SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ I બુદેલખંડની મિશ્ર હિંદુસ્તાની ભાષા એક જૂદી હકીક્ત છે. ભાષાને અંગે વિચારણા કરતાં અહીં કહેવાની એક બીજી વાત એ પ્રાપ્ત થાય છે કે સ્તવનોની ગુજરાતી ભાષામાં પણ ઉત્તર હિંદુસ્તાનના સંસ્કારે બહુ દઢ રહી ગયા છે. આપણે કેટલાક દાખલા આ સંબંધમાં બતાવી આપણા ચરિત્રનાયકનાં સ્તવનેની ભાષાવિચારણા કરીએ. “સમજે ન માહો સાલે.” ( સ્તવન ૧૭–૬) અહીં માહરે સાલ એ શબ્દને પ્રાગ કાઠિયાવાડી છે એમ બતાવવા પ્રયત્ન થયે છે. એ પ્રાગ કાઠિયાવાડ કરતાં સુરતમાં વધારે થાય છે અને તેથી વધારે મારવાડમાં થાય છે. એ ઉપરાંત એમાં ખાસ લક્ષ્યમાં લેવા જેવું તે લિંગવ્યત્યયનું સ્વરૂપ છે. એ કુંથુનાથજીના સ્તવનમાં મનની વાત ચાલે છે અને કેઈ પણ સાધારણ ગુજરાતી બોલનાર મનને “સાળે” કહે નહીં પણ સાળું' કહે એ ભાષાપરિચયથી જણાય તેવું છે. “મન” નાન્યતર જાતિને શબ્દ હોવાથી સાળા શબ્દનું વિકારી રૂપ તત્કાગ્ય નાન્યતર વિકાર ગ્રહણ કરે છે. મારવાડના લોકો ઉપર બતાવ્યું તેમ “ખેટે ખાતે” શબ્દ બોલે છે તેમ મન માટે પુલિંગ વાપરે છે. પદ ૯ અને તે પર ભાષાવિચારણું ઉપર થઈ છે તે અત્રે પ્રસ્તુત છે. આવી રીતે લિંગવ્યત્યય મારવાડીમાં બહુ થયા કરે છે. આ જ લિંગવ્યત્યય “મુજ મન તુજ પદપંકજે રે, લીને ગુણ મકરંદ” (૧૩-૩) વાળા વાક્યમાં થયું છે. મન અને મકરંદ બને માટે “લીને ” શબ્દ લાગુ પડે તેમ નથી, કારણ કે મન નાન્યતર લિંગે છે અને મકરંદ પુલિંગે છે, છતાં લિંગ સંબંધી ફેરફાર મારવાડમાં અગત્યને નથી અને મનને તે બહુ વાર નરજાતિમાં વાપરવામાં આવે છે તેથી “સમજે ન માહરે સાળો” એવા ઉપરોક્ત પ્રવેગ પેઠે જ આ પ્રયોગ થયે છે. જે સ્તવનની ભૂમિકા મારવાડી–હિંદુસ્તાનીમાં બતાવે છે, તેનાં ફળફૂલને ગુજરાતીમાં કહેવાઈ શકાશે, પણ વેલે તાણતાં તે થડ તરફ જ જશે એવું સ્વરૂપ સ્તવમાં બહુ વાર જોવામાં આવશે. આ લિંગવ્યત્યયના બીજા પણ ઘણું દાખલાઓ છે. જેમકે “પાપ નહિ કઈ ઉસૂત્રભાસણ જિ, ધર્મ નહિ કઈ જગ સૂત્ર સરિખે ” એ ચતુર્દશ પ્રભુના એકદમ ગુજરાતી લાગતા સ્તવનમાં પાપ અને ધર્મ શબ્દ નરજાતિમાં વાપર્યા છે તેવા પ્રયોગ ગુજરાતી ભાષાના સાક્ષરને તદ્દન ન સમજાય તેવા લાગે છે, જ્યારે મારવાડીમાં તેમ થવું તે દરરેજને બનાવ છે. અઢારમા અરનાથજીના સ્તવનમાં “કનક” માટે એથી ગાથામાં વાત ચાલી છે ત્યાં તેને માટે “ભારી, પીલો અને ચીકણો” એવાં વિશેષણ મૂક્યાં છે એ ત્રણેમાં અને ખાસ કરીને છેલ્લા બેમાં સ્પષ્ટ રીતે લિંગવ્યત્યય થયું છે. તમે કઈ મારવાડીને ગુજરાતી બોલતા સાંભળશે તે તે બરાબર આવી જ રીતે ગુજરાતી ભાષાના વિશેષણને ઉપયોગ કરશે. વળી આવા લિંગવ્યત્યયે અજાણતા થઈ ગયા છે એમ પણ નથી, કારણ કે કુંથુનાથજીના સ્તવનની છઠ્ઠી ગાથામાં મનને સાળા અને કાળા કહીને તુરત જ કહે છે કે “મેં જાણ્યું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy