SearchBrowseAboutContactDonate
Page Preview
Page 552
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૨ શ્રી આનંદઘનજીનાં પદે મંદિરમાં પણ મને આનંદ આવતું નથી. કેઈ ઉપર ઉપરથી મારા ઉપર નેહ બતાવે છે, મારે ચેતનસ્વભાવ ઓળખી પતિને મારી પાસે લાવવાના બેટા પ્રયત્ન કરે તે અંતરંગ રમેહ વગરને ઉપરને પ્રેમ પણ મને ગમતું નથી. જે પ્રેમમાં પતિ ન હોય અથવા પતિ મંદિરે આવવાનો સંભવ ન હોય તે બાહ્ય નેહ મારે શું કામ છે ? મને તે જે પતિ મળે તેવા પ્રકારને સ્નેહ હોય અથવા પતિ ઉપર નેહ રાખનારા અને તેને ખરેખર જાગ્રત કરનારાઓ સાથે સ્નેહ-શુદ્ધ પ્રેમ થતું હોય તે તે પતિના નામ ખાતર પસંદ આવે. બાકી પતિનું નામ લઈ કઈ મારી પાસે આવે અને તેના સ્નેહના પરિણામે મને પતિથી દૂર થવું પડે તેને સ્નેહ મને કેવી રીતે પસંદ આવે? ધર્મને નામે જે અનેક પ્રકારની ધામધુમો ચાલે છે તેને અંગે બાહ્ય ક્રિયા કે વર્તન અથવા કષાયે મારા ઉપર પ્રેમ કરવા આવે છે તે મને ઈષ્ટ નથી. આવી જાતની ધામધુમે કઈ છે તે વિચાર કરવાથી જણાશે, ધર્મને નામે અનેક ધામધુમે, લડાઈઓ, છટકાઓ અને પેઢીઓ ચાલતી જોવામાં આવશે જે સર્વ ચેતનને ચેતના સન્મુખ કરનારા નથી અને તેથી ચેતનાને તેના ઉપર પ્રેમ આવે નહિ એમ જે.અત્ર શ્રી આનંદઘનજી મહારાજ બતાવતા હોય એમ જણાય છે તે યોગ્ય છે. વળી એવી સાંસારિક ભાવનાઓ કરવાથી હું અનેક દુઃખના ભંડારરૂપ સંસારમાં સરી જાઉં છું, ધર્મને નામે કરેલા કષાયથી હું દુહડાગારમાં પાત કરું છું તે પણ મને ગમતું નથી. દુઃખ સ્વાભાવિક રીતે તેને પસંદ આવે નહિ એ જાણીતી વાત છે અને ચેતનાને તે એ પસંદ ન જ આવે, કારણ કે તેથી તેને શુદ્ધ સ્વરૂપે પતિને મળવાને સમય વિશેષ દૂર થતો જાય છે. આવી રીતે દેહ ઉપર, ગેહ ઉપર, સનેહ ઉપર અને દુહડાગાર ઉપર ચેતનાને રેખા માત્ર પણ પ્રેમ ઉપજતો નથી. મારા ગુરુમહારાજ કહે છે કે-અહીં ભાવેને બદલે “મા” પાઠ બીજી પંક્તિમાં જોઈએ અને જે બુકમાંથી તેઓ પાસે પદ વાયાં તેમાં “દુહાગાહા” પાઠ હતે. મારે પાઠ કઈ પણ પ્રતમાં નથી. તેમના કહેવા પ્રમાણે આ બે પંક્તિને ભાવ નીચે પ્રમાણે થાય છે. જ્યાં સુધી પ્રાણ મિથ્યાત્વના મદમાં માચેલ હોય છે ત્યાં સુધી તે પોતાના શરીરમાં પણ માતે નથી એટલે કુલી રહે છે, અરે તે ફુલીને પિતાના ઘરમાં પણ માતે નથી અને તેને મિથ્યાત્વ પરને પ્યાર એટલે અપાર છે કે તે પ્યારે પણ કોઈ સ્થળે માતે નથી. મિથ્યાત્વના પ્રેમમાં આસક્ત પ્રાણુઓ સત્ય સ્વરૂપ સમજી શકતા નથી તેથી ઉપર ઉપરનું જ્ઞાન થતાં મદમાં કુલાઈ જઈ પિતાના શરીરમાં પણ માતા નથી. શરીર શું પણ પિતાના ઘરમાં પણ સમાઈ શકતા નથી. મિથ્યાત્વના મદમાં ચકચૂર થયેલાની આવી સ્થિતિ આપણે ઘણીવાર જોઈએ છીએ. કઈ પણ ધર્મના અનુયાયીને જોતાં અને તેની વિચારણું વગરની ધર્મની વાતે તથા લડાઈઓ સાંભળતાં મનમાં આ બાબતની ખાસ પ્રતીતિ થાય છે. ધર્મની બાબતમાં તેઓ એટલા મતાગ્રહી થઈ જાય છે કે પિતાથી અન્ય ધર્મના દુહાગાથા હેય તે પણ તેઓને સાંભળવા ગમતા નથી. “માયડી મુને નિરપખ કહી ન મૂકી” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy