________________
ઓગણપચામમ' પ
૫૩૭
વળી ગંગા નહાવું, ગાદાવરી નહાવું વિગેરે સ્નાનના માથા પર દાહ પડા, મારે એવું સ્નાન જોઇતું નથી. વિરહુકાળમાં સ્નાન, અંજના િકાંઈ પસંદ આવતાં નથી, ઉપરના પદમાં કહ્યું છે કે-ચેતનાને કાઇ નિષ્પક્ષ રહેવા દેતા નથી, જાસુ જાઇ પૂછીએ તે તે, અપની અપની ગાવે, મારગ સાચા કાઉ ખતાવે' એમ શ્રી ચિદાનંદજી મહારાજે કહ્યું છે તે યથા છે. જેની પાસે જઈને ચેતના પેાકાર કરે તે સ તા પાતપેાતાની વાત કરવા મંડી જાય છે, કોઈ ચેતનાના વિચાર કરતું નથી, એને પરિણામે ચૈતના અને ચેતનજીનેા શુદ્ધ દશામાં સચેગ થવાના પ્રસંગે અલ્પ થતા જાય છે તે પણ આપણે ઉપરના પદમાં જોઈ ગયા છીએ. સ્વધર્મ નિધનં પ્રેયઃ વધમાં મચાવઢ: એવા શુદ્ધ સૂત્રમાં કહ્યું છે કે ‘ સ્વધર્મોંમાં મરણુ સારું, પરધર્મ ભચેત્પાદક છે' આના અર્થ કરતાં કેટલાક મતવાળા તેનેા પારમાર્થિક રહસ્યસૂચક અથ વિસારી મૂકી મતગ્રહના અર્થમાં તેને સ'કાચી નાખે છે. આ વાક્ય પ્રથમ શ્રીમદ્ભગવદ્ગીતામાં જોવામાં આવ્યું છે, તેના ભાવ એવે છે કે-દરેક પ્રાણીએ પાતપેાતાના ધર્માં અનુસરવા જોઇએ, પરધમ એટલે અન્ય સ્થિતિની કરજો જો પોતે કરવા સડી જાય તે તેનું પરિણામ સારું આવે નહિ. આવા સુંદર ભાવવાળા સૂત્રને અથ એ છે કે-રાજાએ રાજાની ફરજ બજાવવી જોઇએ, તેમ જ વિદ્યાર્થીએ, ગૃહસ્થે, શ્રાવકે, સાધુએ પોતપાતાની ફરજો બજાવવી ચિત છે. અન્ય આશ્રમની ફરજો બજાવવા જતાં જરુર હાનિ થાય છે. એની સાથે જ જ્યારે એ માટી ફરજોની વચ્ચે પસંદેંગી કરવાના પ્રસંગ આવે ત્યારે વળી બહુ વિચાર કરવા પડે છે. જનસમૂહના લાભ ખાતર સ્વલાભના ભાગ આપવા પડે તે પ્રસંગે બે ફરજો વચ્ચેના લાભાલાભની તુલના થાય છે; તેવી જ રીતે સાંસારિક સ્થળ લાભ અને આંતરિક આધ્યાત્મિક લામના પ્રસંગે બે ક્રોમાંથી કાને વધારે માન આપવું એવા પ્રશ્ન વખતે સ્વધર્મના ઉપરોક્ત સૂત્રની વિચારણા થાય છે. ભરત ચક્રવર્તીને તાત પ્રથમ પૂજ્ય કે ચક્રરત્ન પ્રથમ પૂજ્ય એ સવાલ ઊભા થયા હતા. તાત ચક્ર ર ( પ્રથમ ) પૂજ્ય, ચિંતા એહ હુઇરી' એ પ્રમાણે શ્રીમલ્લિનાથજીના સ્તવનમાં યશેાવિજયજી મહારાજ પ્રશ્ન સૂકી લૌકિક ફરજ અને લેાકેાત્તર ફરજ વચ્ચેના સવાલ ચર્ચી ભરત ચક્રવર્તીના નિર્ણુય બતાવે છે. ચક્રવર્તી તરીકેની લૌકિક ફરજ અને શ્રીઆદિનાથ તરની આંતરિક ક્રજના નિણૅય લેાકેાત્તર રીઝના લાભમાં ઉતરે છે તે સ્વધર્મમાં કેટલે ઊંડા વિચાર બતાવે છે તે તપાસવા ચેાગ્ય છે. આવા વિચારપૂર્વક મહાન્ સવાલને નિય કરવાના વિશુદ્ધ સૂત્રને ધર્મ એટલે દનના અર્થમાં સમજાવી ખાપદાદાના ધર્મમાં મરણુ થાય તે સારું, પરધર્મ આદરવાથી ભય થાય છે એમ બતાવવા પ્રયત્ન કરવા એ સ્વમતના દુરાગ્રહ, સત્ય સમજવા તથા જાણવા તરફ ઉપેક્ષા અને તેના પરિણામ તરીકે સ'સારચક્રભ્રમણુ તાવી આપે છે. જ્યાં ધર્મના ઉપદેશકે આવા મતઆગ્રહ રાખે અને વિશુદ્ધ માર્ગ જાણવા કે ખતાવવાના અખાડા કરી જાય ત્યાં પછી તેઓએ કરેલું અંજન અથવા
6
૬૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org