SearchBrowseAboutContactDonate
Page Preview
Page 558
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૮ શ્રી આનંદઘનજીનાં પદો કરે છે તેને તું તો અવિનાશી કહે છે. તારી વાત સાચી છે એમ માનવામાં પણ અડચણ નથી, પણ અત્યારે આનું વર્તન જોતાં મને તો તેને માટે બહુ ખેદ આવે છે. આવા પરવશ પતિને તું મારે મંદિરે કેવી રીતે લાવીશ અને મારું વિરહદુઃખ કેમ ભાંગીશ એ વાતને વિચાર કરતાં મારી અકકલ બહુ મુંઝાય છે. ઉપરોક્ત કમેં જે ચેતનને અનેક વેશ ધારણ કરાવે છે તેનું રચવું અને વળી તે કર્મોને વિનાશ કરો એટલે ભેગવીને અથવા બીજી રીતે કર્મોને ખપાવી દેવાં-એ સર્વ કરનાર આત્મા પોતે જ છે અને પિતાને હિત કરનાર પણ પિતે જ છે. સારી ગતિમાં જઈને સુખ ભોગવવા યોગ્ય કને રચનાર અને ખરાબ ગતિમાં જ દુઃખ ભોગવવા ગ્ય કમેને રચનાર અને વળી એ સર્વ કર્મોને નાશ કરનાર ચેતનજી પોતે જ છે. એને એમ જણાય કે સુખ પણ સેનાની બેડી છે એટલે એ સર્વને ત્યાગ કરી દઈ કર્મોને હઠાવવા મંડી જાય છે. આવી રીતે શુભ અશુભ સર્વ કર્મોને સંગ્રહ અને ત્યાગ કરનાર તે પોતે જ છે અને પિતાનું વાસ્તવિક હિત શેમાં છે તે શોધી તે પ્રાપ્ત કરનાર પણ તે પોતે જ છે. આ પ્રમાણે હકીકત છે છતાં અત્યારે તે એ જ્ઞાનધનથી રહિત હોવાથી અથવા તેની પાસે જ્ઞાનધન બહુ અલ્પ હોવાથી તે ખોટાં ખાતાં ખતવે છે, કરજ વધારતો જાય છે અને દેવાદાર થતું જાય છે. કમેને કરનાર, કમેને વિનાશ કરનાર અને પિતાને હિત થાય તેવાં કાર્યો કરનાર તે પોતે જ છે; અત્યારે તે માયા, મમતાના પ્રસંગમાં પડી જઈ પાપકાર્ય કરવારૂપ બેટાં ખાતાંઓ ખતવે છે અને સંસાર વધારી મૂકે છે. વળી એમ કરવાથી એ નિર્ધનીયા પાસે થોડું દ્રવ્ય હોય છે તે ઉઘરાણીમાં તણાઈ જાય છે અને અંતે તેનો વ્યવ. હાર કા પડે છે. આવા મારા ચેતનરાજ પતિને તે અનુભવ ! તું કેવી રીતે મનાવીશ ? આ ગાથાને ભાવાર્થ વિષમ છે એમ ગુરુમહારાજ પણ કહેતા હતા. એને એક આશય તે સ્પષ્ટ રીતે બહાર આવે છે અને તે સંબંધથી પણ બરાબર ઘટે તે છે. એ ચેતનજીને અવિનાશી કહેવામાં આવે છે છતાં એ ઘણું વિચિત્ર રૂપ ધારણ કરે છે તેથી અનુભવને ચેતના બતાવી આપે છે કે એ ચેતનને ઠેકાણે લાવવામાં ઘણી મુશ્કેલી જણાય છે. એ સ્પષ્ટ ભાવને બતાવવા ઉપર પ્રયત્ન કર્યો છે અને બનતાં સુધી દરેકે દરેક શબ્દને અર્થ કરી વચ્ચે શબ્દ અધ્યાહાર બતાવી તે અર્થ કર્યો છે. કવિને આશય એ જ હશે એમ તે કહી શકાય નહિ, પણ સંબંધ ઉપરથી એને મળતે આશય હોવો જોઈએ એમ ધારી શકાય છે. આત્માને હિતકારી કાર્ય આત્માએ જ કરવું જોઈએ તે સંબંધમાં શ્રી ધર્મદાસ ગણિ લખે છે કે – अप्पा जाणइ अप्पा, जहडीओ अप्पसक्खिओ धम्मो । अप्पा करेह तं तह, जह अप्प सुहावह होइ* * ઉપદેશમાળા-ગાથા ૨૩ મી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy