SearchBrowseAboutContactDonate
Page Preview
Page 557
Loading...
Download File
Download File
Page Text
________________ પચાસમું પદ ૫૪૭ અનેક ગતિઓમાં ભમે છે અને તેથી શાસ્ત્રકાર કહે છે કે-એવી કઈ જાતિ નથી અને એવી કોઈ નિ નથી, એવું કેઈ સ્થાન નથી અને એવું કે કુળ નથી કે જ્યાં આ જીવ અનંત વાર ઉત્પન્ન થયે ન હોય. ચેતનજી કર્મવશ પડી અનેક પ્રકારનાં શરીર ધારણ કરે છે અને પ્રત્યેક ભવમાં તેનું રૂપ ફરતું જાય છે. ટબાકાર અહીં લખે છે કે “આત્મા ફરી ક્ષણવારમાં ઈંદ્રની જેમ ઈશ્વરતા ધારણ કરશે અને કહેશે કે ષડ દ્રવ્યમાં મારા જેવા કેણુ છે અને વળી પછી છાશની જેમ પાતળો થઈ જશે એટલે નિર્મદી થઈ જશે ” આ ભાવ પણ સારે છે. કહેવાનો આશય એ છે કે–ચેતનજી નવાં નવાં રૂપ ધારણ કરશે. તેનું એક ઠેકાણું નથી, તેની એક સરખી ગતિ નથી, તેની એક સરખી કૃતિ નથી, તેની એક સરખી વૃત્તિ નથી; અને મિત્ર! તું તે કહે છે કે-તે અવિનાશી છે. તું મને વારંવાર કહે છે કે-મારા નાથ અવિનાશી છે. ચેતનછ અવિનાશી હોય તે પછી જૂદા જૂદા ભવમાં નવીન નવીન રૂપ ધારણ કરે છે, અરે ! એક ને એક ભવમાં પણ સધન, નિર્ધનાદિ થઈ જાય છે એમ હું દેખું છું ત્યારે હવે મારે ઘારવું શું? આવી વિચિત્ર રીતે વિહાર કરતે નવીન રૂપ ધારણ કરતે દેખાતે અને તમારા વડે અવિનાશી તરીકે સંબોધાતે ચેતન કેવી રીતે માની જશે અને કેવી રીતે મારે મંદિરે પધારશે એ હે મિત્ર ! તું મને જરૂર સમજાવ. ચેતનજી નામ અને ગોત્ર કમને વશ પડી જૂદી જૂદી ગતિ, જાતિ તથા ગેત્રમાં ઉત્પન્ન થાય છે, મોહનીયને વશ પડી સંસારમાં આસક્ત રહે છે, આયુષ્ય કર્મને લીધે ત્યાં ટકી રહે છે, વેદનીય કર્મને લીધે ત્યાં સુખદુઃખ ભોગવે છે અને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય તથા અંતરાય કમેને લીધે ત્યાં તેના અનેક ગુણે હાનિ પામે છે-આવી તેની વિચિત્ર સ્થિતિ પર ટીકા કરતાં ચેતના કહે છે કે-આવા કર્મને પરવશ પતિ નવાં નવાં રૂપ ધારણ * અહીં સુધી માત્ર એક પંક્તિનો અર્થ લખીને પછી બાકાર નીચે પ્રમાણે નોટ લખે છે, બાકીની ગાથાને અર્થે મુશ્કેલ હોવાથી તેમણે તે લખ્યું નથી તે મારા ગુરુમહારાજે મને જે પ્રમાણે અર્થ બતાવ્યું તે અહીં લખે છે. ટબકાર લખે છે કે “ આ ગાથાનાં બાકીનાં ત્રણ પદોને અર્થ જરા જરા ભાસે છે તે ખરે, પણ બરાબર રહસ્યાર્થ સહિત ભાસતું નથી એટલે એ લખ નથી. એવી ઉક્તિ છે કે શતં વ પ મા ૪િ૩. ( સો વાત બેલ પણ એક લાખ નહિ. ) મતલબ કોઈ વાત લખવા પહેલાં ઘણો વિચાર કરવો જોઈએ. કવિરાજ નો આશય ઘણો ગંભીર છે તેથી તે તે જ જાણે. મારા મનમાં આવે છે તેમ નિવેકી થઈને લખ્યો જાઉં છું. પરંતુ આ પદને આશય પરિપૂર્ણ જાણ્યા વિના શુદ્ધાશુદ્ધની ખબર પડતી નથી, શુદ્ધ અશુદ્ધ અક્ષરોની બરાબર ઘટના થઈ શકતી ન હોવાથી અર્થ શેને કરવો ? એ બંને અને અન્ય અસંબદ્ધ છે; પણ એ પદોમાં પ્રાણાતિપાત માયાનું વર્ણન છે ” આ પ્રમાણે ટબાકારે નેટ કરી છે તેને છેવટનો ભાગ સમજાયે નથી. પ્રાણાતિપાત અને માયાનું વર્ણન આ પદમાં ક્યાં છે તે સમજાતું નથી. કવિનો આશય ગંભીર હોવા ઉપરાંત આ પદમાં શુદ્ધાશુદ્ધતા જણાય છે તેથી અર્થ દુર્ધટ તો છે જ. ઉપર અર્થ કર્યો છે તે મારા ગુરુમહારાજે બતાબે તદનુસાર છે. વિ૦ કઇ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy