________________
ઓગણપચાસમું પદ
૫૪૩ એ વાત કરતાં ઉપરના અડતાળીશમા પદમાં આ વાત બતાવવા યત્ન કર્યો છે તેથી અત્ર વિશેષ વિવેચન કરવાની જરૂર રહેતી નથી. “મા” પાઠ લેવાથી પ્રથમ બે પંક્તિને આ પ્રમાણે અર્થ થાય છે.
હવે તે આનંદઘન પ્રભુ-મારા નિર્લેપ શુદ્ધ પતિ મારો હાથ પકડે, મને આવી કડી સ્થિતિમાંથી બચાવી લે એટલે મારા પતિ શુદ્ધ વસ્તુ વરૂપ સમજી મિથ્યાત્વ દૂર કરી મારે મંદિરે પધારે, અથવા આનંદઘન પ્રભુ મારા પતિને સ્વરૂપ સમજાવી તેમનું મિથ્યાત્વ દૂર કરે અને પતિને અત્યારે માયા, મમતા ઉપર જે સ્નેહ છે તે દૂર કરાવી દે તે મને મારા કાર્યમાં ઉત્સાહ આવે. હાલ તે મને મારા શરીર ઉપર કે ઘર ઉપર પણ પ્રેમ થતો નથી. મને મારાં કઈ પણ કાર્યમાં રસ આવતું નથી અને મને ઉપર ઉપરના નેહ તરફ પણ ભાવ થતું નથી. આનંદઘન પ્રભુ આધ્યાત્મિક પ્રેમ લાવી મારે હાથ પકડે, મારા પતિને વર્તમાન વિભાવદશામાંથી ઊંચા લાવે, તેઓની પરિણતિ સુધારે અને પછી જે મારે અને પતિને મેળાપ કરાવી આપે તે મને મારા કાર્યમાં હોશ આવે અને પછી પતિવિરહકાળ પૂરો થવાથી પતિ-પરિચર્યામાં સદા તત્પર રહી તેઓ સાથે આધ્યાત્મિક આનંદ ભેગવું. આવી જ્યારે મારી સ્થિતિ થાય ત્યારે મને સ્વાભાવિક રીતે મારાં દરેક કાર્યમાં ઉત્સાહ આવે.
ચેતનજી જ્યાં સુધી સાંસારિક અથવા પીગલિક દશામાં હોય છે ત્યાં સુધી તે કઈ ધર્મકાર્ય કરે છે તે તેમાં પણ તેને રસ આવતું નથી. જેવો પ્રેમ તેને પૈસા કમાવામાં કે ઈન્દ્રિયેના વિષે ભોગવવામાં આવે છે તે તેને દેવપૂજા, આવશ્યક ક્રિયા કે પૌષધાદિમાં આવતો નથી. એશે તે સર્વ ક્રિયા કરે છે, પરંતુ એમાં રસની જમાવટ થતી નથી. જ્યારે એ આનંદસ્વરૂપ થવાનું શુદ્ધ લક્ષ્ય કરે છે ત્યારે તેને પોદુગલિક પદાર્થોની વિરસતા સમજાય છે અને પછી આધ્યાત્મિક રસ તેને સદ્વર્તનમાં અને આત્મિક સહજ ગુણેમાં આવે છે ત્યારપછી એ વિશુદ્ધ માર્ગને સાધનધર્મો કરે છે તેમાં પણ તેને એટલે ઉત્સાહ આવે છે કે તેને ખ્યાલ સ્થલ દષ્ટિમાં વર્તતા જીવોને આવો લગભગ અશકય છે. આ દશાને આનંદઘન ભગવાન બાંહ પકડે એવી દશા તરીકે વર્ણવી છે. એવી દશા પ્રાપ્ત કરવાનું સાધ્ય નિરંતર લક્ષ્યમાં રાખવા અને તેને માટે દઢ મનથી યાચના અને વિચારણું કરવાનું આ પદમાં મક્કમ રીતે સૂચવન છે. બાહ્ય દશાના ભાવમાં આ જીવ એટલે લપટાઈ ગયેલું રહે છે કે જ્યાં સુધી તેવી દશાનું સ્વરૂપ બરાબર વિચારે નહિ અને તેની અને શુદ્ધ આંતર દશાની વચ્ચેનો તફાવત સમજે નહિ ત્યાં સુધી તેનું સાધનકાર્ય શુદ્ધ દશા પ્રાપ્તિની અપેક્ષાએ કાંઈ પણ ફળ આપે નહિ. બાહા ભાવ તજી નાથને મળવા પ્રયત્ન કરે અને દરેક વિશુદ્ધ સાધનધર્મમાં પણ લક્ષ્ય ધ્યાનમાં રાખી ઉત્સાહ લા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org