________________
પચાસમુ' પદ્મ
૫૪૯
• આત્મા જ યથાસ્થિત રીતે પોતાના આત્માને જાણે છે. તેથી આત્મસાક્ષીએ કરેલે ધર્મ પ્રમાણ છે; તેથી આત્માએ જે ક્રિયા અનુષ્ઠાન આત્માને સુખકારક હેાય તે તેવા પ્રકારે જ કરવાં કે જે આત્માને સુખ આપનાર હોય. ' આવી રીતે ચેતનને હિતકારી કાર્યાં કરવાની ઇચ્છા રાખવી ઉચિત છે અને તે હિત શું છે તે આત્માને બરાબર જાણવાથી અને પુગળ અને ચેતન વચ્ચેના તફાવત સમજવાથી જ ગ્રાહ્યમાં આવે છે. આ પ્રમાણે હાવાથી લેાકરજન કરવા માટે ધાર્મિક કાર્ય કરવાની પ્રચલિત રીત છોડી દઈને આત્માને વાસ્તવિક હિત જેથી થાય તે કાર્ય શેાધી સમજી તેવાં કાર્યો કરવામાં ઉદ્યત થવાની ખાસ જરુરીઆત અત્ર મતાવી છે. ખાટાં ખાતાં ખતવવાની અત્ર વાત કરી છે તે એકલા માયા, મમતાના જાણીતા પ્રસંગામાં જ બને છે એમ ન સમજવું, ઉપયાગ વગર આત્મસાક્ષિક ધક્રિયા કરવામાં આવે નહિ તે શુભ સાધનક્રિયામાં પણ ઘણીવાર ખાટાં ખાતાં ખતવવામાં આવે છે એ જરા ખારિક અવલાકન કરીને જોવાથી સમજાઈ જશે. અમુક શુભ ક્રિયા પણ બરાબર કરવામાં ન આવે અથવા તે કરતી વખત સાધ્યના નાશ થઇ જતા હાય તે તે શુભ ક્રિયા છે તેટલા ખાતર જ સાચું ખાતું ખતવી આપે એટલે આત્મિક ગુણમાં વધારે કરે એમ સમજવુ નહિ. દરેક વાતને આધાર વિવેકદૃષ્ટિ ઉપર રહે છે અને તે ખાસ લક્ષ્યમાં રાખવાની બહુ જરૂર છે. સામાન્ય પ્રાકૃત પ્રવાહ સાથે ઘસડાઇ જવાની જરા પણુ જરૂર નથી. જ્યારે આત્માનું ઉત્થાન થવાનું હાય છે ત્યારે તે વિચાર કરવાથી જ થાય છે અને પ્રસંગે આત્માને હિત કરવાની દૃષ્ટિ જ લક્ષ્યમાં રાખવાની હાય છે; લેાકેા શુ ધારશે વિગેરે વિચાર તે દેખાવ કરવાની દૃષ્ટિ હૈાય ત્યાં સુધી જ ઘટે છે અને એવા દેખાવ કરવાના ધર્માં તેા આ જીવે ઘણા કર્યાં છે, હવે એ બાહ્ય દૃષ્ટિના છેડા લાવવા જોઈએ. એક ઉપવાસ કર્યાં હાય કે સાધારણ રીતે મહેાત્સવાદિ કર્યાં હાય તે ઘણાની પાસે તેની વાત કરી નાખીએ તેા ઠીક, ઘણા તે જાણે તે ઠીક, બહુ માણુસા વાહવાહ ખેલે તેા ઠીક આવી વૃત્તિ જ્યાં સુધી રહે ત્યાં સુધી હજુ ચેતનાના મદિરમાં પ્રવેશ પણ થયા નથી અને અનુભવે ચેતનજીને મનાવવાની ખરેખરી શરૂઆત પણુ કરી નથી એમ સમજવુ,
તું* હિતુ મેલો મેં હિતુ તેરી, અંતર્ ાદ્દિન નનાસી;
आनंदघन प्रमु आन मिलावो, नहितर करो धनासी, अनुभव० ३
*
“ તેા હિતુ ” એવા પાડે છાપેલી બુકમાં છે. અર્થ એક જ છે. હિતુ શબ્દમાં એક જગ્યાએ તુ
અક્ષર દી આપવામાં આવ્યા છે. ‘ તો ' પાડે અશુદ્ધ જણાય છે.
+ કાહિને બદલે કાઢે ' પાઠ છે. અ`માં ફેર જણાતા નથી.
× ધનાસીને બદલે એ જગ્યા પર ‘ ધન્યાસી
Jain Education International
શબ્દ છે. અથ એક જ છે, ધનાશ્રી રાગનું નામ છે.
તે શબ્દ ભાષામાં જૂદી જૂદી રીતે લખાય છે, ૩ હિતુમિત્ર, હિત કરનાર. અંતર=આંતરા. કાહિશું છે ? જનાસી=જણાવી. આનલાવીને. મિલાવે મેળવા. કરા ધનાસી=ધનાશ્રી રાગ ખેલે, ઉપડી જાઓ, ચાલવા માંડેા.
For Private & Personal Use Only
www.jainelibrary.org