (૯-૦ ) ફે (૨૨-૨) નિઃકામી રે (૧૧-૨) , (૧૯-૩) મિલિ (૨૨-૫) માતા (૧૯૮). ધારે પદ સેવ (૭-૨) બંધસી (૨૨-૬) ઘનનામી (૧૨-૧) વેધ (૧૩–૫) રેહ (૧-૬). , ( ૧૭-૨) અરદાસ (૧૫-૮) અંબ (૨–૬). (૧૫-૮) નેતુ (૭–૧) વાદ (૩–૫) ઉખાણે (૧૭–૨) અવકાશ (૧૬-૨) ઉન્માદ ( ૩–૫) પદપાગી (૧૯૭) , ( ૨૯-૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy