________________
આનાનજીનાં પદ આવી રીતે કહે છે તે વિક્રમોર્વશીયના વાંચનારે પુરુરવના સંબંધમાં બીજી રીતે જોયું હશે. ત્યાં ઉર્વશીના વિરહથી મત્ત થયેલ પુરુરવ મધુકર, હરણ, વેલડી વિગેરે જે જે મેળે તેને ઉર્વશીના સમાચાર પૂછે છે, તેવી જ રીતે વિરહઘેલી સ્ત્રી પણ તેવા જ આલાપ કરે છે. આ પ્રસંગે ચેતનાના જે ઉદ્દગારો નીકળે છે તે આપણે અગાઉના પદોમાં ઘણે ઠેકાણે જોઈ ગયા છીએ. ભાવ એ છે કે પતિને મળવા માટે સુમતિના મનમાં હવે પ્રબળ આકાંક્ષા થઈ છે અને તેથી જ તે નાન પર અગ્નિ પડવા જેવું વચન બોલી જાય છે.
આ પદને આધ્યાત્મિક ભાવ હવે વિચારીએ. સુવર્ણવર્ણના નાથમાં કોઈ પણ પ્રકારને ડાઘ ન હોય. જે કંચનત્વ શુદ્ધ સ્થિતિમાં સુવર્ણમાં હોય છે તે અન્યત્ર જોવામાં આવતું નથી. અત્યારે તે નાથ કંચનવર્ણવાળા છે પણ વસ્તુતઃ તે કંચનરૂપ જ છે, જાતે સુવર્ણ જ છે અને કઈ પણ પ્રકારના મેલ વગરના છે. એમને અત્યારે જે મેલ લાગે છે તે માત્ર માયા, મમતાદિકના પ્રસંગને લઈને છે, બાકી જે એ પ્રસંગ દૂર થશે, રાગ દ્વેષની પરિણતિ ઓછી થશે અને વસ્વરૂપ પતિ ઓળખશે ત્યારે તેઓ કંચનવર્ણ મટી કંચન થઈ જશે. આવા પતિ સાથે હે અનુભવ! તું મારે મેળાપ કરાવી આપ, હે યતિધર્મો ! મારા પતિ સાથે મને એકરૂપ કરી દે, હે ધર્મ તથા શુકલધ્યાન ! પતિને ધ્યાનમાં લઈ આવે, હે મહાવ્રતો ! યમ, નિયમાદિકથી પતિને વિશુદ્ધ કરી મને પતિ સાથે બેસાડે, હે ક્ષાયિક સમ્યક્ત્વ! તું મારા પતિને અહીં ઘસડી લાવ વિગેરે વિગેરે જે જે મળે છે, તે સર્વને સુમતિ કહે છે કે તમે મારા પતિને અને મારો મેળાપ કરાવી આપે, મને એમના વગર જરા પણ ચેન પડતું નથી. પતિવિરહિણી સ્ત્રી પતિના વિરહદુઃખમાં જેમ કેઈ પણ પ્રકારના શણગાર સજતી નથી તેમ હું પણ કાંઈ કરતી નથી અને રાત્રી દિવસ પતિની ઝંખના કર્યા કરું છું. પતિવિરહી સ્ત્રીને જેમ અંજનની રેખા પણ ગમતી નથી તેમ પતિને અને મારો વિરહ છે તે સંબંધી વાતને કેઈ ઉપદેશ આપે એટલે ઉપદેશ દરમ્યાન કહે છે કે પતિને અને મારો વિરહ છે તે તે વાત પણ મને ગમતી નથી, કારણ કે તેથી પતિ વધારે યાદ આવે છે અને વિરહ વેદના વધારે તીવ્ર થાય છે. મને ગમતી નથી એટલે મારી જ્ઞાનદૃષ્ટિરૂપ આંખોને પસંદ આવતી નથી. આંખ એ જ્ઞાનદષ્ટિ, અંજન ઉપદેશ અને રેખા એટલે અંશમાત્ર એ ભાવ અહીં સમજ. આવા ઉપદેશમાં અથવા એવી વાતમાં નાથનો મેળો થતો નથી, મારું કાંઈ કામ સુધરતું નથી, મારી સ્થિતિમાં જરા પણ ફેરફાર થતું નથી, તેથી એ ઉપદેશ જેમાં પતિને વિરહ છે, જેમાં પતિને મળવા સંબંધી વાત આવતી નથી, જેમાં પતિની કાંઈ વાત આવે છે તે શુદ્ધ વાત નથી આવતી પણ પતિની લઘુતા-મૂર્ખતા બતાવવામાં આવે છે એવો ઉપદેશ મને પસંદ પડતું નથી.
* નાટક, કાળિદાસ કવિકૃત. જુઓ વિક્રમોર્વશીય નાટકનો અંક ચોથો. + દાખલા તરીકે જુએ પદ પચીશમું તથા એકત્રીશકું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org